Wednesday, December 23, 2009

પ્રકૃતિપ્રેમ હોય તો સાપેય મિત્ર બની જાય છે

કચ્છમાં 50 ટકા સાપ ઝેરીઃ સાપ વિશેની ગેરમાન્યતાનું ખંડન કરતા ભુજના નિષ્ણાતો

By ENN, ભુજ, સામાન્ય રીતે સાપ દેખાય એટલે માણસો પહેલેથી ડરીને તેને શત્રુ માની પ્રતિકાર કરવાનું શરૂ કરી દે છે. પરંતુ વાસ્તવમાં તે કોઈનો શત્રુ નથી માત્ર આપણે પ્રકૃતિપ્રેમ જગાવવાની જરૃર છે, તો એ આપણા મિત્ર બની જાય તેમ છે, તો એ આપણા મિત્ર બની જાય તેમ છે. એવી લાગણી અહીંના બે સર્પ નિષ્ણાંતો દર્શાવી હતી.

શિયાળો દસ્તક દઈ રહ્યો છે પણ હજુ ગરમીના લીધે અચાનક સાપ નીકળતા જિલ્લામાં ઘણાં બનાવો હજુ બની રહ્યા છે. ત્યારે હમીરસરની આવના કિનારે વસેલી નવી ઉમેદનગરમાં તાજેતરમાં બનેલા નાગદેવતા નીકળવાના બનાવો સમયે મળી ગયેલા આ નિષ્ણાંતોએ લોકોમાં પ્રવતર્તી અનેક ગેરમાન્યતાઓનું ખંડન કર્યું હતું. ઉમેદનગરના રહેવાસીઓનું કહેવું છે, અમારા વિસ્તારમાં સાપ નીકળે છે તો અમને ભય નથી લાગતો અને ભુજમાં ક્યાંય પણ સાપ નીકળે તો અમારા વિસ્તારમાં બે જાણકારો રૂચિતભાઈ ઠાકર અને કાંતિભાઈ સોલંકી આ જીવને બચાવી લે છે.

રૂચિરભાઈ આમ તો વ્યવસાયે તાલુકાના મંજલની હાઈસ્કુલના શિક્ષક છે, પરંતુ સાહિત્ય અને પ્રકૃતિપ્રેમી છે. અત્યાર સુધી 1000થી વધુ વિવિધ જાતના સાપને બચાવીને જંગલ વિસ્તારમાં છોડી આવનારા રૂચિતભાઈ પત્રકારની વાતચીતમાં કહ્યું કે, સાપ કોઈપણ વ્યક્તિને જોયા પછી ફરીવાર તેને ઓળખી શકતો નથી એટલે તેનો વેર વાળવાનો પ્રશ્ન અસ્થાને છે. કુંભારિયાની તાજેતરની ઘટના અંગે ગેરસમજ દૂર કરતાં તેમણે કહ્યું કે, એકને મારી નાખ્યા બાદ બીજો ત્યાં એવો જ સાપ દેખાય તો અંધશ્રદ્ધાળુઓ વેરની વાત ફેલાવે છે. વળી તે વાત એવું પ્રાણી છે કે, જો તમે પ્રતિક્રિયા ન આપો તો તમારા શરીર પરથી કોઈપણ હાનિ વિના શાંતિથી પસાર થઈ જાય અને છંછેડવામાં આવે તો પણ તે લાંબા અંતર સુધી વ્યક્તિનો પીછો કરી શકતો નથી. આ ઉપરાંત બિનઝેરી સાપ કરડે તો કોડીના દંશ કરતાં પણ ઓછી તકલીફ થાય છે.

કચ્છમાં સાપ-નાગ વિશેની જાણકારી આપતાં કવિતાના વિષયે એમ.ફીલ થયેલા અને કચ્છ ઈકો એન્ડ વાઈલ્ડ ઓર્ગેનાઈઝેશન નામની મિત્રો સાથે સંસ્થા પણ ચલાવતાં શ્રી ઠાકરે કહ્યું કે, કચ્છમાં મુખ્યત્વે ત્રણ ઝેરી સાપ જોવા મળે છે. ટકાવારીની દ્રષ્ટિએ તે લગભગ 50 ટકા છે અને કોબ્રા પ્રકારના છે. આ ત્રણ ઝેરી જાતના કાળતરો (કચ્છીમાં શંખચૂડ), નાગ(કોબ્રા) અને ફુરસા કોડિયાનો સમાવેશ થાય છે. જ્યારે કેટ સ્નેઈક, ટિન્કેટ, વુલ, કોમન એન્ડ બોઆ જેવી અનેક બિનઝેરી સાપની જાતો કચ્છમાં છે, આ જિલ્લાની ખાસિયત એ છે કે, સિન્ધ ક્રેટ સમગ્ર ભારતમાં માત્ર કચ્છમાં જ દેખાય છે. સાપ નીકળે અને કોઈપણ બોલાવે તો વિનામૂલ્યે એટલું જ નહીં ગાંઠના ખર્ચીને પહોંચી સેવાભાવના દાખવતા રૂચિતભાઈએ વધુમાં ઉમેર્યું કે, દરેક જીવપ્રકૃતિના સંતુલન માટે જરૂરી છે. લોકોએ ડરી જઈને સાપને મારી ન નાખવો જોઇએ બમોઈ જાતના સાપ તો એવો છે કે, ગમે તેટલું પરેશાન કરો બટકું જ ન ભરે.

મોટા ભાઇ નિલેન્દુ ઠાકરના પ્રકૃતિપ્રમમાંથી શરૂ કરેલા કાર્યમાં મિત્રો રાપરના યોગેશ જોષી, દીપક ગોસ્વામી, મુંદરાના અશોક ચૌધરી, ભુજના અલ્પેશ જાની, અંજારના પ્રતાપ સેવક, અંજારના ઓસમાણ ખત્રી અને મંજલના વીનેશ વ્યાસ પણ સંસ્થાના માધ્યમથી કચ્છમાં પર્યાવરણ જાગૃતિ સંબંધી પ્રવૃતિમાં સહયોગી હોવાનું રૂચિરભાઇએ ઉમેર્યું હતું.

ઉમેદનગરમાં જ બીજા એવા સાપ નિષ્ણાંત રહે છે કાંતિલાલભાઈ સોલંકી મૂળ રાજકોટના વતની પણ 22 વર્ષથી કચ્છમાં સ્થાયી કાંતિભાઇને ગમે ત્યારે બોલાવો મદદે પહોંચી જાય છે. લોકો તેમને જે કંઈ રકમ આપે તેમાંથી પણ તેઓ અડધી ધર્માદાના કામમાં વાપરે છે. વ્યવસાયે ડ્રાઈવિંગ અને સિલાઈકામ કરતા કાંતિભાઇનું કહેવું છે કે, માત્ર ભુજ નહીં આસપાસના ગામડાઓમાંય લોકો તેમને તેડી જાય છે. કચ્છમાં 100 એ બે કુંભારિયા પ્રકારના સાપ દેખાય છે. ગરમીના મહિનામાં લગભગ દરરોજ તેમને ક્યાંકને ક્યાંક આવી વરધી આવે જ છે એટલું પ્રમાણ વધ્યું છે, પરંતુ ઠંડીમાં તે ઘટી જશે. નાગ દેખાય તો તેને જવા દેવા જોઇએ. તે સીધો કરડતો નથી પણ છંછેડવાથી જો તે ઊભો રહી ગયો તો નિષ્ણાંત વિના હાથમાં નહીં આવે, એવી સલાહ આપતાં તેમણે ઉમેર્યું કે જો કરડી જાય તો તરત આજુબાજુ રૂમાલ બાંધવો જેથી ઝેર આગળ ફેલાય નહીં. હવે 108 એમ્બ્યુલન્સમાં પણ ઈન્જેકશન રાખવામાં આવે છે. 56 વર્ષીય કાંતિભાઇને 20 વર્ષથી આ કુશળતા હાંસલ હોવા ઉપરાંત 26 વાર રક્તદાન પણ કર્યું છે.

સાપ વિશેની અંધશ્રદ્ધા

વનતંત્ર દ્વારા સાપ વિશેની અંધશ્રદ્ધા દૂર કરવા આ પ્રમાણેની માન્યતાનું ખંડન કરી જાગૃતિ ફેલાવાય છે.
■ સાપ ઊડી શકે છે
■ સો વર્ષનું આયુષ્ય હોય છે
■ દૂધ ભાવે છે
■ મારી નાખીયે તો તેનો સાથી બદલો લે છે
■ સાપનું ઝેર ભુવા-તાંત્રિક ઉતારે છે
■ મોરલીની ધૂન પર નાચે છે
■ માથે મણિ હોય છે
■ ઇચ્છાધારી હોય છે, માનવનું સ્વરૂપ લઇ શકે છે.

Saturday, December 12, 2009

ગુજરાતી ભાષા આંતરીક રાજકારણના આટાપાટામાં અટવાઇ

હિન્દી, તમિળ, બંગાળી અને કન્નડ ઓનલાઇન શીખી શકાય, પણ ગુજરાતી નહીં

ByENN,
અમદાવાદ, આજે વિશ્વના ખૂણેખૂણે ગુજરાતીઓના સંતાનો ગુજરાતી નિઃશુલ્ક ધોરણે શીખી શકે એવો એક પણ ઓનલાઇ, ઓફલાઇન અભ્યાસક્રમ ઉપલબ્ધ નથી. પરિણામે વિદેશમાં વસતા લાખો ગુજરાતીઓને પોતાના સંતાનોને ગુજરાતી શીખવું મુશ્કેલ છે.

ગુજરાતી યુનિવર્સિટીના ભાષા વિભાગે 2004માં ગુજરાતીના ઓનલાઇન અને ઓફલાઇન અભ્યાસક્રમ તૈયાર કરવાની દરખાસ્ત મુકી હતી. પરંતુ આઘાતજનક વાત તો એ છે કે, 'ગુજરાતી હોવાનો અમને ગર્વ છે' એવું બોલવામાં સહેજપણ કંજુસાઇ ન કરતા શિક્ષણવિદ્દોએ ફક્ત આંતરિક રાજકારણને સાધવા માટે આ અભ્યાસક્રમની ફાઇલ બે વાર ખોઇ નાખી હતી. પરિણામે અત્યારે નિઃશુલ્ક ઓનલાઇન, ઓફલાઇન ગુજરાતી શીખવાનો અભ્યાસક્રમ ઉપલબ્ધ નથી. ઉલ્લેખનીય છે કે 2005થી ઓનલાઇન તમિળ, હિન્દી, બંગાળી અને કન્નડ ભાષા શીખવાના અભ્યાસક્રમ ઉપલબ્ધ છે પરંતુ ગુજરાતી ભાષા રાજકારણના આટાપાટામાં અટવાઇ છે.

ગુજરાતમાં આવેલા પરપ્રાંતીય ઉચ્ચ સરકારી અધિકારીઓ, બિઝનેસમેન, વિદ્યાર્થીઓ સહિત બહારના રાજ્યોના અનેક લોકો માટે જે તે રાજ્યની ભાષા શીખવી અનિવાર્ય હોય છે. આ માટે ઓનલાઇન, ઓફલાઇન અભ્યાસક્રમ આર્શીવાદરૂપ બને છે. આવી વિવિધ જરૂરિયાતોને ધ્યાનમાં લઇને યુનિવર્સિટીના ભાષા વિભાગે મૈસુરની ભારતીય ભાષા સંસ્થાનના સહયોગથી ઓનલાઇન, ઓફલાઇન ગુજરાતી શીખવાનો અભ્યાસક્રમ તૈયાર કરવાની તત્કાલીન કુલપતિ એ.યુ.પટેલ સમક્ષ દરખાસ્ત મૂકી હતી. જે અંતર્ગત પ્રાથમિક તબક્કે અંગ્રેજી પરથી ગુજરાતી શીખવાનો અભ્યાસક્રમ તૈયાર કરવાનો હતો. આ માટેના રૂ. 16 લાખના ખર્ચમાંથી રૂ. 9 લાખ મૈસુરની સંસ્થા આપવાની હતી. જ્યારે બાકીની રકમ યુનિવર્સિટી અથવા અન્ય કોઇ સંસ્થા પાસેથી લઇ અભ્યાસક્રમ તૈયાર કરવાનું આયોજન હતું. સૂત્રોના જણાવ્યાનુસાર, આ માટે કોઇ નાણાકીય તકલીફ તો હતી જ નહીં. પરંતુ આ અભ્યાસક્રમની આખી ફાઇલ જ બે બે વાર ખોવાઇ ગઇ. આ દરમિયાન અભ્યાસક્રમ તૈયાર કરવાના હતા તે નિષ્ણાતો જ્યારે આ અંગે પૂછપરછ કરતા, તો તેમને જવાબ મળતો કે, વિચારીએ છીએ. એક અભ્યાસક્રમ તૈયાર કરવા માટે પણ રાજકારણ રમતા યુનિ. સત્તાધીશોની આડોડાઇના કારણે આ પ્રોજેક્ટ છેવટે પડતો મૂકી દેવાયો છે.

25 વર્ષની મહેનત બાદ તૈયાર થયો ગુજરાતી ભાષાનો મહાવિશ્વકોશ

25 હજાર પાનાઓ ઉપર સવા કરોડ શબ્દોનો સમાવેશ : ધીરૂભાઇ ઠાકરની મહેનત લેખે લાગી

ByENN,
અમદાવાદ, કોઇપણ ભારતીય ભાષામાં અત્યાર સુધી તૈયાર થયો ન હોય તેવો ગુજરાતી ભાષાનો એક વિશ્વકોષ 25 વર્ષના અથાગ પ્રયત્નો પછી તૈયાર થઇ ગયો છે. 25 વોલ્યુમ ધરાવતાં આ ગુજરાતી વિશ્વકોશનાં 25 હજાર પાનાઓ ઉપર લગભગ સવા કરોડ જેટલા શબ્દો લખવામાં આવ્યા છે. આ શબ્દકોશ બનાવવા પાછળ અઢી કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે અને તેની વેંચાણ કિંમત 15,600 રૂપિયા રાખવામાં આવી છે.

આ વિશ્વકોશ તૈયાર કરનાર 91 વર્ષના ધીરૂભાઇ ઠાકરની વર્ષોની મહેનત કામે લાગી છે. સતત કામ કરવામાં માનતા ધીરૂભાઇ ઠાકરે જણાવ્યું છે કે, શબ્દકોશ તૈયાર કરવાનું મારુ સપનું પુરું થયું છે અને મારા માટે આ એક અનેરો અનુભવ રહ્યા છે જો કે હું હજુ આ બાબતને પૂર્ણવિરામ નહીં ગણું મારું કામ ચાલુ જ રહેશે. ગુજરાત ભલે 1960માં સ્થાપાયું હોય પરંતુ સતત પ્રયત્નો પછી ધીરૂભાઇ ઠાકર 1985માં ગુજરાતી વિશ્વકોશ ટ્રસ્ટની સ્થાપના કરી શક્યા હતા અને આ ટસ્ટ્રમાં અનેક મહાનુભાવોનો સમાવેશ કર્યો હતો. આ શબ્દકોશ તૈયાર કરવા માટે દાતાઓની પણ જરૂર પડી હતી અને સામાજીક અગ્રણી સાકરચંદ પટેલે પ્રથણ દાતા બનવાનું બહુમાન મેળવ્યું છે. ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટી કુમારપાળ દેસાઇના જણાવ્યા અનુસાર આ શબ્દકોશ તૈયાર કરવામાં ઘણી મહેનત થઇ છે અને તેની પાછળ હજારો લોકોની મહેનત કામે લાગી છે. આ શબ્દકોશને ગુજરાતના 50માં જન્મદિવસની ગિફ્ટ ગણી શકાય. પ્રારંભમાં આ શબ્દકોશ માટે 20 વોલ્યુમ તૈયાર કરવાનું પ્લાનીંગ હતું પરંતુ ત્યારબાદ 5 વોલ્યુમ ઉમેરવામાં આવ્યા હતા. આ શબ્દકોશમાં 170 વિષયોને આવરી લેવાયા છે. દેસાઇએ એમ પણ જણાવ્યુ હતું કે, ગુજરાતીઓ માત્ર ધંધો જ કરી જાણે છે તેવું નથી આ પ્રકારના પ્રયાસો પણ તેઓ કરીને સફળતા પ્રાપ્ત કરી શકે છે.

દેશનો સૌથી લાંબો રોપ-વે ગિરનારનો હશે

આ રોપ-વેમાં સૌથી ઓછા પિલ્લર હશે


ByENN,
અમદાવાદ, બહું ગાજેલા અને અઢી વર્ષથી આગળ નહીં વધી શકેલા ગિરનાર રોપવે પ્રોજેક્ટનું કામ ગઇકામથી વિધિવતૃ શરૂ તઇ ગયું હતું. ગઇકાલે રોપવેના ગ્રાઉન્ડ સ્ટેશન માટે ગિરનાર તળેટી પર જમીનનું સંપાદન કરવામાં આવ્યું હતું. જર્મન ટેકનોલોજીથી બની રહેલો ગિરનાર રોપવે સથી ઓછા પિલરવાળો દેશનો સૌથી ઓછા પિલરવાળો દેશનો સૌથી ઓછા પિલરવાળો દેશનો સૌથી લાંબો રોપવે હશે. જુનાગઢના કલેક્ટર અશ્વિનીકુમારે કહ્યું છે કે, ગિરનાર પર્વત પર બનનારા 3911 ફૂટ લાંબા રોપવે માટે ફક્ત 10 જેટલા પિલર બનાવવામાં આવશે. આ દરેક પિલર અંદાજે 391 ફૂટ કેબલ અને ટ્રોલીનું વજન ઝીલશે. જર્મન ટેકનોલોજીને કારણે ઓછા પિલર પર વધુ વજન સહન કરી શકવાની ક્ષમતા ઉભી થશે.

ઓછા પિલરનો ઉપયોગ થવાનો હોવાથી ગિરનાર રોપવે માટે ગિરનાર પર્વત પાસે આવેલા જંગલમાથી હવે ફક્ત 995 મીટર જેટલી જમીનનો દજ ઉપયોગ કરવામાં આવશે. અગાઉ આ પ્રોજેક્ટ માટે રૂ. 2.19 હેક્ટર જંગલની જમીન માગવામાં આવી હતી.

ગિરનાર પર્વત કુલ 3661 ફૂટની હાઇટ ધરાવે છે, પણ જંગલ સલામત રહે એ પ્રકારનો પ્રોજેક્ટ બન્યો હોવાથી ગિરનાર રોપવેની લંબાઇ લગભગ 250 ફૂટ વધી જશે અને એને કારણે આ રોપવે અંદાજે 3911 ફૂટ લંબાઇનો હશે, જે પાવાગઢ પર્વતના રોપવે કરતાં 1586 ફુટ લાંબો છે. રોપવેનું કન્સ્ટ્રક્શન કામ શરૂ થયા પચી જરૂરિયાત મુજબ જે તે સાઇટ પર દર્શનકાર્ય બંધ કરવામાં આવશે. રોપવે પ્રોજેક્ટ માર્ચ - 2011 સુધીમાં પૂરો થઇ જશે.

ગુજરાતી ભાષાનું સંસદીય અપમાન

ByENN,
ભારતના બંધારણે માન્ય કરેલી શેડ્યુલમાં સમાવાયેલી ભાષાઓ પૈકી કોિ પણ ભાષામાં શપથ લઇ શકાય તેવી જોગવાઇ છે છતાં મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાએ રાજ્ય વિધાનસભામાં હિન્દી ભાષામાં સોગંદ લેનારા સંમાજવાદી અબુ આઝમી જોડે હાથોહાથની કરી હતી. કારણ કે રાજ્યના વિધાનસભ્યોએ મરાઠી ભાષામાં જ શપથ લવા જોઇએ તેવી મ.ન.સેના વડા રાજ ઠાકરેની જિદ હતી.

પરંતુ આવો કોઇ આગ્રહ જો ગુજરાતી માટે રખાય, રાજ્યોમાંથી ચૂંટાયેલા સાંસદો ગુજરાતી ભાષામાં સોગંદ લઇ શકે તેમ નથી. એ જ સ્થિતિ કશ્મીરી અને કોંકણી ભાષાની પણ છે.

બંધારણમાં આ ત્રણે ભાષાઓનો માન્યતા આપી હોવા છતાં સાંસદો તે ભાષાઓનો ઉપયોગ કરી શકે તેમ નથી. કારણકે લોકસભા-રાજ્યસભામાં આ ત્રણ ભાઇઓના અનુવાદકો નથી. બંધારણની આઠમી અનુસૂચિમાં શામેલ 22 ભાષાઓમાં ગુજરાતી, કશ્મીરી અને કોંકણીનો સમાવેશ થતો હોવા છતાં ફક્ત 14 ભાષાઓના ભાષાંતરકારો, સંસદના સચિવાલય પાસે હાલ ઉપલબ્ધ છે.

સચિવાલયના કહેવા મુજબ જે તે ભાષાના સાંસદો પાસે માંગણી કરવા છતાં દુભાષિયા મળ્યાં નથી તેથી આ હાલત છે. ગુજરાતી ભાષા પાંચ-પાંચ-પાંચ (પ્રફુલ્લ પટેલ, દિનેશ, ત્રિવેદી સહિત) પ્રધાનો અને 40 ઉપરાંત સાંસદો હોવા છતાં ભાષાનું આવું અપમાન અસ્મિતાના રખેવાળો સહન કરવાની ફરજ સાડા પાંચ કરોડ ગુજરાતીઓને માથે લાદે છે.

પોરબંદરના યુવાનની અનોખી ગાંધીભક્તિ

ByENN,
પોરબંદર, રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના સત્ય અને અહિંસાના સિદ્ધાંતને લોકો સુધી પહોંચાડવા માટે ગાંધીજીની જન્મભૂમિ પોરબંદર ખાતે એક શ્રમજીવી યુવાને ગાંધીજીના સુક્ષ્મ કદના ત્રણ ફોટો આલબમ બનાવ્યા છે. જે પૈકી એક આબલમ વિશ્વનો સૌથી નાનો હોવાનું મનાય છે. આ આલ્બમ આંગળીના નખ જેટલી સાઇઝનો છે.

આજની આધુનિક અને ફાસ્ટ જીંદગીમાં લોકો પોતાની દોડધામમાં ગાંધીજીના સાહિત્ય વાંચવા ન હોવાથી તેઓ રાષ્ટ્રપિતાના સિદ્ધાતોથી અપરિચિત હોવાનું માનીને પોરબંદરના શ્રમજીવી જયેશભાઇ હિંગળાજીયાએ ગાંધીજીના વિચારો લોકો સુધી પહોંચાડવા માટે અભિયાન શરૂ કર્યું હતું. તેમણે ગાંધીજીના જન્મની લઇને તેમના નિધન સુધીના તમામ ફોટોગ્રાફ, એકઠાં કરીને નાના-નાના કદના ત્રણ ફોટો આલબમ તૈયાર કર્યા છે. 251 ફોટાનો બે બાય ત્રણ ઇંચનો આબ્લમ, 65 ફોટાનો એક બાય એક ઇંચનો આલ્બમ તથા અતિ સુક્ષ્મ એવા 54 ફોટોગ્રાફનો માત્ર આઠ બાય બાર મિ.મી. સાઇઝનો આલ્બમ બનાવીને શ્રમજીવીએ વિશ્વમાં ગાંધીજીના સૌથી ટયૂકડા ફોટો આલ્બમનું સર્જન કર્યું છે. ગાંધીજીના અનોખા ચાહક જયેશભાઇએ અનેક વખત ગાંધીજી જેવો જ પહેરવેશ ધારણ કરીને કલાકો સુધી પૂતળાની માફક ઊભા રહેવાના રેકોર્ડ તેમણે સ્થાપ્યા છે. આ ટચૂકડા આલબમને જયેશ કીર્તિમંદિરને ભેટમાં આપશે.

ગુજરાત કન્યા કેળવણીમાં હજૂ પણ પાછળ

ગુજરાતમાં કન્યા કેળવણીની ટકાવારીના આંકડા 54 ટકાથી આગળ વધતા જ નથી

કન્યા કેવળણીમાં ગુજરાત કરતા પડોશી મહારાષ્ટ્ર 68 ટકા, કેરળ 94 ટકા, પંજાબ 60 ટકા તામીલનાડુ 65 ટકા, પં.બંગાળ 60 ટકા સાથે આગળ

By ENN,
'એક ભણેલી માતા સારા શિક્ષકની ગરજ સારે છે' એવી ઉક્તીથી ગુજરાતમાં કન્યા કેળવણીની પરિસ્થિતિ વિપરીત છે. રાજ્યની 25 જિલ્લાઓની અક્ષરજ્ઞાનની પરિસ્થિતિ જોઇએ તો માત્ર 11 જિલ્લાઓમાં રાજ્યની કન્યાઓ સાક્ષરતાની સપાટી ઉપર છે. કન્યા કેળવણી અંગે રાજ્ય સરકાર દ્વારા વારવાર કરાતી જાહેરાતો છતાં, શહેરી વિસ્તારો જ્યાં વધુ છે એવા જિલ્લાઓમાં કન્યાઓનું શિક્ષણ સરેરાશની ઉપર છે. જિલ્લાઓની વાસ્તિવકતા જોઇએ તો રાજ્યના આદિવાસી જિલ્લાઓમાં સૌથી તળિયે દાહોદમાં 45 ટકા છે. ભારતની કન્યા કેળવણીની 54 ટકા કરતાં 9 ટકા ઓછી છે. જોકે ગુજરાતમાં કન્યા કેળવણી 58 ટકા છે.

ઘરકામ, ઢોર ચરાવવા જવું, નાના ભાઇ-બહેનોની સંભાળ રાખવા, ખેતરના કામમાં જોતરાવું, સામાજીકિ રીતિ રિવાજો અને નાની ઉંમેર લગ્ન સહિતના વિવિધ પ્રશ્નોને કારણે રાજ્યના 63 ટકા ગામડામાં રહેતા પરિવારો દીકરીને અધ વચ્ચે શાળામાંથી ભણાવાનું છોડાવી દે છે.

દેશના અન્ય રાજ્યોની સરખામણી કરીએ તો કન્યા કેળવણીમાં ગુજરાત છઠ્ઠા નંબરે છે. જ્યારે પ્રથમ નંબરે કન્યા કેળવણીમાં કેરળ 68 ટકા સાક્ષરતા ધરાવે છે. દેશમાં સૌથી નીચો કન્યા કેળવણી ધરાવતો પ્રદેશ બિહાર છે. બિહારમાં માત્ર 34 ટકા કન્યા કેળવણી છે. મહત્વના કન્યા કેળવણી ધરાવતા રાજ્યોમાં કેરળ (94 ટકા), મહારાષ્ટ્ર (68 ટકા), તામીલનાડુ (65 ટકા), પંજાબ (60 ટકા) અને પશ્ચિમ બંગાળમાં (60 ટકા) છે. જ્યારે ગુજરાતમાં કન્યા કેળવણીનો દર માત્ર 54 ટકા છે.

દેશમાં અક્ષરજ્ઞાન મળે અને નિરક્ષરતા નાબુદ થાય એ માટે ચાલતા કાર્યક્રમોના સંકલનના અભાવે યોજનાઓ ફળીભૂત થતી નથી. રાજ્યની પ્રાથમિક શાળાઓમાં વિદ્યાર્થીઓની હાજરી ટકી રહે અને ઓછામાં ઓછું દરેક બાળક 7 ધોરણ સુધીનું પ્રાથમિક શિક્ષણ મેળવે એ હેતુથી ગુજરાતમાં સૌથી પ્રથમ માધવસિંહ સોલંકીની સરકારે મધ્યાહન ભોજન યોજના શરૂ કરી હતી પણ વહીવટી આંટીઘૂંટીઓ, શિક્ષણનો વ્યાપ વધે એ માટેની રાજકીય ઇચ્છા શક્તિ (પોલીટીકલ વીલ પાવર) ને શિક્ષકો તથા રાજકારણીઓની ઉધાસીનતાને લઇ યોજના પૂરેપૂરી સફળ થઇ નથી. કન્યા કેળવણી સાથે શિક્ષણનો સરેરાશ દર વધે એ માટે સર્વ શિક્ષા અભિયાન, રાષ્ટ્રીય નિષ્ફળ રહ્યાનું રહ્યાનું કહી શકાય. 'સા વિદ્યા યા વિમુક્તયે' (અર્થાત જે મુક્તિ અપાવે તે વિદ્યા) નો આપણી પુરાતન સંસ્કૃતિનો સંકલ્પ સાકાર કરવા અને સાચા અર્થમાં તમામને શિક્ષણ અને વિશેષમાં કન્યાઓમાં શિક્ષણનું સ્તર વધારવા સમાજના તમામ લોકોએ સહિયારો પુરૂષાર્થ કરવો અનિવાર્ય છે.

Thursday, December 10, 2009

ગુજરાતની શાળાઓમાં કન્યાઓની અને શિક્ષિકાઓની અછત

By ENN,
અગિયારમી નવેમ્બર એટલે રાષ્ટ્રીય શિક્ષણ દિવસ. ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામના અગ્રણી સેનાની અને દેશના સૌપ્રથમ શિક્ષણ પ્રધાન શ્રી મૌલાના અબ્દુલ કલામ આઝાદની સ્મૃતિમાં આ દિવસ શિક્ષણને સમર્પિત છે. દેશ સાથે ગુજરાતે પણ સૌપ્રથમવાર શિક્ષણ દિવસની ઉજવણી કરી. આપણા રાજ્યમાં અક્ષરજ્ઞાનનું પ્રમાણ વધારવા અને શિક્ષણ સૌને સુલભ બને એ માટે સરકાર અને સમાજ અનેકવિધ પ્રયત્નો કરે છે. આ દિશામાં થયેલી કામગીરી ખાસ કરીને ગુજરાતની કન્યાઓ અને મહિલાઓના જીવનમાં કેવું અને કેવું અને કેટલું પરિવર્તન લાવી શકી છે તેના લેખાંજોખાં આજે કરીએ તો અવશ્ય ફળદાયી નીવડશે. વર્ષ 2001ની વસ્તી ગણતરીને ઠીક ઠીક સમય પસાર થયો હોવા છતાં તે આંકડાને આધારરૂપ ગણીએ તો ગુજરાતમાં પુરુષો અને મહિલાઓ વચ્ચેની શૈક્ષણિક અસમાનતાને સમજી શકાશે. આ માહિતી પ્રમાણે ગુજરાતમાં મહિલાઓમાં વાંચતાં, લખતાં આવડતું હોય તેનું પ્રમાણ 57.80 ટકા હતું. તેની સામે પુરુષોમાં આ પ્રમાણ 79.66 ટકા નોંધાવ્યું હતું.

શિક્ષણના સંદર્ભમાં આપણા ગુજરાતમાં પ્રાદેશિક તફાવતો આંખે ઉડીને વળગે એવાં છે. રાજ્યના 13 જિલ્લાઓમાં એટલે કે અડધોઅડધ ગુજરાતમાં મહિલા સાક્ષરતાનું પ્રમાણ રાજ્યની સરેરાશથી ઠીક ઠીક ઓછું હતું. તેનો અર્થ એ થયો કે આજે પણ આપણા પ્રદેશમાં 40 ટકાથી વધુ મહિલાઓને વાંચતા લખતાં આવડ્યું નથી. આશા છે કે વર્ષ 2011ની વસ્તી ગણતરીના આંકડા પ્રકાશિત થશે ત્યારે આ પરિસ્થિતિમાં નોંધપાત્ર સુધારો થયો હશે.

એક તરફ સાક્ષરતાનું પ્રમાણ આજે પણ સ્ત્રીઓ અને પુરુષો વચ્ચેની અસમાનતાને વ્યક્ત કરે છે. તો બીજી તરફ શાળામાં ભણતા કિશોર-કિશોરીઓ વચ્ચે પણ ખાસા તફાવતો સર્જાયા છે. આજથી એક દાયકા પૂર્વ એટલે કે વર્ષ 2000માં રાજ્યની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ભણતા વિદ્યાર્થીઓમાં કન્યાઓનું પ્રમાણ 40.66 ટકા વર્ષ 2007ની ગણતરી સરકારી માહિતી પ્રમાણે તેમાં નજીવો વધારો થઈને માત્ર 41.12 ટકાએ પહોંચ્યું છે. અહીં એ બાબત પર ધ્યાન દોરવું અનિવાર્ય છે કે ગુજરાતની કુલ મહિલાઓમાં 40 ટકા અભણ છે. તો તેના સમાંતર 12 વર્ષથી 17 વર્ષ સુધીમાં સમાવિષ્ટ કન્યાઓમાં અડધો અડધ કન્યાઓ બારમું ધોરણ પાસ કરીને કોલેજના પગથિયે પહોંચી શકતી નથી. આ છેવાડે રહી ગયેલી એકવીસમી સદીનો ગુજરાતી કન્યાઓ ક્યાં તો ખેતરોમાં કે કારખાનામાં કામ કરે છે અથવા તો નાની ઉંમરે લગ્ન થવાથી ગૃહસ્થીમાં સામેલ થઈ જાય છે.

આપણી શાળાઓના વર્ગખંડોમાં કન્યાઓની હાજરીમાં ધીમો વધારો થાય છે, પરંતુ તેઓ શિક્ષણના ક્યા ક્ષેત્રમાં ભણે છે તે હકીકત સમજવાથી કન્યા કેળવણીનું ચિત્ર વધુ સ્પષ્ટ અને ગંભીર બને છે. સરકારના શિક્ષણ વિભાગની વર્ષ 2007ની માહિતી તપાસીએ તો રાજ્યની શાળાઓના બારમા ધોરણમાં કુલ 110925 કન્યાઓ ભણતી હતી. તેમાંથી મહંદ અંશે એટલે કે 72 ટકા માત્ર વિનયન (આર્ટસ) વિદ્યાશાખામાં નોંધાઈ હતી. વાણિજ્ય અને વિજ્ઞાન વિદ્યાશાખાઓમાં આ પ્રમાણ અનુક્રમે 16 ટકા અને માત્ર 6 ટકા જ હતું.

આપણે જોયું કે કિશોરાવસ્થા દરમિયાન ભણતરના મુદ્દે છોકરાં અને છોકરીઓમાં અસમાનતા છે પરંતુ આ વિદ્યાર્થીઓને ભણાવવા શિક્ષકોમાં પણ સ્ત્રી પુરુષના સંદર્ભમાં આપણે સમાનતા લાવી શક્યા નથી. લેખમાં દર્શાવેલ માહિતીમાં એક હકીકતમાં દીવા જેવી સ્પષ્ટ થઈ કે કોલેજમાં પ્રવેશતા પહેલાં બારમા ધોરણમાં મોટાભાગના વિદ્યાર્થીઓ અને તેમાં પણ કન્યાઓ આર્ટસ વિદ્યાશાખામાં જ ભણી શકે છે. તેના કારણે વ્યવસાયલક્ષી આજીવિકા કે નોકરી માટે તેઓના દરવાજા બંધ થઈ જાય છે. પરિણામે વિશેષ રૂપે છોકરીઓને શિક્ષિકા બનાવવાનું વલણ રાખવું પડે છે. પ્રાથમિક શાળાઓમાં શિક્ષિકાઓનું પ્રમાણ ઉતરોત્તર વધતું જાય છે. પરંતુ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં પુરુષ અને સ્ત્રી શિક્ષિકાની સંખ્યામાં મોટું અંતર સર્જાયું છે.

લેખના કોઠામાં વર્ષ 2006-07 દરમિયાન શિક્ષકોની જિલ્લાવાર માહિતી પ્રમાણે રાજ્યમાં 76054 શિક્ષકો હતા. તેમાં મહિલા શિક્ષકો માત્ર 20413 (27ટકા) હતી. આ તફાવત તમામ જિલ્લાઓમાં જોવા મળે છે. આજે રાષ્ટ્રીય શિક્ષણ જોવા મળે છે. આજે રાષ્ટ્રીય શિક્ષણ દિવસે આપણને એટલો અહેસાસ તો અવશ્ય થવો જોઈએ કે સ્ત્રી સશક્તિકરણને વાસ્તવિકતા બનાવવી હશે તો કન્યાઓ અને શિક્ષિકાઓ બંનેને પુરુષ સમોવડી તક અને સવલતો આપવી પડશે. અહીં એ પણ નોંધવું રહ્યું કે નવી પેઢીને કેળવવાના પ્રશ્ને આપણી પાસે શિક્ષિકાઓનું આટલું મર્યાદિત પ્રમાણ છે અ હકીકત અનેક પ્રશ્નો સર્જશે. કન્યાઓ શાળામાં ભણતી હોય એ સમયે તેઓના શૈક્ષણિક, માનસિક, શારીરિક કે અન્ય પ્રશ્નોને સમજવા અને તેનો ઉકેલ લાવવામાં મહિલા શિક્ષકો અગત્યની ભૂમિકા ભજવી શકે એમ છે. બનાસકાંઠા જિલ્લામાં તો માત્ર 12 ટકા શિક્ષિકાઓ છે. આ પરિસ્થિતિમાં તાત્કાલિક બદલાવ આવવો જોઈએ. કચ્છ અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં પણ આ સંદર્ભનો તફાવત આપણે મહિલાઓને શિક્ષિત કરવામાં ક્યાં ઉભા છીએ એ સ્પષ્ટ કરે છે. શિક્ષણના ક્ષેત્રે હાંસિયામાં ધકેલાતી ગુજરાતણ પ્રશ્ન કરે છે.

Monday, December 7, 2009

વર્તમાન પાલનપુર અગાઉ પાતાલનગર નામે વિખ્યાત બંદર હતું..!

By ENN,
પાલનપુર,
આપ માનો યા ન માનો પરંતુ આ નરી વાસ્તવિક્તા છે કે હાલના નવાબી પાલનપુરના વર્ષો જુના ઈતિહાસમાં પાતાલનગરના અવશેષો ધરબાયેલા છે અર્થાત્ વર્તમાન પાલનપુરની જગ્યાએ હજારો વર્ષ પૂર્વે પાતાલનગર નામનું બંદર હતું જે નાગ જાતિના લોકોએ વસાવ્યું હતું જો કે આ હકીકત કોઈ માનવા તૈયાર થાય નહીં પરંતુ આજ એક વાસ્તવિક્તા હોવાનો દાવો કરી પાલનપુરના પ્રો. યશવંત રાવલે તેમના સંશોધનામિક પુસ્તક પાતાલનગર પાલનપુર મા દસ્તાવેજી પુરાવાઓ નો આધાર રજુ કરતા પીંઢ ઈતિહાસવિદો પણ માથુ ખંજવતા થઈ ગયા છે.

પાલનપુરથી જી.ડી.મોદી કોલેજ ઓફ આર્ટ્સના પૂર્વ પ્રોફેસર અને સંશોધનામિક લેખક પ્રો. યશવંત રાવલના પુસ્તક પાતાલનગર પાલનપુર નામના પુસ્તકે પાલનપુરીઓને વિચારતા કરી મુક્યા છે. પાતાલનગરનો ઉલ્લેખ પ્રાચીન ગ્રંથો સાહિત્યમાં ઘણીવાર થયો છે. પણ આજ સુધી આ નગર પશ્ચિમ સમુદ્રકાંઠે ક્યા વિસ્તારમાં હતુ તેની ભાળ મળી નથી. જો કે પ્રસ્તુત પુસ્તકમાં દસ્તાવેજ પુરાવાઓ દ્વારા લેખકે પુરવાર કર્યું છે કે આ નગર લગભગ વૈદિક કાળમાં વર્તમાન પાલનપુરની જગ્યાએ હતું.

સમયના વહેણ સાથે કુદરતી આયદાઓ જેવી કે ભયાનક ભુકંપો, જ્વાળામુખી, વિસ્ફોટો, સામુદ્રિય જળ પ્રલયો અને ભૂર્ગભીય હલચલોને કારણે જમીનનું સ્તર ઉંચું આવતા સમુદ્ર ક્રમશઃ ડીસા, થરાદ, માવસરી, બેણાપ, સુઈગામ, પાટણ, વારાહી જેવા સ્થળો તરફ દુર જતો ગયો. આજે પણ આ સ્થળોએ ભુતકાળમાં સમુદ્ર હતો તેવા ચિહ્નો સાંપડે છે. સ્થાનિકલ દંતકથાઓમાં અને મધ્યકાલિન સમયે લખાયેલી સચિત્ર હસ્તપ્રતમાંથી પુરાવા સાંપડે છે. પુરાતત્વના સમયે વિદ્વાનોએ રીમોટ સેન્સીંગ ડેટાનો અભ્યાસ કરી ઉપગ્રહીય તસ્વીરો લઈ આ બાબતોની ચકાસણી કરી પુરવાર પણ કર્યું છે. સ્કંદ પુરાણ પાતાલનગર આબુ પર્વત નજીક હતુ તેવો નુર્દેશ આપે છે. પાતાલનગરમાં જવું મુશ્કેલ હતું કેમ કે અરવલ્લીના પર્વતો, જંગલો, હિસંક પશુઓનો ભય વગેરે કારણે જઈ શકાતુ ન હતું. પાતાલનગર જવાના સ્કંદ પુરાણે બે માર્ગો દર્શાવ્યા છે (1) ઉત્તરમાંથી આબુ પર્વતના માર્ગે અને (2) પશ્ચિમમાં જ્યાં સિંધુ અને સરસ્વતીના જળપ્રવાહો સમુદ્રને મળતા હતા બે નદીઓનાં માર્ગે આ પ્રવેશ અધોભૂળન-પાતાલ લોક કહેવાતા હતા. જ્યાં વેદકાલીન નાગ-પ્રજા આવીને વસેલી જે સમુદ્રકાંડ બંદરો હીરા વિદેશો સાથે વેપાર કરતી હતી.

પાલનપુરમાં પાતળેશ્વરનું શિવાલય નાળોમાં ઈષ્ટદેવ છે જે પાતાલનગરનો પુરાવો પણ જોવા મળે છે. નાગોની ઓળખ અને શ્રદ્ધાનું પ્રતિક એવા નાગ પ્રતીકો પાતલેશ્વરમાં બચી ગયેલા આજે પણ જોવા મળે છે. પ્રસ્તુત પુસ્તકમાં લેખકે ભુસ્તરીય ભૌગોલીક અને પુરાતક્ષીય આધારો આપી આ ખોવાઈ ગયેલા નગરનું એડડસ પગેરૂ શોધી કાઢ્યું છે. લોથલ એક બંદર હતું લોથલથી સમુદ્ર આજે કેટલો દુર થઈ ગયો ? એવું જ પાતાલનગર વિશે બન્યું છે. નાશ પામેલા અવશેષો પર કરી પ્રહલાદનગર પાલનપુર વસ્યુ હોવાથી આ પ્રાચીન નગરના પુરાવા પણ નાશ પામી ગયા એટલે જ હજી સુધી શોધાતું ન હતું. હાલનું નવાબનું પાલનપુર અગાઉ રાજા પ્રહલાદ દવે વસાવેલું પ્રહલાદનગર હોવાના ઈતિહાસ વચ્ચે હવે વૈદિક કાળમાં અહીં પાતાલનગર હોવાનું પુરવાર કરતું સંશોધનમાં પ્રસ્તુત પ્રસિધ્ધ કરીને પ્રો. યશવંત રાવલે પીઢ ઈતિહાસ વિદોને પણ વિચારતા કરી મુક્યા છે.

નોન સ્ટોપ 30 કિ.મી. દોડતો ગુજરાતી બુધિયો

By ENN,
મેઘરજ,
સાત વર્ષ પહેલાં લોરેન્સ ડામોર નામના સૈનિકને ત્યાં જન્મ લેનાર માઈકલ નામનો ગુજરાતી બાળક ઓરિસ્સાના જાણીતા દોડવીર બુધિયા જેટલી જ દોડવાની ક્ષમતા ધરાવે છે. સાબરકાંઠા જિલ્લાના જેસીંગપુર નામના ખોબા જેવડા ગામમાં રહેતો દોડવીર માઈકલ હાલ બીજા ધોરણમાં અભ્યાસ કરે છે. આ બાળક રોજ કોઈપણ જાતના વિશ્રામ વગર સતત 30 કીમી દોડે છે. દોડનું લક્ષ્યાંક પૂરું થયા પછી માઈકલને હાંફ ચઢતી નથી, દોડ દરમિયાન પાણી પણ માગતો નથી. ત્રણ વર્ષનો હતો ત્યારથી જ માઈકલને તેના સૈનિક પિતાએ દોડવાની તાલીમ આપવાની શરૂઆત કરી હતી. પ્રેક્ટીસ દરમિયાન જ પુત્ર અસાધારણ પ્રતિભા ધરાવતો હોવાનો ખ્યાલ આવી જતાં પિતા લોરેન્સે માઈકલ પર પોતાનું સમગ્ર ધ્યાન કેન્દ્રીત કર્યું હતું. લોરેન્સે જ્યારે ભોપાલ ખાતે ફરજ બજાવતા હતા ત્યારે માઈકલની આ વિશિષ્ઠતાને બિરદાવવા મધ્યપ્રદેશના રાજ્યપાલે તેનું સન્માન પણ કર્યું હતું.

અમદાવાદના 12,000થી વધુ હેરિટેજ મકાનો જોખમમાં

અમદાવાદના હેરિટેજ વિભાગ પાસે કોઈ માહિતી નથી

By ENN,
અમદાવાદ,
અમદાવાદની પોળમાં આવેલા હેરિટેજને સાચવવા માટે રાખવામાં આવેલા મ્યુનિ. ના હેરિટેજ ડિપાર્ટમેન્ટ પાસે હેરિટેજ મકાનો વિશે કોઈ વિગતો જ કે સત્તા ન હોવાનું જાણવા મળ્યું છે. હાલમાં અમદાવાદમાં કોઈપણ જુનું હેરિટેજ મકાન તૂટે કે વેચાય તેની કોઈ જાણ હેરિટેજ વિભાગને હોતી નથી. અમદાવાદના શોભાના ગાંઠિયા જેવા હેરિટેજ ડિપાર્ટમેન્ટનો આ બાબતે સંપર્ક કરાતાં તેમણે શહેરના 12,000થી વધુ હેરિટેજ મકાનોની વિગત હોવાનું જણાવ્યું હતું જોકે આજ વિભાગે આરટીઆઈ અરજીમાં આવી કોઈ માહિતી ન હોવાનો એકરાર કર્યો છે.

રાજ્યમાં આવેલા હેરિટેજને બચાવવા માટે ગુજરાત સરકારે બે વર્ષ પહેલા ગેઝેટમાં અર્બન ડેવલપમેન્ટ એન્ડ અર્બન હાઉસિંગ ડિપાર્ટમેન્ટ અંતર્ગત નોટિફિકેશન બહાર પાડ્યું હતું. જે અંતર્ગત હેરિટેજ રેગ્યુલેશન્સને લિસ્ટ કરવામાં આવ્યા હતાં. આ રેગ્યુલેશન્સમાં હેરિટેજની અંદર આવતા કોઈપણ મકાન કે મિલકતના રીપેરિંગ કે રીડેવલપમેન્ટ માટે જે તે સત્તાની મંજૂરીની વાત કરવામાં આવી હતી. આ માટે જે તે સ્થાનિક સત્તાએ સરકાર દ્વારા નિયુક્તિ હેરિટેજ કન્ઝર્વેશન કમિટીનો અભિપ્રાય લઈને કાર્યવાહી કરવાની વાત હતી. હેરિટેજને કોમર્શિયલ કામની મંજૂરીથી લઈને તેની સાચવણી અંગે વિવિધ ઈન્સેન્ટીવની વાત પણ તેમાં કરવામાં આવી હતી. જોકે ગેઝેટમાં આ બાબત પ્રકાશિત થયાને બે વર્ષ બાદ આજે અગિયાર સભ્યોની હેરિટેજ કમિટીના કોઈ ઠેકાણા નથી, જેથી અમદાવાદની પોળ સંસ્કૃતિ સામે ભારે જોખમ ઊભું થયું છે.

આ બાબતે અમદાવાદ મ્યુનિ. ના હેરિટેજ પ્રોગ્રામના એડવાઈઝર દેબાશિષ નાયકને પૂછાતાં તેમણે ગોળગોળ જવાબો આપ્યા હતાં. તેમણે જ્ણાવ્યું હતું કે, અમે પોળના મકાનોની સાથે સાથે આખી સંસ્કૃતિ બચાવવા પ્રયત્નશીલ છીએ. પોળમાં આજે કોઈ છોકરી આપવા તૈયાર નથી તે વાતને અમે બદલવા માંગીએ છીએ. કેટલાંક કુટુંબો પોળ છોડીને જવાના હતાં. પણ અમારા પ્રયત્નોને કારણે તેમને હવે પોળમાં રહેવું ગમે છે. દેબાશિષ નાયકને હેરિટેજ વિભાગની સત્તાએ અંગે પૂછાતાં તેમણે જ્ણાવ્યું કે, અમારી પાસે કોટ વિસ્તારના 60,000 મકાનોમાંથી 12,000 મકાનોની વિગતો છે. મ્યુનિ. એ આ મકાનો હેરિટેજ મકાનો છે. આ મકાનોના રિપેરીંગની અરજી આવે ત્યારે અમે તેની સ્ક્રૂટીની કરીએ છીએ. પોળમાં તૂટતા જતાં મકાનો અંગે હેરિટેજ વિભાગ શું કરે છે તેવું પૂછાતાં તેમણે જ્ણાવ્યું હતું કે, લોકો ધીરે ધીરે જાગૃત થઈ રહ્યા છીએ. આ વિશે સરકારે હેરિટેજ નીતિ બનાવી છે તેનો અમલ ટૂંક સમયમાં શરૂ થશે. આ નીતિ હેઠળની હેરિટેજ કન્ઝર્વેશન કમિટી જો સક્રીય બને તો જ હરિટેજ જાળવણી અંગે મજબૂત પગલાં લઈ શકાય તેમ છે.

મ્યુનિ. ના હેરિટેજ વિભાગની બે મોંઢાની વાત

અમદાવાદ,
અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના હેરિટેજ વિભાગની સત્તાઓ અંગે થોડા સમય અગાઉ એક જાગૃત નાગરિકે રાઈટ ટુ ઈન્ફર્મેશન હેઠળ અરજી કરતાં કેટલીક ચોંકાવનારી હકીકતો બહાર આવવા પામી છે. અરજીના જવાબમાં મ્યુનિ. કોર્પોરેશનની હદમાં કેટલી હેરિટેજ બિલ્ડિંગો છે તેની માહિતી ન હોવાનો મ્યુનિ. એ સ્વીકાર કર્યો છે. હેરિટેજ મકાનો કેટલા વર્ષ જૂના છે, તેના માલિકો કોણ હતાં, છેલ્લા 3 વર્ષમાં થોડા સમય પહેલાં મ્યુનિ. ઝોનમાં કેટલા હેરિટેજ મકાનો ખરીદાયા, વેચાયા, ખરીદનારના નામ વગેરે કોઈ વિગતો હેરિટેજ વિભાગ પાસે નથી. હેરિટેજના મકાનોને તોડી પાડવાની જાણ પણ હેરિટેજ વિભાગને કરાતી ન હોવાનો વિભાગે સ્વીકાર કર્યો છે. આમ મ્યુનિ. ના એક જ વિભાગના બે અધિકારીઓ અલગ-અલગ વાત કરી રહ્યા છે.

કદાચ સમગ્ર વિશ્વમાં એકમાત્ર બહુચરાજી મંદિરને ''ગાર્ડ ઓફ ઓનર'' અપાય છે.

દેશભરમાં એકમાત્ર ગુજરાતના મંદિરની અનોખી પરંપરા: 240 વર્ષોથી ચાલી આવતી રસમ

By ENN,
અમદાવાદ,
સમગ્ર દેશમાં એકમાત્ર ઉતર ગુજરાતમાં આવેલું બહુચરાજી માતાનું મંદિર આવેલું છે કે, જેમાં માતાજીને ગાર્ડ ઓફ ઓનર પોલીસ દ્વારા આપવામાં આવે છે. એટલું જ નહિ વર્ષમાં બે વાર માતાજીની પ્રતિમાને નજીકના શંખલપુર ગામે લઈ જવાય છે. ત્યારે પણ માતાજી માટે ભરી બંદુકે પોલીસને ચોકી પહેરો ગોઠવાયેલો હોય છે. રાજા રજવાડાંના જમાનામાં જે પ્રકારનું માનસન્માન રાજા મહારાજાને અપાતું હતું તે જ પ્રકારનું સન્માન આજે પણ બાલા બહુચર ગણાતી મા બહુચરાજીને આપવામાં આવે છે.

સામાન્ય રીતે દર વર્ષે ચૈત્રી પૂનમે તથા આસો મહિનાની પૂનમે માતાજીને ગાર્ડ ઓફ ઓનર આપીને શંખલપુર ગામે લઈ જવાય છે. ત્યાં રાત્રીના એક દોઢ વાગ્યા સુધી માતાજી શયનખંડમાં વિશ્રામ કરે છે અને તે પછી ત્યાંથી ભક્તો વિશ્રામ કરે છે અને તે પછી ત્યાંથી ભક્તો સાથે પરત ફરે છે. એવી દંતકથા પ્રવર્તે છે કે, માતાજીએ આ વિસ્તારના લોકોને પજવાતા બગાસુર નામના રાક્ષસનો સંહાર કર્યો હતો. ત્યાર બાદ શંખલપુર ગામ ખાતે વિશ્રામ કરવાની પરંપરા સર્જાઈ છે.

માતાજીની બાદીના દસ મહિનાની દસેય પૂનમે તેમજ ચૈત્રી અને આસો મહિનાની નવરાત્રીની આઠમે પાલખી નીકળે છે. જે ગામમાં પ્રદક્ષિણા કરીને માન સરોવર ઉપરથી પરત ફરે છે. તેવી જ રીતે દશેરાનાં દિવસે માતાજીની પાલખી નજીકમાં આવેલા બેચર ગામના એક શમીના વૃક્ષ સુધી લઈ જવાય અને ત્યાંથી મોડેથી પરત ફરે છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં વડોદરામાં વડોદરાનાં મહારાજનું રાજ અને આણ પ્રવતર્તી હતી, તે પહેલાં એટલે કે, છેલ્લા 240 વર્ષથી માતાજીને ગાર્ડ ઓફ ઓનર દ્વારા માન-સન્માન આપવાની ઐતિહાસિક ભવ્ય પરંપરા ચાલી આવે છે.

પતંગ ચડાવવી એટલે બિનજામીની ગુનો !


By ENN,
ફટાકડાની સીઝન પૂરી... પતંગ ચગાવવાની મોસમ ઢૂકડી છે. ગુજરાતમાં તો મકરસંક્રાંતિ પાછળ પ્રજા ઘેલી છે પણ ચેન્નઈમાં આવું ઘેલાપણું જેલભેગા કરી શકે છે. હા, ચેન્નઈમાં રહેણાંક વિસ્તારોમાં પતંગ ચગાવવી એ બિનજામીન ગુનો બનશે, પતંગ દોરાથી સર્જાતા જોખમો ધ્યાને લેતા સલામતી ખાતર રૂ. 1000નો દંડ અને ત્રણ માસ સુધીની કેદ સુધી જોગવાઈ કરી છે.

કાચની ભૂકીથી પાયેલા દોરાનો ઉપયોગ કરનાર સામે પણ આવી સખત કાર્યવાહી કરવાનો હુકમ પોલીસે બહાર પાડ્યો છે. આમ તો વર્ષ 2007 થી જ ચેન્નઈમાં જાહેરસ્થળો પર પતંગ ઉડાવવા સામે પોલીસે પ્રતિબંધ લાદેલો છે. પણ અત્યાર સુધી માત્ર 150 રૂપિયાનો દંડ વસૂલી ગુનેગાર ને છોડી મુકાતો હતો હવે નવા કાયદા મુજબ પોલીસ માંજા વેચનારાને ત્યાં દરોડા પાડીને ધરપકડ પણ કરી શકાશે.

દેશના 300 ભયજનક શહેરોમાં ગુજરાતનાં સુરત અને જામનગરનો સમાવેશ
By ENN,
અમદાવાદ,
ભારતના 300 જયજનક શહેરોની યાદીમાં રાજ્યના સુરત અને જામનગરનો સમાવેશ કરવામાં આવ્યો છે. નેશનલ ડીઝાસ્ટર મેનેજમેન્ટની મળેલી આઈ.એ.એસ. અધિકારીની બેઠકમાં ગુજરાતના બે શહેરોની પસંદગી કરવામાં આવ્યાની માહિતી જિલ્લા કલેકટરાલયમાંથી પ્રાપ્ત થઈ છે.

નેશનલ ડીઝાસ્ટર મેનેજમેન્ટ બેઠકમાં સુરતના કલેકટર દિલીપ રાવલ અને જામનગરના કલેકટર હાજર રહ્યા હતા. પહોંચી વળવા એકશન પ્લાન પણ બનાવવામાં આવ્યો હતો.

કુદરતી, કૃત્રિમ કે અકસ્માતના કારણે આવનારી આફતો ધરાવતા દેશના 300 શહેરોમાં સુરતની પણ ગણતરી કરવામાં આવી છે. સુરત શહેરના નજીક આવેલા હજીરા ઔધોગિક એકમોમાં ગેસ સહિતના જવલનશીલ ઉત્પાદનો ઉપરાંત જિલ્લાના અણુમાલા ખાતે કાર્યરત અણુ ઉર્જા મથક, નેશનલ હાઈવે નંબર-8 ઉપર અમદાવાદ- મુંબઈ- દિલ્હી વચ્ચે ચાલતા ટ્રાન્સ-ર્પોટેશનમાં વહન થતા ઉત્પાદનો તાપીમાં દર ચાર વર્ષે આવતું પુર, દરિયા કાંઠાની સહિતની સમસ્યાઓને સાંકળીને સુરતનો ભયજનક શહેર તરીકે સમાવેશ કરાયો છે. સુરતનો ભૌગોલિક પરિસ્થિતિને પણ ધ્યાને લેવામાં આવી છે. સુરતના હજીરાપટ્ટામાં આવેલા મહાકાય ઓ.એન.જી.સી., ગેઈલ, સેલ, રીલાયન્સ સહિતના એકમોને કારણે ગમે ત્યારે કુદરતી કે કૃત્રિમ હોનારત સર્જાઈ શકે હજીરાના દરિયા કાંઠાને કારણે ગમે ત્યારે તોફાનો આવી શકે તથા દરિયાઈ સવારી વધવાના કારણે કાંઠાના ગામોમાં મુશ્કેલી સર્જાઈ શકે તેમ છે.

નેશનલ હાઈવે આંઠ પર મુંબઈ-અમદાવાદ વચ્ચેના વાહન વ્યવહારમાં ગેસ, પેટ્રોલ, કેમીકલ સહિતનું ટ્રાન્સર્પોટેશન પણ હોનારતનું કારણ બની શકે તેમ છે. જ્યારે જિલ્લાના કાકરાપાર ખાતે અણુ ઉર્જા એકમમાં કુદરતી કે માનવ સર્જીત પ્રકોપની શક્યતાઓ બેઠકમાં દર્શાવાઈ હતી. સુરતની ભૌગોલિક પરિસ્થિતિ સાથે જામનગર પણ સામ્યતા ધરા છે. જામનગરનો દરિયા કાંઠો, રીલાયન્સનું પેટ્રો કેમીકલ એકમ સહિતના મુદ્દાઓને જોતા જામનગરને પણ ભયજનક શહેરમાં સમાવેશ કરવામાં આવ્યો છે.

જોકે નેશનલ ડીઝાસ્ટર મેનેજમેન્ટ સુરત અને જામનગરમાં કુદરતી કે કૃત્રિમ આપત્તિ સમયે જિલ્લા વહીવટી તંત્ર આપતકા0લિન સમસ્યાને પહોંચી વળે તે માટેનું આગોતરું આયોજન પણ કરવામાં આવ્યું છે. કુદરતી કે કૃત્રિમ આપત્તિને પહોંચી વળવા જિલ્લા કલેકટરના અધ્યક્ષસ્થાને કમિટીની રચના કરવામાં આવી છે. કમિટીમાં પર્યાવરણના તજજ્ઞો, ડીઝાસ્ટર મેનેજમેન્ટના જાણકારો, પ્રોફેસરો, એન.જી.ઓ., મહાપાલિકા અને અણુ ઉર્જાના નિષ્ણાંતો જાનહાનિ અને મિલકતના નુકસાનને તત્કાલીન અટકાવવાની કામગીરી કરવા સાથે તેના અભ્યાસો કરાવવાની કામગીરી કરશે. પૂર, આગ, ભૂકંપ કે ઉદ્યોગોમાં આકસ્મિક ઘટના સંદર્ભે કોઈપણ પ્રકારની કામગીરીને પહોંચી વળવા તૈયાર રહે એ માટેનો એકશન પ્લાન તૈયાર કરવામાં આવશે. ડીઝાસ્ટર મેનેજમેન્ટ અંગે ઇગ્નો (ઈન્દિરા ગાંધી આપતકાલીન તાલીમ સંસ્થા) દ્વારા તાલીમ સાથે તેના ઉપાયો આપશે. તત્કાલીન કામગીરી માટેની જરૂરિયાત અને આધુનિક ઉપકરણો ચલાવવાનું પણ ઈગ્નો દ્વારા કામ કરવામાં આવનાર હોવાથી સુરતીઓએ ચિંતા કરવાનું કોઈ કારણ નથી.

Thursday, December 3, 2009

ફરવાના શોખિન ગુજરાતી!
ગુજરાતનું ટુરિઝમ ડિપાર્ટમેન્ટ ક્યારે વાઈબ્રન્ટ થશે ?

By ENN,
'આઈયે સા'બ, હમારા હોટેલ બઢિયા લોકેશન પર હૈ, ગુજરાતી થાલી ભી મીલેગી... આઈયે, હમારે હોટેલ મેં ઠહરિયે.....'

સિમલા, કુલુ, કેરાલા, જલપાઈગુડી, જમ્મુ જ્યાં પણ જાવ ત્યાં ગુજરાતીને જોઈએ ત્યાંના હોટેલ એજન્ટો ઘેરીવળે. ભારતનું ટુરીઝમ વાઈબ્રન્ટ છે. વખાણાય છે. ફરવાના સ્થળો ઢગલાબંધ છે. આ ટુરિઝમ ડિપાર્ટમેન્ટની 62 ટકા જેટલી કમાણી માત્ર ગુજરાતીઓ થકી છે. આખા ભારતમાં ગુજરાતીઓ જેટલા રૂપિયા ખર્ચે છે. તેટલા રૂપિયા એક રાજ્યના લોકો ફરવા પાછળ ખર્ચતા નથી. હા બીજા નંબરે આંધ્રપ્રદેશના લોકો આવે.

ગુજરાતીઓ ફરવાની શોખિન કેમ? આનો જવાબ નથી. બસ, વર્ષમાં એકાદ વખત ફરવા જવાનું એટલે પાછા શોખિન પણ કેવા કે, જ્યારે સિમલા ફરવા જવા માટે પેકીંગ ચાલતું હોય ત્યારે આવતા વર્ષનું આયોજન કરતા જાય.... આવતા વખતે તો કેરાલા જ જવું છે, એ જોયું નથી. ભઈ, આ વખતનું કરો ને!! હિમાચલમાં સિમલા, કુલુ, મનાલી, ડેલહાઉસી, નૈનિતાલ, રોહતાંગ, ઉતર ભારતમાં કાશ્મીર, જમ્મુ, કટરા, વૈષ્ણોદેવી, પહેલગાંવ, પંજાબમાં અમૃતસર, વાઘા બોર્ડર, સિટીમાં દિલ્હી, મુંબઈ, ચેન્નાઈ, મૈસુર અને બેંગ્લોર દક્ષિણમાં કેરાલામાં મુનાર, ઠેકડ્ડી, કોચી, ઉટી, ઉતરાખંડમાં ગંગોત્રી, હરિદ્વાર, ઋષિકેશ, ગઢવાલ, આસામમાં જલપાઈગુડી, ગંગટોક, સીલીગુડી, મધ્યપ્રદેશમાં પંચમઢી, ગ્વાલીયર, ભોપાલ, ઈન્દોર, ઉજ્જૈન, રાજસ્થાનમાં જયપુર, ઉદયપુર, બિકાનેર, જોધપુર, પેલેસ ઓન વ્હીકલ, મહારાષ્ટ્રમાં મુંબઈ સીવાય મહાબળેશ્વર, લોનાવાલા, ખંડાલા, શિરડી, નાસિક, ગોવા સહિતના સ્થળોએ ગુજરાતીઓ છવાયેલા છે, અહીં જે સ્થળના નામો છે, તે પૂરા પચાસ ટકા પણ નથી! એટલે ગુજરાતીઓનો વ્યાપ માપી લેજો. મે મહિનો અને દિવાળીના લોકેશનમાં ગુજરાતમાં ટકે એ ગુજરાતી શેના? હા, ઘણા શોખિનો મોડો પ્લાન કરે ત્યાં ટ્રેન, એર બુકિંગ પેક થઈ ગયું હોય જે પેક થયું હોય, એમાં પણ મોટાભાગના ગુજરાતીઓ જ !!

ગુજરાતીઓ વધારે બહાર ફરવા શા માટે જાય છે ? તેના લોજિકલી બે કારણો છે. એક તો ફરવાનો શોખ પણ બીજું મહત્વનું કારણ છે. ગુજરાત સરકારની ગુજરાત ટુરિઝમ પ્રત્યેની ઉદાસીનતા. જો ગુજરાતમાં જ સારી રીતે ટુરિઝમ ડેવલપ થયું હોત તો ગુજરાતીઓએ બહાર જવાની જરૂર ન પડત. બીજા રાજ્યોની જેમ ગુજરાત ટુરિઝમ ફરવાના સ્થળોનું લાંબુ લચક લિસ્ટ બનાવી શકે તેની વિશેષતા બતાવી શકે તેવી કેપેસિટી (અથવા દાનત) ગુજરાત ટુરિઝમ વિભાગની નથી. આ બધામાં એક સવાલ ધારદાર તીર જેવો છે કે, ગુજરાતીઓ જેમ બીજા રાજ્યોમાં દર વર્ષે ફરવા જાય છે, તેમ બીજા રાજ્યોના લોકો ગુજરાતમાં કેમ ફરવા આવતા નથી. હા, આવતા હશે, પણ વર્ષે કેટલીકવાર ? કેટલી સંખ્યામાં ?

હિમાચલ હોય કે તમિલનાડુ, મહારાષ્ટ્ર હોય કે આસામ ફરવાના સ્થળોએ ગુજરાતી થાળી નહીં મળતી હોય, એવું નહીં ગુજરાતીઓને આર્કષવાના જ આ પેંતરા છે, બાકી એ હોટલમાં જમો તો દાળ-ભાત ત્યાંની સ્ટાઈલમાં જ બન્યા હોય ! પણ એક વાત ખરી કે, ગુજરાતીઓ જ્યાં જ્યાં ગયા છે ત્યાં કોઈ જાતની માથાકૂટ નથી કરતા. એના કારણે ભારતમાં પ્રવાસન સ્થળોએ ગુજરાતીઓને માનથી જોવાય છે. એ લોકોને એટલો વિશ્વાસ ચોક્કસ છે કે, ગુજરાતીઓ છેતરાશે પણ છેતરાશે નહીં !!

ભારતના પ્રવાસન સ્થળોએ ગુજરાતીઓનું એટલું વર્ચસ્વ છે કે, ત્યાંના લોકો પણ ત્રૂટક ત્રૂટક ગુજરાતી શિખી ગયા છે. ગુજરાતીઓને જે રીતનું અંગ્રેજી આવડે, એ રીતનું એ લોકોને ગુજરાતી આવડે ! સમજી શકે, બોલી શકે નહીં. ગુજરાતીઓ આકર્ષાય એવું નામ રાખે છે. એના કરતાં પણ મોટી વાત એ છે કે, ગાંધીના ગુજરાતના ગુજરાતીઓ હંમેશા નોનવેજથી દૂર રહ્યા છે. ગોવા, આંધ્રપ્રદેશ, એમપી કે બીજા સ્થળોએ જ્યાં પણ ગુજરાતીઓ જાય આઈટમ મળે છે.... શુધ્ધ શાકાહારી ભોજન... ગુજરાતીઓના વિશ્વાસની વાત નીકળી છે તો નાનામાં નાનો માણસ ગુજરાતીમાં એવો વિશ્વાસ રાખે છે, કે ફરતાના સ્થળ ઉપર કેમેરા ટીંગાડીને ફરતા ફોટો ગ્રાફરો ફોટો પાડે પછી ગુજરાતીઓને કહે, સા'બ પૈસે કા જલદી નહીં હૈ, ફોટો મીલે તબ ભેજ દેના.....

ગુજરાતીઓ થકી ભારતનું ટુરિઝમ ઉજળું છે, પણ ગુજરાતનું ટુરિઝમ ઉજળું ક્યારે બનશે ?

ક્યાં ચાલી ગઈ ચકલીઓ ?
ચકલીને માળા બનાવવા માટેના સ્થાન કે તેને અનુકૂળ આવે તેવા ખોરાક હવે નથી રહ્યા
ઘરમાં એકાએક ઘૂસી જતી ચકલીને પાછી બોલાવી શકાશે ?

By ENN,
એક સમય હતો કે, ઘરમાં બારણું ખુલ્લું હોય ત્યારે ચકલી આવી જતી અને તે પંખામાં ન આવીને મરે નહીં એટલે આપણે તરત પંખો બંધ કરી દેતા. આજે ઘરના બારણા ખુલ્લા હોય છે. પણ ચકલી નથી લુપ્ત થઈ ગઈ ? એના જવાબમાં એવું કહી શકાય કે, ચકલીઓ લુપ્ત નથી થઈ પણ ઓછી તો થઈ ગઈ છે ! હા, ચકલીને પાછી ઘરે બોલાવી શકાય છે, પણ તેના માટે લોકોએ રસ દાખવવો પડે.

એક સમયે સંખ્યાબંધ ચકલીઓનું ચીં... ચીં... ચીં.... સાંભળવા મળતું, હવે એ સાંભળવા મળતું નથી. ચકલીઓ ઘટી જવાના કારણો ઘણા છે. એક તો અગાઉના સમયમાં ખપેડા, નળિયાવાળા મકાનો હતા. હવે સિમેન્ટના સ્લેબ ભરાય છે. નળિયા અને ખપેડામાં ચકલીઓ માળા બાંધતી. બીજું જૂના ઘરની સિસ્ટમમાં અભેરાઈઓ હતી. લાકડાની અભેરાઈઓ ઉપર તપેલું ઉંધું પડ્યું હોય તો પણ તપેલાની નીચે ચકલીઓ માળા બાંધતી. હવે મોડર્ન મકાનોમાં અભેરાઈઓ રહી નથી. ગઢની રાંગની બખોલની નીચે માળા બાંધતી પણ હવે એટલી સંખ્યામાં ગઢ પણ નથી રહ્યા. હા, એક સમય એવો હતો કે, જૂની સિસ્ટમથી ઘરમાં દીવાલો ઉપર ફોટા ટીંગાતા. નાની ચેઈન કે વાયરથી મોટા ફોટાની પાછળ ચકલીઓ માળા બાંધતી. ફોટાનો ઉપરનો ભાગ નમેલો હોય. આ ફોટા ટીંગાડવાની સિસ્ટમ હવે નથી. ચકલીઓને આપણે સૌથી વધારે માળા બાંધતા જોઈ હોય તો એ છે, ટ્યૂબલાઈટની પટ્ટી. મોટાભાગે ચકલીઓ ટ્યૂબલાઈટની પટ્ટીમાં માળા બાંધતી. હવે નાની લાઈટ સીધી હોલ્ડરમાં ભરાવી દેવાય છે. પટ્ટી સિસ્ટમ પણ ઓછી થઈ એવી રીતે વીજ મીટરના બોક્સમાં સીલ આવવા લાગ્યા. નહીતર વીજ મીટરના બોક્સમાં ચકલીઓ માળા કરતી.

બીજી મુદ્દાની વાત. ચકલીનો મુખ્ય ખોરાક ગણો તો બાજરો, જુવાર, કાંગ કે કમોદ છે, પણ હવે કપાસ અને મગફળીના વધારે વાવેતરના કારણે ચકલીનો મૂળ ખોરાક ઘટી રહ્યો છે, બીજુ ચકલી તેનો માળો જેનાથી બાંધે છે, તે મટીરીયલ તેને ઓછું મળે છે. ઘાસના તણખલા, સૂતળી કે સિંદરીના રેસા, સાવરણીની સળી આ બધાનું પ્રમાણ ઘટતું ગયું છે. ઘાસની વીડી ઓછી થઈ ગઈ છે. સૂતળી અને સિંદરીના બદલે નાઈલોનની દોરી આવી ગઈ છે. ઘરમાં પ્લાસ્ટીકના સાવરણા આવી ગયા છે. સફાઈનું પ્રમાણ વધી ગયું છે. મહાપાલિકાની નવી પ્રથા ઘરે ઘરે કચરો લેવા જવાની છે. લોકો પણ સફાઈ પ્રત્યે જાગૃત બન્યા છે અને તેના કારણે ચકલાંને જે ખોરાક કે માળો બાંધવા મટીરિયલ મળવું જોઈએ તે નથી મળતું.

સવાલ એ આવે કે, શહેરમાં પહેલાં જેમ ચકલી દેખાતી તે હવે જોવા મળતી નથી, તો શું ચકલી લુપ્ત થઈ ગઈ છે ? આ સવાલનો જવાબ એવો છે કે, ના ચકલી લુપ્ત થઈ નથી, ઓછી જરૂર થઈ ગઈ છે. હવે ઘરના પંખીને બચાવવા લોકોએ રસ દાખવવો પડશે.

સુરતમાં ગુજરાતની સૌથી ઉંચી ઈમારત બનશે
500 કરોડની યોજનાઃ 21000 ચો.મી. જગ્યામાં 30 માળ બંધાશે
30 મા માળે હીરાના આકારની હેગિંગ રેસ્ટોરન્ટ બનાવવાનું આયોજન


By ENN,
સુરત,
વિકાસને નવી દિશા અત્યારે મ્યુ. કમિશ્નર એસ. અપર્ણાએ ઉધના ખરવરનગર જંકશન પર ગુજરાતની સૌથી ઉંચી ઇમારત બનાવવાની રૂ. 500 કરોડની મહાત્વાકાંક્ષી યોજના તૈયાર કરી છે. બીઆરટીએસ કોરીડોરના બે મુખ્ય રૂટ જ્યાં ભેગા થાય છે એ ખરવરનગર જંકશન પર 21 હજાર ચોરસમીટર જગ્યામાં સુરતના આઈકોન તરીકે ઉપસી આવે એવી 30 માળની ઇમારત બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશીપ (પીપીપી) ધોરણે આ પ્રોજેક્ટમાં આગળ વધવા રાજ્ય સરકારે સૈદ્ધાંતિક મંજૂરી આપી દીધી છે.

મ્યુ. કમિશ્નર એસ. અપર્ણાએ જણાવ્યું હતું કે સરથામણી ડુમસ રીસોર્ટ અને ઉધના દરવાજાથી સચીન સુધી બીઆરટીએસ કોરોડોર પર કામ ચાલી રહ્યું છે. ખરવરનગર જંક્શન શહેરના ઔધોગિક અને કોર્મીશિયલ સેન્ટરની બરોબર મધ્યમાં આવેલું છે. શહેરની કાપડ માર્કેટ અહીંથી ખૂબ નજીક છે. યુનિવર્સિટી તથા સચીન અને પાંડેસરના ઔદ્યોગિક કેન્દ્રો પણ નજીક છે. ખરવરનગર જંક્શન પર બીઆરટીએસ કોરીડોરના બે રૂટ ભેગા થાય છે. અહીં સુરતના આઈકોન તરીકે ગણી શકાય એવી 100 મીટર ઉંચી એક ઈમારત અને 40 મીટર ઉંચી બે ઈમારત બનાવવાની યોજના તૈયાર કરવામાં આવી છે. આ જગ્યાનો યોગ્ય ઉપયોગ ઉભી કરી રાજ્યની સૌથી ઉંચી ઈમારત ઉભી કરવામાં આવશે. આ પ્રોજેક્ટ માટે કન્સેપ્ટ તૈયાર કરવામાં આવ્યો છે. યોજના માટે જમીન મનપાની રહેશે જ્યારે સમગ્ર પ્રોજેક્ટ પીપીપી ધોરણે હાથ ધરાશે. પ્રાથમિક અંદાજ મુજબ આ યોજના પાછળ રૂ. 500 કરોડનો ખર્ચ થવાની ધારણા છે.

મ્યુ. કમિશ્નર એસ. અપર્ણાએ જણાવ્યું કે, ત્રણ પૈકી બે ઈમારત સંપૂર્ણપણે કોર્મિસયલ રહેશે. ત્રણે ઈમારત સુરતના કાપડ અને હીરા ઉદ્યોગના કન્સેપ્ટને કેન્દ્રમાં રાખીને તૈયાર કરવામાં આવશે. ત્રણે ઈમારતનું એલીવેશન કાચનું રહેશે. કાપડના સળની જેમ ઈમારત ડિઝાઈન કરવામાં આવશે. ખરવરનગર જંક્શન પર તૈયાર થનારી ઈમારતના 30મા માળે હીરાના આકારની હેગિંગ રેસ્ટોરન્ટ બનશે. રાતના સમયે આ રેસ્ટોરન્ટ હીરાની જેમ ચમકશે. અહીં એમ્ફિ થિયેટર, આર્ટ ગેલેરી, કોર્મિસયલ સેન્ટર, લાઈબ્રેરી, પાર્ક, ગ્રીન સ્પેસ, વોક વે, ફુવારા, પાર્કીંગ સહિતની તમામ સુવિધા ઉપલબ્ધ રહેશે.

ડીસીઆરના નિયમો મુજબ સુરતમાં મહત્તમ 40 મીટરની ઉંચાઈ સુધી જ બાંધકામની પરવાનગી આપવામાં આવે છે. સુડાના રીવાઈઝ વિકાસ નકશામાં પરગટ થયેલા ડીસીઆરના નિયમ અનુસાર 40 મીટર કરતાં વધુ ઉંચાઈના બાંધકામ માટે રાજ્યના શહેરી વિકાસ મંત્રાલયની મંજૂરી લેવી પડે છે. ખરવરનગર જંક્શન પર 100 મીટર ઉંચી 30 માળની બિલ્ડીંગ બનાવવા માટે મ્યુ. કમિશ્નર એસ. અપર્ણાએ રાજ્ય સરકારની મંજૂરી લઈ લીધી છે. મ્યુ. કમિશ્નર એસ. અપર્ણાએ આ મહાત્વાકાંક્ષી પ્રોજેક્ટ માટે મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદી સમક્ષ પ્રેઝન્ટેશન કર્યું હતું. આ પ્રેઝન્ટેશન બાદ રાજ્ય સરકાર તરફથી આ યોજનામાં આગળ વધવા સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી હતી. આ મંજૂરી બાદ હાલમાં પેપરવર્કની કામગીરી ચાલી રહી છે. પેપરવર્ક પુરૂં થયા બાદ એક્સપ્રેશન ઓફ ઇન્ટરસ્ટ મંગાવવામાં આવશે.

મહારાષ્ટ્રના ગુજરાતીઓએ રાજકારણમાંથી પોતાનું વર્ચસ્વ સંપૂર્ણપણે ગુમાવી દીધું છે
By ENN,
મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણીઓ પૂરી થઈ અને ધારણા મુજબ કોંગ્રેસની આગેવાની હેઠળ નવી સરકાર રચાઈ ત્યારે સ્વાભાવિક રીતે આપણા મગજમાં પ્રશ્ન ઊઠે છે કે મહારાષ્ટ્રના રાજકારણમાં હવે ગુજરાતીઓનું સ્થાન શું છે? મુંબઈ અને મહારાષ્ટ્રના ગુજરાતીઓએ રાજકારણમાંથી પોતાનું વર્ચસ્વ સંપૂર્ણપણે ગુમાવી દીધું છે એ તબૂલ કરવું રહ્યું.

1960માં દ્વિભાષી મુંબઈ રાજ્યમાંથી મહારાષ્ટ્ર અને ગુજરાત એમ બે રાજ્યો છૂટા પડ્યા ત્યારે તે વખતે સ્વ શ્રી. યશવંતરાવ ચૌહાણે મહારાષ્ટ્રના ગુજરાતીઓને હૈયાધારણ આપી હતી કે મહારાષ્ટ્રના પ્રધાનમંડળમાં કમ સે કમ એક ગુજરાતી કેબિનેટ પ્રધાન તો રહેશે જ! એ સમયે મુંબઈ કોંગ્રેસમાં ગુજરાતીઓનું વર્ચસ્વ હતું અને મુંબઈ-મહારાષ્ટ્રના ગુજરાતીઓ રાજકારણમાં આગળ પડતું સ્થાન ધરાવતા હતા. મહારાષ્ટ્રની સ્થાપના થયા બાદ મહારાષ્ટ્ર વિધાન સભાની પ્રથમ ચૂંટણી 1962માં થઈ ત્યારે અનેક ગુજરાતીઓ વિધાનસભામાં ચૂંટાઈ આવ્યા હતા એ સમયે મુંબઈ મહાનગર પાલિકામાં ગુજરાતીઓનો ડંકો વાગતો હતો અને મુંબઈના મેયરપદે ગુજરાતીઓની વરણી સામાન્ય બાબત હતી.

1967ની વિધાનસભાની ચૂંટણીમાં મુંબઈની 24 સીટો હતી તેમાંથી 13 સીટો પર ગુજરાતીભાષી ઉમેદવારો જીત્યા હતા. એ એક નોંધપાત્ર બાબત હતી. પણ પછી 1969માં કોંગ્રેસના ભાગલા પડ્યા અને મુંબઈના ગુજરાતીઓ મહારાષ્ટ્રના રાજકારણથી ધીમે ધીમે દૂર થવા લાગ્યા. 1972ની વિધાનસભામાં મુંબઈની સીટો વધીને 28 થઈ પણ મુંબઈમાંથી માત્ર ત્રણ જ ગુજરાતીઓ જીત્યા! ગુજરાતી પ્રતિનિધિત્વમાં આવેલી આ ઓટ ખરેખર આંખે વળગે એવી હતી. શ્રી યશવંતરાવ ચવ્હાણે આપેલી એક કેબિનેટ ગુજરાતી પ્રધાનની હૈયાધારણ 1975માં મુખ્ય મંત્રી બન્યા બાદ એક ગુજરાતીને કબિનેટ મંત્રી નો દરજ્જો ન આપતા રાજ્યમંત્રીપદનો ઓફર કરી અને એ ગુજરાતી ધારાસભ્યે સહર્ષ એનો સ્વીકાર કર્યો, ત્યારથી તે છેક આજ સુધી (માત્ર 1978થી 1982નો સમય બાદ કરતા) કોઈ મુંબઈના ગુજરાતીને કેબિનેટ પ્રધાનનો દરજ્જો મળ્યો નથી.

હવે આ સમયની ચૂંટણીનાં પરિણામો જૂઓ! ગુજરાતીઓનું સ્થાન ક્યાં છે? કોણ ગુજરાતી મહારાષ્ટ્રના પ્રધાનમંડળમાં સ્થાન મેળવી શકે અમે છે! કોઈ ગુજરાતીને ડેપ્યુટી મિનિસ્ટર બનાવવો હોય તો પણ કોની પસંદગી કરવી એ માથાનો દુખાવો બની શકે એમ છે. મુંબઈ અને મહારાષ્ટ્રમાં ગુજરાતીઓની આ કંગાળ રાજકીય પરિસ્થિતિ માટે કોણ જવાબદાર છે? આપણે માત્ર એટલું જ કહી શકીએ કે મુંબઈના ગુજરાતીઓ મહારાષ્ટ્રના રાજકારણથી તદ્દન વિમુખ થઈ ગયા છે અને મુંબઈમાં ગુજરાતીઓનો કોઈ આગેવાન સમ ખાવા પૂરતો પણ રહ્યો નથી!

ગુજરાતી સમાજો રચવાથી કંઈ ગુજરાતીઓના આગેવાન નથી થઈ જવાતું. થોડા સમય પહેલા હું એક ગુજરાતી સમાજના કાર્યક્રમમાં ગયો હતો. મનોરંજન કાર્યક્રમ કે ભોજન સમારંભ વગર ગુજરાતીઓ એકત્ર થતા નથી એ એક હકીકત છે. આ કાર્યક્રમમાં ગુજરાતી સમાજના 'બિઝનેસમેન' પ્રમુખે, કારણ વગર કહ્યું કે જો ગુજરાતીઓ એકત્ર નહીં થાય તો રાજ ઠાકરે ગુજરાતીઓને પણ મુંબઈમાંથી બહાર હાંકી કાઢશે? આવા હાસ્યાસ્પદ વિધાનો કરી એ પ્રમુખશ્રી જો એમ ધારતા હોય કે આવો ડર બતાવી તે ગુજરાતીઓના નેતા બની શકશે તો તેમના પર દયા આવે છે! આવું કદી શક્ય જ નથી કારણ કે વાસ્તવમાં ગુજરાતીઓ મુંબઈનું અભિન્ન અંગ છે. રાજકારણક્ષેત્રે ભલે ગુજરાતીઓ પાછળ પડી ગયા હોય પણ આર્થિક, સામાજિક અને અન્ય ક્ષેત્રોમાં ગુજરાતીઓ આગળ પડતું સ્થાન ભોગવી રહ્યા છે. મુંબઈના ગુજરાતીઓને અત્યારે જરૂર છે એક સમજદાર લીડરશીપની જે ગુજરાતીઓને મુંબઈના, મહારાષ્ટ્રના અને સમગ્ર દેશના રાજકીય વાતાવરણથી વિમુખ થતાં જતાં બચાવે. મુંબઈના ગુજરાતીઓએ વર્તમાન રાજકીય પ્રવાહમાં ભળીને રાજકારણક્ષેત્રે પોતાનું ગુમાવેલું સ્થાન ફરી પ્રાપ્ત કરવું જ રહ્યું.

Wednesday, October 14, 2009

દિવાળી અને વાસ્તુશાસ્ત્ર

By ENN,
ઘરની સફાઈ:
દિવાળી પર શ્રી ગણેશજી, લક્ષ્મીજી તેમજ ધન કુબેરને પૂજન દ્વારા પ્રસન્ન કરવાનો પ્રયત્ન કરવામાં આવે છે, તેથી બધા લોકો દિવાળી પહેલા જ ઘરમાં સાફ સફાઈ, ઘર ધોવું, રંગ રોગાણ વગેરેની શરૂઆત કરી દે છે જેના લીધે ઘરમાંથી દરિદ્રતાનો નાશ થાય અને ઘરમાં ખુશીઓની લહેર પ્રસરી જાય. તેથી મકાનમાં સીડીઓની ઉપર, માળિયાઓ પર અને ધાબા પર જે તુટેલો સામાન પડ્યો હોય તેને કાઢીને ફેંકવામાં આપણી ભલાઈ છે.

પૂજાનું સ્થળ:
ઘરના બધા જ સભ્યો સાથે બેસીને દિવાળીની પૂજા કરે છે. આવામાં આપણે પુર્વ નિર્ધારિત પૂજા સ્થળની સામે તેમજ આસપાસની જગ્યામાં બેસીને પૂજા કરીએ છીએ અને લોબીમાં ખુલ્લી જગ્યા હોય તો તેનો પણ ઉપયોગ કરીએ છીએ. પરંતુ પ્રયત્ન કરવો કે પૂજા વખતે ઘરના બધા જ સભ્યોનું મુખ પુર્વ તરફ હોય. બીજુ કે પૂજાના સ્થળની સાફ સફાઈ કરીને જ પૂજા કરવા માટે બેસવું. પૂજામાં ઉપયોગમાં લેવામાં આવતાં દિવાને ફટાકડા ફોડવા માટે ઉપયોગમાં ન લેવા. પૂજાના સ્થળની સામે અને તેની સાથે લાગતો કોઈ પણ ટોયલેટનો દરવાનો ન હોવો જોઈએ. સીડીની નીચે કે કોઈ સ્ટોર રૂમને દિવાળીની પૂજા કરવા માટે ઉપયોગમાં ન લેવી જોઈએ.

સજાવટ:
જો આપણે લાઈટો વડે સજાવટ કરતી વખતે રંગોની પસંદગી કરી શકીએ તો લાલ અને નારંગી રંગની લાઈટોનો વધારે પ્રયોગ મકાનની દક્ષિણ-પુર્વ તેમજ દક્ષિણ દિશામાં કરો, લીલા રંગની પ્રધાનતાવાળી લાઈટોની સીરીઝ ઉત્તર-પશ્ચિમમાં તેમજ અન્ય બધા જ મળેલા રંગોની લાઈટનો પ્રયોગ ઉત્તર, પૂર્વ તેમજ પૂર્વોત્તરની બાલ્કનીમાં કરી શકાય. નેચરલ બલ્બનો પ્રકાશ દરેક દિશામાં ઉત્તમ છે.
ઉપહારનું મહત્વ:દિવાળી પર એકબીજાને ભેટ અને ઉપહાર અપવાનો રિવાજ પણ પોતાનું એક મહત્વ ધરાવે છે. જ્યારે વાત આવે છે ગીફ્ટ આપવાની તો વાસ્તુ અને ફેંગશુઈમાં ઘણી બધી વસ્તુઓ બજારમાં મળે છે જેને તમે ઉપહાર સ્વરૂપ પ્રયોગમાં લાવી શકો છો. આમાંથી નીચે આપેલ વસ્તુઓ ખાસ છે જેવી કે, - ક્રિસ્ટલ, પિત્તળ, માટી, ટેરાકોટા વગેરેથી બનેલ શુભચિન્હો જેવા કે ઓમ, સ્વસ્તિક, શ્રી ગણેશ, મંગળ કલશ, લાફિંગ બુદ્ધા, હેપ્પી મેન, વિંડચાઈમ, લાલ દોરામાં બાંધેલ ત્રણ ચાઈનીઝ સિક્કાઓ, ક્રિસ્ટલ બોલ આ બધી જ વસ્તુઓ તે વાતની પણ સાબિતી રાખે છે કે ભેટ આપનાર વ્યક્તિ ખરેખર તમારૂ કલ્યાણ ઈચ્છે છે. તે તમારો શુભ ચિંતક છે અને સાથે સાથે આ ભેટનું સૌથી સારૂ પાસુ તે પણ છે કે આ લાંબા સમય સુધી પ્રયોગમાં લાવી શકાય છે.

મન મસ્તિષ્કમાં લાવો શુદ્ધતા:
જે રીતે દિવાળીમાં ઘરમાંથી ગંદકીને દૂર કરવામાં આવે છે તેવી જ રીતે આપણે પણ પ્રયત્ન કરીએ કે આપણા મનમાં ભરેલી અશુદ્ધિઓ અને ગંદકીને દૂર કરી દઈએ. જેવી રીતે કોઈ શત્રુતાની ભાવના, વેર, ગુસ્સો, ખોટા વિચારો, વ્યસન, જુની દુશ્મની વગેરે કેમ કે, વાસ્તુશાસ્ત્રની શબ્દાવલીમાં ઈશાન ખુણાને વાસ્તુ પુરૂષના માથાને સમાન માનવામાં આવે છે. વાસ્તુમાં સૌથી વધારે બળ પુર્વોત્તરના ઈશાન ખુણો એટલે કે માથામાં જ બુરાઈ ભરી હોય તો વાસ્તુનો લાભ કેવી રીતે થાય? તેથી બધી જ સામાજીક બુરાઈઓનો ત્યાગ કરીને એક સુંદર અને સાફ દિવાળીને ઉજવવી અને પરિવાર સહિત ઉજ્જવળ ભવિષ્ય માટે પ્રાર્થના કરવી.

નરેન્દ્ર મોદીએ ટિફિન બેઠક શરૂ કરી

By ENN,
ગાંધીનગર ,
મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાના નિવાસસ્થાને પાર્ટીના કાર્યકર્તાઓ માટે ટિફિન બેઠક શરૂ કરી છે. જેમાં પાર્ટીના હોદ્દેદારો પણ ઉપસ્થિત રહ્યા હતા. પ્રથમ બેઠકમાં મોદીએ પોતાના મતવિસ્તાર મણિનગરના કાર્યકર્તાઓને બોલાવ્યા હતા. કાર્યક્રમમાં મોદી ખુદ ભાખરી-શાક લઇને આવ્યા હતા. મહારાષ્ટ્રના ચૂંટણી પ્રવાસેથી પરત આવ્યા બાદ મોદીએ ગાંધીનગરમાં રવિવારે મોડી સાંજે રાત્રીભોજ રાખ્યું હતું જેમાં ૧૦૦ જેટલા કાર્યકર્તા ટિફિન લઇને આવ્યા હતા. તેઓએ સરકારની યોજનાઓ તેમજ વિકાસના મુદ્દે ચર્ચા કરી હતી. મોદીએ તેમની પાર્ટીના કાર્યકર્તાઓને પ્રજાની વચ્ચે રહેવાની અપીલ કરી હતી અને કહ્યું હતું કે તેમના પડતર પ્રશ્નોમાં આપણે ભાગીદાર બનવું જોઇએ. આ પ્રસંગે પ્રદેશ પ્રમુખ પુરુષોત્તમભાઈ રૂપાલા, સાંસદ સુરેન્દ્ર પટેલ, પ્રવકતા આઇ.કે. જાડેજા હાજર રહ્યા હતા.

Monday, October 12, 2009

દિવાળીમાં લક્ષ્મી તેમજ સમૃદ્ધિ પ્રાપ્તિ માટે વિશેષ ઉપાય

By ENN,
દિવાળીના દિવસે લક્ષ્મી તેમજ સમૃદ્ધિ મેળવવા માટે નીચે લખેલ વિશેષ ઉપાય કરી શકાય છે.
પ્રચૂર માત્રામાં ધનાગમન હેતુઃ દિવાળીથી પહેલાં ધનતેરસના દિવસે લાલ વસ્ત્ર પર ધાતુથી બનેલ કુબેર તેમજ લક્ષ્મી યંત્રને પ્રતિષ્ઠિત કરીને તેની લાલ ફૂલ, અષ્ટગંધ, દાડમ, કમળગઠ્ઠા, કમળના ફૂલ, સિંદૂર, વગેરેથી પૂજા કરવી જોઈએ, પછી કમળગઠ્ઠાની માળા પર કુબેરના મંત્રનો જપ કરવો તથા માળાને ગળામાં ધારણ કરી લેવી.

મંત્રઃ દિવાળીના ક્ષાય કુબેરાય વૈશ્વવણાય ધનધાન્યાધિપતે, ધન-ધાન્ય સમૃદ્ધિમ્ મે દેહિ દાપય સ્વાહા.

ધન સંગ્રહ હેતુઃ દિવસે સવારે સ્નાનાદિ કરીને મા ભગવતીના શ્રી સુક્તના પાઠ કરવા. લક્ષ્મીજીની મૂર્તિને લાલ દાડમના દાણાનો ભોગ ધરાવવો, અને આરતી કરવી. ઘરની ઉતર દિશાની તરફથી પ્રસ્થાન કરીને બિલીનો છોડ ઘરમાં લાવવો અને તેને લક્ષ્મી સુક્ત વાંચતા વાંચતા ઘરની ઉતર દિશામાં કોઈ જમીનમાં લગાવવો, પછી દરરોજ સાંજે ત્યાં શુદ્ધ દેશી ઘીનો દીવો પ્રગટાવવો.

કર્જ મુક્તિ માટેઃ જમણી સૂંઢના ગણેશજીની ઉપાસના કરવી, તથા ગજેન્દ્ર મોક્ષ સ્ત્રોતનો પાઠ કરવો. જમણી સૂંઢના ગણપતિની મૂર્તિની સાથે ગણપતિ યંત્રને પણ સ્થાપિત કરો. આ યંત્રને જમણી તરફ કુબેર યંત્ર સ્થાપિત કરવું જોઈએ. જપ પછી હવન, તર્પણ, માર્જન વગેરે કરવું જરૂરી છે.

વ્યાપારમાં ધનવૃદ્ધિ માટેઃ શાલિગ્રામને સફેદ કમળ તેમજ લક્ષ્મી યંત્રને લાલ કમળના ફૂલ પર સ્થાપિત કરીને પુરુષ સુક્ત તથા લક્ષ્મી સુક્તને સંપુષ્તિ કરીને પાઠ કરવો.

મંત્રઃ ક્ષુત્પિપાસામલાં જયેષ્ઠા લક્ષ્મીં નાશયામ્યહમ્।
અભૂતિમ સમૃદ્ધિં ચ સર્વાં નિર્ણુદ મે ગૃહાત્।।

નીચે લખેલા કોઈ એક મંત્રનો જપ કમળગઠ્ઠા, સ્ફટિક કે લાલ ચંદનની માળા પર કરવો શ્રેષ્ઠ છે. દરરોજ 1 માળા જપ ''લક્ષ્મી દોષ'' ને હંમેશાં માટે દૂર કરવા માટે સક્ષમ છે.

1. શ્રીં હ્રીં શ્રીં મહાલક્ષ્મ્યૈ નમઃ
2. શ્રી શ્રી લલિતા મહાત્રિપુરસુન્દર્યૈ શ્રી મહાલક્ષ્મ્યૈ નમઃ
3. શ્રીં હ્રીં શ્રીં કમલે કમલાલયે પ્રસીદ પ્રસીદ શ્રીં હીં શ્રીં H મહાલક્ષ્મ્યૈ નમઃ
4. મહાલક્ષ્મ્યૈ ચ વિધીહે વિષ્ણુ પત્ન્યૈ ચ ધીમહિ તન્તો લક્ષ્મી પ્રચોદયાત્
5. યા દેવી સર્વભૂતેષુ લક્ષ્મીરૂપેણ સંસ્થિતા ।
નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમોનમઃ ।।

વિશ્વના ખૂણે ખૂણે વસેલા ગુજરાતીઓ સાથેનો નાતો વધુ ગાઢ અને જીવંત બનાવાશે-જયનારાયણ વ્યાસ

By ENN,
અમદાવાદ,
આરોગ્ય મંત્રી જયનારાયણભાઈ વ્યાસે અમદાવાદમાં દેશની અગ્રણી બેંકોના ગુજરાતના અગ્રણીઓ સાથે યોજેલી બેઠકમાં જણાવ્યું હતું કે, વિશ્વના ખૂણે ખૂણે ગુજરાતીઓ વસે છે અને પોતાના આત્મબળે વિવિધ ક્ષેત્રે ખૂબ જ પ્રતિષ્ઠા અને સમૃધ્ધિ પ્રાપ્ત કરી છે એટલું જ નહિ તેઓ ગુજરાત માટે યોગદાન આપવા હંમેશા તત્પર હોય છે આવા અનેક બિન નિવાસી ગુજરાતીઓ-ભારતીયોએ ગુજરાતમાં વિવિધ ક્ષેત્રે પોતાની વિશિષ્ટ પ્રતિભાનો લાભ અને નાણાંકીય મદદ કરી છે. ત્યારે બિન નિવાસી ગુજરાતી-ભારતીય પ્રતિભાઓનું બહુમાન કરવા અને તેમની પ્રતિભાનો લાભ ગુજરાતને વધુમાં વધુ મળે તે માટે ગુજરાત સરકાર ખૂબ જ આતુર છે અને આ દિશામાં રાજ્યના બિન નિવાસી ગુજરાતી પ્રતિષ્ઠા દ્વારા ફળદાયી પ્રવાસો કરવામાં આવી રહ્યા છે. ગુજરાત બિન નિવાસી ભારતીયો સાથેનો નાતો વધુ ગાઢ અને જીવંત રાખવા માંગે છે. તેમાં બેંકો મહત્વપૂર્ણ યોગદાન આપી શકે તેમ છે.

પ્રવાસન ક્ષેત્રે 14 ટ્રીલીયન યુ.એસ.ડોલરના ધંધાની સંભાવનાનો ઉલ્લેખ કરી આરોગ્ય મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં હેલ્થકેર ટુરીઝમ ટુરીઝમ અને યાત્રાધામ પ્રવાસન ક્ષેત્રે વિકાસની વિપુલ શક્યતા રહેલી છે અને આ ક્ષેત્રે ગુજરાત આવતા દિવસોમાં દેશના શ્રેષ્ઠ સ્થળ તરીકે પ્રસ્થાપિત થશે. આરોગ્ય મંત્રી શ્રીએ ગુજરાતે આરોગ્ય ક્ષેત્રે સાધેલી અનેક વિધ સિધ્ધીઓની વિગતો પણ બેંક અગ્રણીઓ સમક્ષ રજૂ કરી હતી.
આરોગ્ય મંત્રીશ્રીએ બિન નિવાસી ગુજરાતી-ભારતીયોનો ગુજરાત સાથેનો નાતો વધુ ગાઢ જીવંત બનાવવા અને તેમની ક્ષમતાનો લાભ ગુજરાતને વધુને વધુ કેવી રીતે પ્રાપ્ત થાય તે માટે બેંકોનો મહત્તમ સહયોગ મેળવવા અંગે સૂચનો મેળવી સહભાગી બનાવ વિમંતી કરી હતી. દેશની જાહેર ક્ષેત્ર અને ખાનગી ક્ષેત્રની બેંકોના અગ્રણીઓએ આ પ્રસંગે ઉપસ્થિત રહી પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, બેંક ઓફ બરોડા, બેંક ઓફ ઇન્ડિયા, કોપોરેશન બેંક, એકસીઝ બેંક, આઈ.સી.આઈસી.આઈ. બેંક, એચ.ડી.એફ.સી. બેંક, કોટક મહેન્દ્રા, આઈ.ડી.બી.આઈ., ફેડરલ બેંક સહિતની તમામ અગ્રણી બેંકોના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.

ગૃહ અને કુટિર ઉદ્યોગ એટલે શિવકાશીના ફટાકડા

By ENN,
શિવકાશી તમિળનાડુના રામનાથપુર જિલ્લાનું એક નગર છે. આજ જિલ્લામાં યાત્રાધામનો ટાપુ રામેશ્વર આવેલો છે. એક કાળે બે નગરી ઉદ્યૌગીકરણને કારણે ''મિની જાપાન'' કહેવાતા. એક હતુ થાણા જિલ્લાનું કલ્યાણ અને બીજું શિવકાશી.

શિવકાશી હિન્દ કદાચ એકમાત્ર નગર છે ત્યાં ભિક્ષુકો નથી ત્યાં રહેનારા સૌ કોઈને કંઈક ઉપજાવ કામગીરી મળી જ રહે છે. અહીં હજારોના ગુણાંકમાં ગૃહ અને કુટીર ઉદ્યોગો ચાલે છે. ફટાકડા અને મુદ્રણ ઉપરાંત દીવાસળી, મીણબતી, અગરબતી,ક મુદ્રણમાં હજારોને રોજી તેમજ દારૂખાના અને દીવાસળીમાં લાખો લોકો રોજીમાં જોડાયેલા છે. નગરની વસતિ કરતા ત્રણથી ચારગણી રોજગારી ચાલે છે. શિવકાશીમાં લગભગ તમામ ઘરમાં કારખાનામાં એક ખાસ પધ્ધતિઓ કાપ ચાલે છે. મોટી ફેક્ટરીઓની ડિલીવરી વાન સવારમાં આવે છે. કાચો માલ આપી જાય છે. સાંજે ડિલીવરીવાન તૈયાર માલ લઈ જાય છે. માલ મુજબ મૂલ્ય તરત જ ચુકવી દેવાય છે. આટલો રોકડિયો વહેવાર અન્યત્ર કયાંય નથી ઘરોમાં વૃદ્ધજનો, ગૃહિણીઓ અને બાળકો સહિત અવકાશ મુજબ અને શક્તિ અનુસાર કામ કરી લે છે જેની કમાણી સાંજે દેખાઈ જાય છે.

દેશને 70 ટકા દીવાસળી શિવકાશી અને તેની પાડોશમાંથી મળે છે. દીવાસળી બનાવવામાં જવલનશીલ પદાર્થની જરૂર પડે એવી સામ્રગીની સુપ્રાપ્તિને કારણે શિવકાશીના સાહસવીરોએ દારૂખાનું બનાવવામાં ઝુકાવ્યું. બપોરિયા અને લવિંગિયાથી શરૂ થયેલી શિવકાશીની દારૂયાત્રા આજે એ તબક્કે પહોંચી છે કે દેશનું પરવાના યુક્ત દારૂખાનું લગભગ 90 ટકા શિવકાશી આપે છે. પરવાના વગર પેદા કરવામાં આવતાં ગેરકાયદે દારૂખાના પર છાપ શિવકાશીની લગાડાય છે. અગાઉ માત્ર હિન્દુઓ દિવાળી સમયમાં દારૂખાનું ફોડતા, પણ હવે તમામ કોમોના લોકો વાર તહેવારે દારૂખાનું ફોડતા થઈ ગયા છે. દિવાળી સિવાયના અન્ય ઉત્સવો ઉપરાંત લગ્ન, ચુંટણી વિજય, ક્રિકેટ વિજય, વગેરે પ્રસંગોએ લાખો કરોડોનું દારૂખાનું ફોડવાનાં બહાના પુરા પાડે છે.

અમદાવાદ રામોલ, વટવા, વસ્ત્રાલ અને પીરાણામાં કેટલાય લાયસન્સ વગરના ફટાકડા બનાવવાના કારખાના આવેલા છે. આ કારખાનામાં બાળમજુર કામ કરે છે. જેમાં 555 બોંબ, સુતળી, મીરચી બોંબ, અને વધુ પ્રમાણમાં કોઠી બનાવવામાં આવે છે. સ્થાનિક લોકો ફટાકડા વર્ષમાં બે વાર બનાવે છે. એક દિવાળી પહેલા એક માસથી ફટાકડા બનાવવાનું શરૂ થાય છે. અને બીજા વૈશાખ મહિનામાં એટલે કે લગ્નગાળામાં કોઠીનું ચલણ વધી જાય છે.

અવાજ વગરના ફટાકડા હોટ ફેવરીટ
પ્રકાશના તહેવાર તરીકે ઓળખાતા દિવાળીમાં ફટાકડાનું અનોખું મહત્વ હોય છે. અમદાવાદીઓ લાખો રૂપિયાનું દારૂખાનું ફોડી નાખે છે. આજે ફિલ્મી નામના ફટાકડા ધૂમ મચાવે છે. સાબરમતીના સીઝનેબલ વેપારી રાજુ હરેશભાઈ ભાવસારે જણાવ્યું કે, અગાઉ જોરદાર અવાજવાળા ફટાકડા પસંદ કરતાં હતા. પણ હવે લોકો ફેન્સીયલ ફટાકડા વધુ પસંદ કરે છે. આ વર્ષે મર્ડર બોંબ, જસ્સી જૈસા કોઈ નહીં, લક્ષ્ય, મેં હુ ના, મીકીમેન કોઠી વધુ માંગ વધી છે. રાજુ ભાવસારે જણાવ્યું કે, આકાશમાં થતાં સાંઘાઈ વાઈન્ડર જેવા ફટાકડા વધુ પ્રિય છે. જે 24 થી 25 વખત આતીશબાજી 20 મિનિટ સુધી ચાલે છે. જેની અંદાજિત કિંમત 1100થી 1200 રૂપિયાની હોય છે.

બાળ મજૂરોના હાથે તૈયાર થતાં ફટાકડા
નવા વર્ષને વધાવવા માટે ફટાકડા ફોડવાનો રીવાજ આપણે ત્યાં છે. ફેન્સી ફટાકડા આખા દેશમાં શિવકાશી જ પૂરા પાડે છે. ત્યાં મજૂરી અને કાચો માલ ખૂબ જ સસ્તામાં મળી રહે છે. શિવકાશીમાં કેલેન્ડર, ડાયરી જેમ ફટાકડાનો પણ મોટો ઉદ્યોગ ચાલે છે. ગુજરાતમાં પણ ઠેરઠેર ખેતરોમાં દેશી ફટાકડા બનાવવામાં કારખાના છે. પણ આ વખતે ગોધરા કાંડ થયા કારખાના જાહેરમાં થયા નથી પણ ખાનગીમાં કયારનાય શરૂ થઈ ગયા છે. દેશી ફટાકડા બનાવવામાં અમદાવાદ મોખરે છે. આ ફટાકડા બનાવવામાં બાળ મજુરોનો ઉપયોગ સૌથી વધુ થાય છે. ફટાકડામાં વપરાંતા કાચા માલ સામાનનું ઉત્પાદન મદ્ધાસમાં થાય છે. આ ફટાકડાના કાચા સામાનમાં એલ્યુમિનિયમ પાવડર, બેરીયમ નાઈટ્રાઈડ, સલ્ફર અને સુતળી બોંબમાં સુતળી લપેટવામાં આવે છે. અગાઉના આ ફટાકડામાં પોટેશીયમ ફલોરાઈડ વપરાતું હતું પરંતુ આજે તેના પર પ્રતિબંધ લગાડવામાં આવ્યો છે. જેના ઉપયોગથી ફટાકડામાં અવાજ તીવ્રતા વધે છે. અમદાવાદમાં માટીની કોઠી છેક વૈશાખ મહિનામાં લગ્નની સીઝનથી શરૂ થઈ જાય છે. જે વરસાદમાં નકામી બની જાય છે જ્યારે શીવકાશીથી આવતી કોઠી પુઠા કે કણવવાથી કાચો માલ નાખવામાં આવે છે. જેના લીધે ફુલના તણખા મોટા થાય છે. આ કાચોને કોઠીમાં પથ્થરથી દબાવીને ફીટ કરવામાં આવતી હોવાથી દબાણ થતાં ઉંચે સુધી આ કાચો ઉડે છે. આ કોઠિમાં વપરાતો સુરોખાર સોના-ચાદીના ઘરેણા ધોવામાં ઉપયોગમાં લેવાય છે અમદાવાદમાં દિવાળીમાં દોઢેક મહિનામાં પહેલાથી ફટાકડા બનાવવાનું કામ શરૂ થાય છે.

Friday, October 9, 2009

2010ની સાલમાં ભારતના રાષ્ટ્રીય પ્રાણી વાઘ સામે ચીની ડ્રેગનનો ખતરો

By ENN,
અમદાવાદ,
ચીની જ્યોતિષ અનુસાર ચીનમાં દરેક વર્ષને પશુપક્ષીનાં નામ સાથે જોડવામાં આવે છે. ચાલુ વર્ષ 2009 ચીનમાં ઉંદરના વર્ષ તરીકે ઓળખાય છે. હવે આવનાર 2010ની સાલ વાઘના વર્ષ તરીકે ઓળખાશે. ચીનમાં એવી માન્યતા છે કે, જે તે વર્ષના પશુપક્ષીના અંગો રાખવાથી લાભ થાય છે. સામાન્ય સંજોગોમાં પણ ભારતમાંથી શિકારીઓ દ્વારા વાઘનો શિકાર કરી તેને ચીનમાં મોકલવામાં આવે છે. આ માટે ચીન ભારતના શિકારીઓને મોં માગ્યા રૂપિયા ચુકવે છે. ચીનમાં એવી માન્યતા છે કે, વાઘનું માસ ખાવાથી માણસના શરીરમાં ગજબની તાકાત ચપળતા અને તેજી આવે છે. જ્યારે વાઘના હાડકામાંથી વાઈન બનાવવામાં આવે છે. જેના લોકો મોં માગ્યા રૂપિયા ચૂકવે છે. જ્યારે વાઘનું ચામડું ચીનમાં લોકો ડ્રોઈંગ રૂમમાં રાખે છે.

આવનાર 2010ની સાલ ચીની જ્યોતિષ પ્રમાણે વાઘનું વર્ષ હોવાથી અને વાઘનાં અંગો સાથે અથવા ઘરમાં રાખવાથી ફાયદો તથા લાભ થતો હોવાથી માન્યતાથી ભારતમાંથી વાઘના અસંખ્ય શિકાર શિકારીઓ દ્વારા થવાની સંભાવના છે. તે આ અંગે કેન્દ્ર સરકાર તથા જે તે રાજ્ય સરકારે અત્યારથી જ ચેતી જવાની જરૂર છે. અને ભારતમાં ખાસ આન્ધ્રપ્રદેશ, બિહાર જેવા નકસલી રાજ્યો છે ત્યાં વાઘના શિકાર રોકવાની ખાસ જરૂર છે. આના માટે રેન્જ ફોરેસ્ટ ઓફિસર તથા તમામ જંગલના સુરક્ષાગાર્ડને વાઘની સુરક્ષા માટે આધુનિક હથિયારથી સજ્જ રહેવાની જરૂર છે.

ચાલુ વર્ષે ઓગસ્ટ 2009 સુધીમાં કુલ 66 વાઘના મૃત્યુ થયા છે. જેમાં 23 વાઘ શિકારીઓના શિકારનો ભોગ બન્યા છે. જ્યારે 43 વાઘ કુદરતી રીતે મૃત્યુ પામ્યા છે. અને હાલમાં કુલ 1300 વાઘ જ ભારતના 37 વાઘ રિર્ઝવમાં બચ્યા છે. હવે જાગીશું નહીં તો આવનાર વર્ષમાં આ આકડામાં હજુ ઘટાડો થવાની સંભાવના છે. અને આ શાનદાર પ્રાણી પુસ્તકમાં જ જોવા મળશે. (તુષાર. ડી. શાહ)

Friday, October 2, 2009

અમદાવાદનું સૌથી જૂનું ધના સુથારની પોળનું અંબાજીનું મંદિર
ધના સુથારની પોળમાં આવેલ આદ્યશક્તિ મા અંબાજીનું આ મંદિર આખા શહેરમાં એટલું પ્રખ્યાત થઈ ગયું છે કે ચૈત્રી તથા શારદીય નવરાત્રિમાં આ મંદિરમાં માનવમહેરાણ ઊમટે છે

By ENN,
અમદાવાદ,
જૂના અમદાવાદ રેલવે સ્ટેશન પાસેથી લાલ દરવાજા જવાના બે રસ્તા પડે છે. એક રસ્તો ગાંધી રોડ છે તો બીજો રસ્તો રિલીફ રોડ છે. આ રિલીફ રોડ ઉપર લાલ દરવાજા જતાં કાલુપુર પોલીસ સ્ટેશન પાસે પ્રખ્યાત ધના સુથારની પોળ આવેલી છે. પોળમાં ચોકઠા પાસે, ડાબા હાથે હવેલી જેવું મકાન છે. જેમાં આદ્ય અંબાજી માતાનું મંદિર આવેલું છે.

આ મંદિરનું જમણે હાથે પ્રવેશદ્વાર છે જેમાં પ્રવેશતા પ્રથમ લંબચોરસ મોટો દર્શકખંડ છે. અહીંના ઉતર દ્વાર સામે નાના અંબાજીનું સ્થાન છે. અહીં લાકડા ઉપર ચાંદી મઢેલ સુંદર કલાકારીગીરીવાળું મા ભગવતી અંબાજીનું સિંહાસન છે. માતાજીની લગભગ 4 ફુટ ઊંચી સરસ મજાની આરસપહાણની મૂર્તિ છે. માનું સ્વરૂપ ચતુર્ભુજ છે. તેમના હાથમાં ત્રિશુળ, તલવાર, ઘંટ અને અસુરનું માથુ ધારણ કરેલ માતાજીની મૂર્તિ અત્રે ઘણા સમયથી અહીં છે. લગભગ આખા અમદાવાદમાં આ મંદિર બહુ ખ્યાતિ પામ્યું છે.

આ મંદિર જૂના અમદાવાદનું સૌથી જુનું મંદિર છે. અહીં ચૈત્રી અને આસો ેમ બંને નવરાત્રિ તથા પોષ સુદ પુનમ કે જે મા ભગવતી અંબાજીનો પ્રાગટ્ય દિન છે તે ભારે ધુમધામથી ઉજવાય છે. આ ઉપરાંત માતાજીના અન્ય તહેવારો પણ ઉજવાય છે. કહેવાય છે કે, એક સમય આજની સાબરમતી નદી ગાંદી રોડ ઉપરના ફર્નાન્ડિઝ પુલ નીચેથી વહેતી હતી તે સમયે નદીકાંઠે એક ખેડૂતને નદીમાંથી મા અંબાજીની પાષણની મૂર્તિ મળી. તેના ઘરમાં તેણે પૂજા શરૂ કરી. એકવાર માતાજી તેના સ્વપ્નમાં આવ્યા અને આજ્ઞા કરી કે, ''તારાથી મારી મૂર્તિની યોગ્ય સેવા-પૂજા કરી શકાતી નથી કાલે વહેલી સવારે એક તપોધન બ્રાહ્મણ તારે ત્યાં આવશે તેને તું મારી મૂર્તિ આપી દેજે. તે બરાબર સેવા-પૂજા કરી મારું મંદિર બનાવશે.'' આ તરફ ધના સુથારની પોળમાં રહેતા એક તપોધન બ્રાહ્મણને માતાજીએ સ્વપ્નમાં સંકેત આપી કહ્યું કે, ''હે વિપ્ર સાબરમતીના કાંઠે (ટંકશાળની પોળ પાસે) એક ખેડૂત પાસે મારી આરસપહાણની સુંદર મૂર્તિ છે તે તું તેની પાસેથી લાવ. મારું મંદિર બનાવી તેમાં તે મૂર્તિ પધરાવ. તેથી તારું શુભ મંગળ તથા તારા વંશજોનો ભાગ્યોદય થશે.'' સ્વપ્ન પ્રમાણે તે બ્રાહ્મણે ખેડૂતને શોધી માની મૂર્તિ લાવી પોતાના ઘર મંદિરમાં સ્થાપના કરી નિત્ય-નિયમથી સેવાપૂજા શરૂ કરી.

સાડી પહેરતા નથી આવડતી ?, ચિંતા નહીં, રેડી-ટુ-વેર સાડી આવી રહી છે !

By ENN,
સાડી પહેરતાં આવડતી ન હોય તેવી યુવતીઓ માટે અમે રેડી-ટુ-વેર સાડી બનાવી છે. માર્કેટને વૃદ્ધિ તરફ લઈ જવા માટે અમારે નવી પ્રોડક્ટ્સ રજૂ કરવી પડશે. અમે રેડી-ટુ-વેર પ્લેટેડ ટ્રાઉજર રજૂ પણ કર્યા છે. જેઓ જીન્સ પહેરવામાં ખચકાઈ રહ્યા છે પરંતુ ટ્રાઉજર સ્વરૂપમાં ડેનિમ પહેરવામાં વાંધો નથી તેમના માટે આ પ્રોડક્ટ્સ છેઃ સંજય શ્રેણિક લાલભાઈ

અરવિંદ મિલના 55 વર્ષીય ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર સંજય શ્રેણિક લાલભાઈએ કંપનીની 79મી એજીએમમાં ડેનિમ ટ્રાઉજર પહેર્યું હતું. આ ગણતરીપૂર્વકનો નિર્ણય હતો. જે એવો સંદેશો આપી રહ્યો હતો કે, ''ડેનિમ માત્ર જીન્સ નથી કાપડને તમે કોઈ સ્વરૂપ સાથે જોડી શકો નહીં.'' એમ 1985માં કુંટુબના ફેમિલી ટેક્સટાઈલ બિઝનેસમાં જોડાયેલા અને મિલને વિશ્વમાં પાંચમા ક્રમની ડેનિમ ઉત્પાદક કંપની બનાવનાર સંજય લાલભાઈ જણાવે છે. વાતચીતમાં તેઓ જણાવે છે કે રૂ.700 કરોડની કંપની ટૂંક સમયમાં જ ડેનિમના સલવાર કમીઝ અને કદાચ સાડી પણ રજૂ કરશે. આ મુલાકાતના સંકલિત અંશ અહીં પ્રસ્તુત છેઃ

આપણે વિશાળ સ્થાનિક બજાર ધરાવીએ છીએ છતાં છેલ્લા દોઢ વર્ષમાં એક લાખ એકમ બંધ થયા અને દસ લાખ નોકરી ગુમાવી. શા માટે?
ભારતની ટેક્સટાઈલ નિકાસ 24 અબજ ડોલર જેટલી છે. નિકાસ 20 ટકાના દરે ઘટી રહી હતી ત્યારે 35 અબજ ડોલરનું સ્થાનિક બજાર વર્ષે 4-5 ટકાના દરે વૃદ્ધિ પામી રહ્યું હતું. જે નિકાસમાં ઘટાડાની અસરને ખાળવા માટે પૂરતું સક્ષમ નહોતું. પરિણામે તિરુપુર જેવા ક્લસ્ટરમાં ટેક્સટાઈલ એકમોએ 40-50 ટકાની ક્ષમતાએ કામ કરવું પડતું હતું અને આખરે તેમણે કર્મચારીઓને છૂટા કરવાની ફરજ પડી.

ક્રિસમસ અગાઉ અમેરિકા અને યરોપની માંગંમાં સુધારાને પગલે તમે ભારતમાં રિક્વરી જણાય છો?
અમેરિકા ખાતે બેરોજગારીમાં 10 ટકાની વૃદ્ધિને કારણે ત્યાંની ખરીદી પર રોક લાગી હતી. તમામ મોટી બ્રાન્ડ્સનું વેચાણ ઘટી રહ્યું હતું કેમ કે ખરીદીના લિસ્ટમાંથી સૌથી પહેલા એપેરલ્સના બાદબાકી થઈ રહી હતી. પરંતુ હવે સ્ટિમ્યુલસ પેકેજિસની અસર જોવા મળી રહી છે અને અર્થતંત્રમાં વિશ્વાસ પાછો ફરી રહ્યો છે. એપેરલનું વેચાણ ધીમે ધીમે વધી રહ્યું છે. પરંતુ અગાઉની સ્થિતિ પાછી જોવી હોય તો અમેરિકાના ગ્રાહક માટે ખરેખર ફિલ-ગૂડ ફેક્ટર ઊભું થવું જરૂરી છે. જે આગામી વર્ષના બીજા ક્વાર્ટર દરમિયાન જોવા મળે તેવું અમે માનીએ છીએ.

ભારત માટે વૈકલ્પિક નિકાસ બજાર કયું હોઈ શકે?
જાપાન તે મોટું બજાર છે. લગભગ તમામ જાપાની કંપનીઓએ સંયુક્ત સાહસમાં ચીનમાં એકમ સ્થાપ્યા છે. તેઓ 80 ટકા જેટલી તેમની માંગ ચીનમાંથી સંતોષે છે. પરંતુ તેઓ હવે ખર્ચ વૃદ્ધિનો ભોગ બન્યા છે. તેથી તેમણે ભારતમાં આવવાનું શરૂ કર્યું છે.

કેન્દ્રિય કાપડ પ્રધાન દયાનિધિ મારને તાજેતરમાં જણાવ્યું હતું કે, ''મેન્યુફેક્ચર એન્ડ મેક મની ઇન ઇન્ડિયા'' તમે માનો છો કે આવું થઈ રહ્યું છે?
ચોક્કસ આપણે ચીન બાદ વસતિમાં બીજા ક્રમે છીએ. ચીનમાં અર્થતંત્ર સ્થાનિક માંગ પાછળ વૃદ્ધિ કરી રહ્યું છે. જોકે તેમનો નિકાસ હિસ્સો 220 અબજ ડોલર જેટલો મોટો છે. તેઓ હવે સ્થાનિક વપરાશ પર ભાર મૂકી રહ્યા છે. ભારતમાં આપણે સરકાર સાથે બેસીને સ્થાનિક વપરાશને કેવી રીતે વેગ આપવો તે નક્કી કરવાની જરૂર છે. કેવી રીતે ઓર્ગેનાઈઝ્ડ માર્કેટને વધારવું તે મહત્વનું છે. હાલમાં સ્થાનિક બજારમાં ઓર્ગેનાઈઝ્ડ ક્ષેત્રનો હિસ્સો માત્ર 7 ટકા જેટલો છે. જેનું કારણ મજબુત ડિસ્ટ્રિબ્યુશન મિકેનિઝમનો અભાવ છે.

આમ કરવામાં શું નડી રહ્યું છે?
ભારતમાં કેટલાક કારણો છે. આપણી પાસે પુરતી માલખાકીય સુવિધા નથી. જો તમે ડિસ્ટ્રિબ્યુશન ખર્ચમાં ઘટાડો લાવવા ઇચ્છતા હોવ તો તમારે શહેરની વચ્ચે નહીં પરંતુ બહારના વિસ્તારોમાં મોલ સ્થાપવા જોઈએ. આમ કરવાથી તમારી ભાડાની કિંમતમાં ઘટાડો થશે. હાલમાં દેશમાં રિયલ એસ્ટેટના ભાડા વિશ્વમાં સૌથી ઊંચા ભાડામાં સમાવેશ પામે છે. રિયલ એસ્ટેટના ભાવ પણ વાજબી થાય તે જરૂરી છે.

તમે તમારા બજારનું વિસ્તરણ અંગે શું યોજના ધરાવો છો?
ફાઇવ પોકેટ જીન્સ ગામડાનાં ગ્રાહકના કામમાં નથી આવવાનું. કંપનીઓએ પ્રોડક્ટ સુધારવાની જરૂર છે. સલવાર સુટ અને સાડી ડેનિમના કેમ ના હોઈ શકે? આપણો ગ્રાહક સાથે સંબંધ હોવો જોઈએ. તમે માત્ર ટ્રાઉઝર પહેરતી મહિલાની માંગ સંતોષીને બેસી ના શકો. ભારતીય કંપનીઓએ કાપડને એક રૂપ સાથે સાંકળ્યું છે. ડેનિમ એટલે માત્ર જીન્સ, એવું નથી. તે પશ્ચિમની ઘટના છે. પરંતુ આપણે ભારતમાં છીએ. આપણે બાંધણી સાડી અને પાટણના પટોડા ડેનિમમાં બનાવી શકીએ છીએ.

અત્યાધુનિક શસ્ત્રોથી સજ્જ થશે ગુજરાત પોલીસ
થ્રી નોટ થ્રીનું સ્થાન હવે ઈન્સાસ રાયફલો લેશે ઇન્સાસ કાર્બાઈન સ્ટેનગન, ઇન્સાસ એલએમજી, એમપી-5 મશીનગન તેમજ એફએસએલના સાધનો પણ તબક્કાવાર મળશે

By ENN,
ગાંધીનગર,
ગુજરાત પોલીસને અત્યાધુનિક શસ્ત્રો-સાધનોથી સુસજ્જ કરવાના ભાગરૂપે પુરાણી થ્રી નોટ થ્રી ના સ્થાને હવે 9,800 ઇન્સાસ રાયફલો ગુજરાત પોલીસને મળશે. જેનો પ્રથમ જથ્થો આ મહિનાના અંત સુધીમાં ગુજરાત પોલીસને મળી જશે.

ગત વર્ષે અમદાવાદમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ગુજરાત પોલીસને આતંકવાદીઓનો સામનો કરી શકે તેવા અત્યાધુનિક શસ્ત્રોથી સજ્જ કરવામાં આવી રહી છે. ગુજરાત પોલીસના હથિયારધારી દળોને આતંકવાદીઓ સામે લડવાની ખાસ તાલીમ અપાઈ રહી છે. તે સાથે જ અત્યાધુનિક ઇન્સાસ રાયફલ ચલાવવાની પણ તાલીમ આપવામાં આવી રહી છે. રાજ્યમાં લગભગ 65,000 હથિયારધારી પોલીસ છે તેના 50ટકા પોલીસને ઇન્સાસ રાયફલ આપવામાં આવશે. રાજ્યના દરેક જિલ્લા પોલીસ દળને તેમજ એટીએસ અને એસઆરપીને આ અાધુનિક શસ્ત્ર ઇન્સાસ રાયફલ આપવામાં આવશે.

રાજ્યના ગૃહ સચિવ શ્રી ટી.એસ.બિષ્ટે આ અંગેની માહિતી આપતા જણાવ્યું કે, આતંકવાદીઓના આધુનિક શસ્ત્રોનો સામનો પોલીસ પાસેની વર્ષો જુની થ્રી નોટ થ્રી રાયફલથી થઈ શકે તેમ ન હોવાથી પપર્મોડનાઈઝેશન ઓફ પોલીસ ફોર્સ પપ(MPF) અંતર્ગત અત્યાધુનિક ઇન્સાસ રાયફલથી ગુજરાત પોલીસને સજ્જ કરવાનો નિર્ણય કરાયો છે. જેના માટે એપ્રિલ, 2009માં કેન્દ્રસરકારને દરખાસ્ત મોકલવામાં આવતાં તે મંજુર થઈ ગઈ છે. ગૃહ વિભાગે પુણેની ઓર્ડનન્સ ફેક્ટરી બોર્ડને 9800 જેટલી ઇન્સાસ માટે ઓર્ડર આપ્યો છે.તેનો 75 ટકા ખર્ચ કેન્દ્ર સરકાર અને 25 ટકા ખર્ચ રાજ્યસરકાર ભોગવશે. આગામી પંદર દિવસમાં ઇન્સાસ રાયફલનો પ્રથમ જથ્થો આવી જતા તે ગુજરાત પોલીસને અપાશે. છેલ્લા 60 વર્ષથી ગુજરાત પોલીસમાં સ્થાન પામેલી થ્રી નોટ થ્રી રાયફલોનું સ્થાન હવે નવા ઇન્સાસ રાયફલો લેશે.

કેન્દ્રિય ગૃહ મંત્રાલયે પોલીસને આધુનિક બનાવવાના ભાગરૂપે લગભગ 2000 જેટલી ઇન્સાસ રાયફલો ગુજરાતને આપી છે. કેન્દ્ર સરકારે આપેલી આ ઇન્સાસ રાયફલો હાલમાં ગુજરાત પોલીસના સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ દ્વારા વાપરવામાં આવે છે. જે જવાનો પાસે હાલમાં ઇન્સાસ રાયફલો છે તેમને આ ઇન્સાસ રાયફલો વાપરવી ખુબ જ સહેલી છે અને તેનું વજન પણ ઘણું ઓછું છે. એસઓજીના કેટલાક જવાનોને આ રાયફલો ચલાવવા માટે ખાસ તાલીમ પણ આપવામાં આવી છે. જો કે તાલીમ સુધી તેનો કોઈ ઉપયોગ થયો નથી.

નૈતિક મુલ્યોનાં હ્રાસ કરતી શિક્ષણની હાટડીઓ

By ENN,
આજે ભાગ્યે જ કોઈ એવું ક્ષેત્ર છે કે જ્યાં ગેરરીતિ, અપ્રમાણિક્તા થતી ન હોય ? એમાં શિક્ષણક્ષેત્ર થોડું બાકાત રહી શકે ? પરીક્ષાના પેપર ફૂટવા એ તો સામાન્ય વાત છે. તાજેતરમાં જ સર્વોત્તમ મેનેજમેન્ટ પ્રવેશ પરીક્ષાનાં બધાં જ પેપરો ફુટી ગયા ત્યારે તો સખત આંચકો લાગ્યો હતો.

એમાં પણ ટ્યૂશન કલાસોએ તો દાટ વાળી દીધો છે. 5મી કક્ષાના નાના બાળકો પણ ટ્યૂશન ક્લાસનાં પગથિયા ચઢતા થઈ ગયા છે. મારાં મિત્રના પૌત્ર 9મી કક્ષામાં છે. ઘણો હોંશિયાર છે. બહુ જ સારી શાળામાં અભ્યાસ કરે છે. પણ સાયન્સ, મૈથ્સ અને ઈંગ્લિશના ટ્યૂશન ક્લાસ ભરે છે. હું પુછું કે શું શાળામાં શિક્ષણ અપાતું નથી કે એટલું અઘરું હોય છે. કે ટ્યૂશન ક્લાસની જરૂર પડે છે ! વાજબી ફી લઈને ટ્યૂશન આપતાં હોય તો જાણે ઓ. કે., પણ 9મી કક્ષામાં હોયતો એડવાન્સમાં 9મી અને 10મી કક્ષાના કે પછી 11મી કક્ષાના હોય તો 11 અને 12મી કક્ષાના એડવાન્સમાં ફીના પૈસા લે છે શા માટે ? કારણ કે સારા ટ્યૂશન ક્લાસ કે શિખ માટે એવો ઘસારો હોય છે કે 10મી કક્ષા કે 12મી કક્ષા એડવાન્સમાં નહીં મળે. એટલે એડવાન્સ બુકિંગ ! વાહ ભય વાહ આવો વાલીઓને ભય હોય છે. આ વાત પણ એવા જ વિદ્યાર્થીની છે કે રાજનના પુત્ર શીનેરાજને નિયમિત રીતે ટ્યૂશન વર્ગોમાં હાજરી આપી હતી. અભ્યાસ પણ કર્યો હતો. એ છતાં એ ત્રણે વિષયોમાં નાપાસ થયો, મેથેમેટિક્સ, ફિઝિક્સ અને કેમિસ્ટ્રી જે એની સપ્ટેમ્બરમાં શાળાના ફર્સ્ટ ટર્મ પરીક્ષાનો પરિણામ પરથી જાણવા મળ્યું. રાજનના પિતાએ ટ્યૂશન વર્ગના શિક્ષકને ખાસ વિંનતી કરી હતી કે તેઓ પોતાના પુત્ર પર વિશેષ ધ્યાન આપે જેથી બહેત્તર પરિણામ આવે પણ એ ત્રણ વિષયમાં આવશ્યક કુશળતા પ્રાપ્ત કરી શક્યો નહીં. પરિણામ નિરાશાજનક હતું એટલે એમણે પોતાના પુત્રને આ ટ્યૂશન વર્ગ છોડવાની સલાહ આપી.

શીનેરાજન આ એકેડમીમાં 12મી કક્ષા માટે પણ રજિસ્ટર હતો એટલે એના પિતા રાજને આ સંસ્થાની મુલાકાત લીધી અને 12મી કક્ષા માટે રૂ.5000/ એડવાન્સ ફીના આપ્યા હતા, રિફંડની માગણી કરી. ચાર-પાંચ વખત વ્યક્તિગત વિનંતીઓ, ટેલિફોન અને લેખિતપત્ર છતાં એકેડમીએ આ રકમ રિફન્ડ આપ્યા નહીં. એટલે એમણે વકીલની કાયદેસર નોટિસ મોકલી. એકેડમીએ એનો સુદ્ધાં જવાબ પણ આપ્યો નહીં. ત્યારે રાજને એક ગ્રાહક સંસ્થાની મુલાકાત લીધી. આ સંસ્થા દ્વારા પત્રવ્યવહાર અને વાટાઘાટ ચલાવી. આ ખરેખર એક દુઃખજનક હકીકત છે કે, એક શિક્ષણ સંસ્થાનું આવું નૈતિક પતન !

આ ગ્રાહક સંસ્થાએ વિગતવાર પત્ર એકેડેમીને લખ્યો. એકેડેમીનું કહેવું હતું કે રાજને 11મી કક્ષાની પૂરી ફી આપી નથી એટલે 12 કક્ષાની એડવાન્સ ટ્યૂશન ફી એમાં એડજસ્ટ કરી છે. રાજને આ પ્રમાણે સુચન કર્યું હતું. જેનો અમલ કર્યો છે. અલબત્ત રાજને જણાવ્યું કે, એમના પુત્રે ઓક્ટોબર માસ પછી ટ્યૂશન વર્ગો ભર્યા નથી તો શા માટે એ સત્રની ફી ભરવામાં આવે ? તદુપરાંત તેમણે 11મી કક્ષાના રૂ.7500 તો એકેડેમીને આપી દીધા છે. આ કેસનો સારો એવો પીછો કરવામાં આવ્યો અને આખરે એકેડમીએ રૂ.5000નું રિફંડ આપ્યું. વાસ્તવમાં આવા ટ્યૂશન વર્ગો ગેરનેટેડ પાસ કરાવી દઈશું જોબ અપાવી દઈશું. આવા પ્રલોભનો આપી ગરજાઉ વિદ્યાર્થીઓની ફી હડપ કરી જાય છે. એવાં કેટલાય વાલીઓ છે જેમને આવાં કડવા અનુભવો થયા છે.

કેટલીક સુપ્રસિદ્ધ કોમ્પ્યુટર શિક્ષણ આપતી સંસ્થાઓ આવા બેબુનિયાદ દાવાઓ કરે છે કે સરકારમાન્ય. ડીગ્રી અને ડિપ્લોમા એમના તરફથી મળશે. આ એક નરાતાર જૂઠાણું છે. એક જાણીતી કોમ્પ્યુટર સંસ્થા વિદ્યાર્થીને દર માસે રૂ.15000 ની ગેરેન્ટેડ જોબ આપે છે. એની કાર્યશૈલી જોવા મળે છે. એ વિદ્યાર્થી પાસે 3/4 હપ્તાઓમાં રૂ.1,50,000/ ફી વસુલ કરે છે. જેમાં રૂ.50,000 હજાર ટ્યૂશન ફીનાં છે એમ ગણાવે છે. છ માસ ટ્રેનિંગ પૂરી થાય એટલે ઇન્સ્ટટ્યૂટ વિદ્યાર્થાને ડિપ્લોમા આપે છે. ડિપ્લોમામાં આપવાનો ભવ્ય કાર્યક્રમ થાય છે. વિદ્યાર્થી અને તેના વાલી હરકાય છે કે કોમ્પ્યૂટરમાં ઉચ્ચ શિક્ષણનો ડિપ્લોમા મળ્યો અને રૂ.1500/ ની દર માસે નોકરી પણ મળી ગઈ. મોટે ભાગે આ શૈક્ષણિક સંસ્થામાં આ વિદ્યાર્થીને નોકરી કર્યા બાદ મેનેજમેન્ટ એને રૂખસદ આપી દે છે. આતો એવો ઘાટ થયો કે ઇન્સ્ટટ્યૂટે રૂ. એક લાખ ટ્યૂશન ફીના વધારે પડાવી લીધા. તમારે જ પૈસે ઇન્સ્ટટ્યૂટમાં રૂ. 15000/ એક માસના લેખે આપી એમણે કામ કરાવ્યું એ રૂપિયા એક લાખ પાછા આપી દીધા. કેવી અદ્ભૂત છે કાર્યશૈલી ? આના નૈતિક મૂલ્યોનાં હ્રાસ કરતી શિક્ષણ સંસ્થાઓ પાસે કઈ અપેક્ષા રાખી શકાય?

કચ્છ હવે ''સિમેન્ટ-કોંક્રિટનાં રણ''થી ઓળખાશે

By ENN,
ભૂજ,
ગુજરાતનો સરહદી જિલ્લો હવે ઔધોગિક વિકાસની હોડમાં તેની અસલ પ્રાકૃતિક છાપ ધીમે ધીમે ગુમાવી રહ્યો છે. પશુપાલન અને ખેતીના પરંપરાગત વ્યવસાય પર નભતા કચ્છને ઔધોગિકરણનો નવો રંગ લાગતા પશુઓના ચરિયાણ અને ખેતી માટેની જમીન કોંક્રિટના મોટા જંગલો ઊભા થઈ રહ્યા છે. ભૂજ નજીકના ગામડાઓમાં આજથી એક દાયકા પહેલા 100 રૂપિયાના વારના ભાવની જમીન લેતા પણ લોકો ખચકાતા હતા જ્યારે આજે 3500થી 6000ના પ્રતિવારના ભાવની જમીન ખરીદવા પડાપડી થઈ રહી છે. ભૂજ નજીકનું હરિપર તથા માધાપરને પણ જાણે હવે મહાનગરોનો રંગ લાગ્યો હોય તેમ અહીંયા સિમેન્ટ-કોંક્રિટના જંગલોનો ખડકલો થઈ રહ્યો છે.

ભૂજ નજીક માથાપર, હરિપર, ભુજાડી, મિરજાપર, સુખપર, માનકૂવા જેવા ગામોમાં ખેતરો ઝડરભેર વેચાતા જાય છે અને આ ખેતરોમાં નવા નવા રેસિડેન્શીયલ કોમ્પ્લેક્સ અને ફાર્મના નિર્માણકામ ઝડપભેર થતા જાય છે. ભૂજથી થોડે દૂર આવેલા પર્યટનધામ ટપકેશ્વરીના ડુંગરોની ગોદમાં વસેલું હરિપર ગામ એક સમયે માત્ર પશુપાલકોનું ગામ ગણાતું. વર્ષમાં માત્ર એક વખત જ્યારે ટપકેશ્વરીનો મેળો ભરાય ત્યારે આ ગામ પાસેથી લોકો પસાર થતા અને હરિપરના માલધારીઓને શહેરી સંસ્કૃતિ સાથે માત્ર આટલો જ સંબંઘ હતો, આજે હરિપર ગામની સીમના મોટા ભાગના વિસ્તારો બિલ્ડરો અને લેન્ડ ડેવલોપર્સના હાથમાં આવી ગયા છે. અહીં મોટા મોટા રેસીડેન્શીયલ પ્રોજેક્ટ શરૂ થયા છે. જે વિસ્તારમાં ભૂજ સહિતના વિસ્તારોનું પશુધન ચરિયાણ માટે આવતું તે વિસ્તારો ધીમે ધીમે વેરાન બનતો જાય છે.

અહીં પશુધનના ચરિયાણની વાત તો બાજુએ રહી પણ હવે આગામી વર્ષોમાં ગાયો, ભેંસ કે ઘેટાં-બકરાંને ઘાસનું તણખલું પણ મળી શકે તેમ નથી. તેવી જ રીતે પટેલ-ચોવીસીનાં ગામો પણ ધીમે ધીમે કોંક્રિટના જંગલોંમાં ફેરવાતા જાય છે. મુંબઈમાં સ્થાયી થયેલા કેટલાક કચ્છીઓ પણ જીવનના અંતિમ દાયકામાં માદરે વતનમાં ઠરીઠામ થવાની મનેચ્છા રાખતા હોય છે. તેથી આવા પરિવારો પણ કચ્છમાં જમીનમાં રોકાણ કરી દે છે. કુદરતની સંતુલન કડીને ઝડરભેર ચાલી રહેલા બાંધકામો મુશ્કેલી પહોંચાડી કહ્યા છે. તેથી આમ પણ રેગિસ્તાન ગણાતો આમુલક હવે માત્ર સિમેન્ટ-કોંક્રિટના જંગલોમાં ફેરવાઈ જશે. મોરના નૃત્યો કે કોયલના ટહુકાના સાંભળવા પશુધનને નિરાંતે ચરતા જોવા હવે મિશ્કેલ થઈ પડશે. એમ એક પર્યાવરણ વિદે જણાવ્યું હતું.

સૌરાષ્ટ્રનાં પાંચ વિખ્યાત રત્નો પૈકીનું એક ''કાઠિયાવાડી અશ્વ''

By ENN,
સૌરાષ્ટ્ર,
સૌરાષ્ટ્રનાં પાંચ વિખ્યાત રત્નો પૈકીનું એક એટલે કાઠિયાવાડી અશ્વ આજે નેનોના જમાનામાં કદાચ અશ્વનું કે મિસાઈલના જમાનામાં અશ્વદળનું મહત્વ ન સમજી શકાય, પરંતું એક સમયે અશ્વ પરિવહન યુદ્ધ અને પ્રતિષ્ઠાનું સૌથી અગત્યમનું માધ્યમ હતું. પોતાના માનીતા અશ્વ માટે રાજપાટ અને જીવનને દાવ પર મુકાયાનાં ઉદાહરણોનો પણ ઈતિહાસ સાક્ષી છે.

કહેવાય છે કે, બધા જ પ્રાણીઓમાં માત્ર ઘોડો જ પૂર્ણ નર છે. કારણ કે, માત્ર તેને જ સ્ત્રીચિહન એટલે કે સ્તન હોતાં નથી. સામાન્ય રીતે ઘોડી ગર્ભાધાનથી 11 મહિને અથવા તો 345 દિવસે એક બચ્ચાને જન્મ આપે છે. ઘોડાની આયુમર્યાદા સામાન્યતઃ 27થી 30 વર્ષની ગણાય છે. ઘોડાના અનેક પ્રકારો છે. જેમાં જે તે દેશ પ્રદેશમાં ઉત્પતિ મુજબ ઓળખાય છે. જેમ કે સિંધી, કાઠિયાવાડી, અરબી, કાબુલી, દક્ષિણી, પહાડી, પેટુ, મારવાડી, કચ્છી, માળવી, ઓસ્ટ્રેલિયન વગેરે આ ઉપરાંત ઘોડાની સંખ્યાબંધ જાત છે. ફૂલ માળિયો, માણેક, ઓરિયો, તાજણિયો, કેસરી, રેડિયો, માલિયો, બાદલિયો, ચવરઢાળ, જખાદિયો, હરણિયો, મારૂચો, ડોલર, રેશમિયો, લખમિયો, વાગળિયો, બેગળિયો, ચટપંખો, નાગફણો, બહેરિયો, સારટિયો, રીમિયો, બાજળિયો, ચિંતામણી, અગરિયો, પરવાળિયો, મોરધજ, પારખમણિ, પરૈયો, પોપટ, છલબલ, તોખારિયો, સાંકળિયો, કાબર, કાગડિયો, ઘૂમડી, કાલડી, પંખાળિયો, હસળિયો, મણિયો, આખડિયો, રામપહા, કાળીભાર, પૂતળિયો, તેજો, ખંખારિયો, સળિયો, દાવલિયો, કોહાલ, રૂપાળિયો, હરડિયો, માકડો, છપરિયો, ચોટીલો, હીરાળો, માછલિયો વગેરે....

Equas caballus જેવું વૈજ્ઞાનિક નામ ધરાવતા ઘોડાની ઊંચાઈ પ્રમાણે સાત પ્રકારમાં વહેંચણી થાય છે. સાઠ આંગળ ઊંચો, સાધુ, ચોરઠ આંગળ, શ્રીવત્સ, અડછઠ આંગળ અહિલાદ, બોતેર આંગળ મનોહારી, છોતર આંગળ વિજય, એંશી આંગળ વૈભવ અને ચૌરાસી આંગળ ઊંચો ઘોડો શાંત કહેવાય છે.
ભૂતકાળમાં યુદ્ધભૂમિ પર અશ્વદળોએ ઉચ્ચ કાર્યક્ષમતા અને યુદ્ધ કુશળતાનો પરિચય આપ્યો છે. અનેક યુદ્ધોની જીત તેના અશ્વદળોને આભારી રહી છે. જ્યારે સંગઠિત યુદ્ધ કળાનો વિકાસ થયો ત્યારથી જ અશ્વદળની શરૂાત થયા ના પુરાવા મળ્યા છે.

સૌરાષ્ટ્રમાં જાતવાન ઘોડીની 36 જાતો ગણાય છે જે નીચે મુજબ છે
1. પીરાણી 2. તાજણી 3. ઢેલ 4. હેમણ 5. માણકી 6. પટી 7. નોરાણી 8. હીરાળી 9. મૂંગી 10. ફૂલમાળ 11. બોદલી 12. માછલી 13. રેડી 14. શિંગાળી 15. છોગારી 16. બેરી 17. છપર 18. બાંગળી 19. શૈલ્ય 20. આંગી 21. ચમરઢાળ 22. ભૂતડી 23. દાવલી 24. રેશમ 25. કેસર 26. મુગટ 27. લખી 28. વાંદરી 29. લાલ 30. અટારી 31. લાશ 32. મૂલ્ય 33. જબાદ 34. મની 35. રીમી 36. હરણી

અમદાવાદની એક ફાર્મા કંપની દ્વારા ઊલટી રોકવા માટે નેઝલ સ્પ્રે વિકસાવાયું

ByENN,
અમદાવાદ,
અમદાવાદ સ્થિત એક ફાર્મા કંપનીએ ઊલટી રોકવાના ઉપચાર માટે નેઝલ (નાક વડે આપી શકાય તેવો) સ્પ્રે વિકસાવ્યો છે. આ નવી ડ્રગ ડિલિવરી સિસ્ટમ (એનડીડીએસ) માટે કપનીએ તાજેતરમાં જ પેટન્ટ મેળવી છે. વારંવાર ઊલટી થવાના કારણે દવા ગળી શકતા ન હોય તેવા દર્દીઓ માટે આ સિસ્ટમ ઉપયોગી સાબિત થશે. નવા સ્પ્રે માટે ડીસીજીઆઈની મંજૂરી મેળવવાની બાકી છે. દર્દીઓને પરંપરાગત ઊલટી વિરોધી ઈન્જેકશન આપવાના બદલે આ દવા આપી શકાશે અને ઓટીસી પ્રોડક્ટ તરીકે તેનું વેચાણ થશે, કંપનીએ વધુ બે એનડીડીએસ પ્રોડક્ટ માટે પણ મંજૂરી મેળવી છે. તેમાં એક મોઢામાં ઓગળી જતી સ્ટ્રીપ છે અને બીજી દવા યોનિ મારફત આપી શકાય છે.

કંપનીના આર એન્ડ ડી ડિરેક્ટરે જણાવ્યું હતું કે, ''ઊલટી અટકાવવા માટે સામાન્ય રીતે એન્ટિ-વોમિટિંગ દવા અપાય છે, પરંતુ મોટા ભાગના કિસ્સામાં વ્યક્તિ આ ટેબ્લેટ્સને પણ ઊલટીમાં કાઢી નાખે છે અથવા તે ગળી શકતી નથી. આવા દર્દીઓ માટે નેઝલ સ્પ્રે ઉપયોગી સાબિત થશે'' ''એન્ટિ-વોમિટિંગ સેગમેન્ટ માટે દેશમાં અમુક પરંપરાગત ગોળીઓ અને ઇન્જેક્શનને બાદ કરતાં અન્ય કોઈ પ્રોડક્ટ ઉપલબ્ધ નથી. ઊલટી બંધ ન થાય ત્યાં સુધી સારવાર થઈ શકે તેમ ન હોય ત્યારે ડોક્ટર સ્પ્રેની મદદથી સારવાર શરૂ કરી શકશે. કોલેરા તથા બેક્ટેરિયા અને પ્રોટોઝોન પેરાસાઈટ્સ સંબંધી ગેસ્ટ્રીક ઇન્ફેક્શન હોય ત્યારે દર્દી સતત ઊલટી કરે છે. અંદાજ પ્રમાણે દેશમાં વેચાતી કુલ દવાઓમાં ગેસ્ટ્રોએન્ટેરાઈટિસ દવાઓનો હિસ્સો 10 ટકા છે. ઇન્ટ્રવિનસ (આઈવી) પછી નેઝલ રૂટ મારફતે દવા ઝડપભેર પહોંચાડી શકાય છે. પરંપરાગત ઊલટી વિરોધી દવાઓએ પેટ અને શરીરની અન્ય સિસ્ટમમાંથી પસાર થવું પડે છે, પરંતુ નેઝલ સ્પ્રે સીધો શરીરમાં કામ શરૂ કરે છે. એનડીડીએસ સેગમેન્ટમાં અન્ય કેટલીક પ્રોડક્ટ લોન્ચ કરવાની તૈપારી ધરાવતી કંપની આગામી બેથી ત્રણ મહિનામાં તેની પેટન્ટ હેઠળની ત્રણ દવા લોન્ચ કરશે.''

Friday, September 18, 2009

''મફતમાં પણ ' નેનો' નથી જોઈતી''

By ENN,
અમદાવાદ,
ટાટા કંપનીની આમ આદમીની કાર'નેનો' ના બુકિંગ બાદ જે વ્યક્તિઓને લોટરીમાં ન લાગી તેઓ હતાશ અને નિરાશ થયા, પણ બોપલ વિસ્તારમાં રહેતા વેપારી 54 વર્ષીય રવીન્દ્ર ભગતને 'નેનો' લોટરીમાં લાગી, પણ તેઓ નિરાશ અને હતાશ થયા છે. ટાટાના ડ્રીમ પ્રોજેક્ટ 'નેનો' વિશે રવીન્દ્ર ભગત કહે છે ''પાર્કિંગમાં પાર્ક કરેલી નેનો ભડભડ સળગી ઊઠી. કંપનીએ સસ્તી કાર બનાવવા માટે સિક્યોરિટી ફિચર સાથે કોમ્પ્રોમાઈઝ કર્યું છે. ત્યારે હવે નેનો ન જોઈએ. કોઈ પણ કિંમતે નેનો જોઈતી નથી.'' પોતાના મકાન આગળ પાર્ક કરેલી નેનો કાર (જીજે-1-કેએ-4648) રવિવારે અચાનક સળગી ઉઠી હતી. રવીન્દ્ર ભગતે એસ.જી. હાઈવે પર આવેલા ટાટાના ડીલર 'કાર્ગો મોટર્સ' પાસે પોલીસ ફરિયાદ નોંધાવી પાંચ લાખ રૂપયાના વળતરની માગણી કરી છે.

રવીન્દ્ર ભગતને મે-2009ના રોજ નેનો લોટરીમાં લાગી. ત્યાર બાદ 14 ઓગસ્ટ, 2009ના રોજ નેનોની ડિલિવરી લેનાર શહેરની થોડી વ્યક્તિઓમાંના એક હતા, પણ બે દિવસ પહેલાં રવિવારના રોજ રવીન્દ્રભાઈ ભગત પોતાની પત્ની સાથે ભાઈને ત્યાં શ્રાદ્ધનું જમવા ગયા હતા ત્યારે તેમના ઘર આગળ પાર્ક કરેલી નેનો અચાનક સળગી ઊઠવાના સમાચાર તેમના પાડોશીઓ દ્વારા મળ્યા . તેઓ સમાચાર મળતાની સાથે ચોંકી ઈઠ્યા હતા. પડોશીઓ દ્વારા નેનોના કાચ તોડી પાણી દ્વારા આગ કાબૂમાં કરી. છેલ્લા 25 વર્ષથી કાર ડ્રાઈવ કરતાં રવીનદ્રભાઈને પહેલી વાર ડ્રાઈવ કરવાથી ડર લાગ્યો. રવિવારે થયેલા 'નેનો અકસ્માત' ના કારણે તેમણે છેલ્લા બે દિવસથી માનસિક અસ્વસ્થ થયા છે ત્યારે નેનોની સુરક્ષા નથી તેવું લાગે છે. રવીન્દ્ર ભગતે જણાવ્યું કે, ''કંપનીના લોકોને ફોન કર્યો પણ તેઓ ગાડી કંપનીમાં લઈ જઈ તેના બદલામાં નવી કાર આપવાનું કહે છે, પણ મેં ના કહેતાં તેઓ ગાડી જોવા પણ આવ્યા નથી ત્યારે મોટી હોનારત ટાળી, હવે નેનો જોઈતી નથી.''

રવીન્દ્રભાઈ ભગતે જણાવ્યું કે, ''નેનો કારની ડિલિવરી 1.25 લાખ રૂપિયા ભરી લીધી હતી, પણ નેનો કારના સળગવાની ઘટના બાદ હવે વળતર માટે ફરિયાદ નોંધાવી છે. છેલ્લા 25 વર્ષથી વિવિધ ગાડી ચલાવું છું પણ ગાડી પાર્કિંગમાં પડેલી સળગી ઊઠી તે પ્રથમ વાર જોયું. નેનોની સુરક્ષા પર વિશ્વાસ નથી. પાર્કિંગમાં પડેલી ગાડી સળગી ત્યારે નેનોમાં પેટ્રોલ ટેન્ક પણ આગળની સાઈડ છે ત્યારે મોટી હોનારત ટળી ગઈ. હવે નેનો માટે નો.....'' આ ઘટનાની તપાસ કરતા હેડ કોન્સ્ટેબલ રમેશભાઈએ જણાવ્યું કે, 'એફએસએલના અધિકારીઓ ગાડીમાં પ્રાથમિક દ્રષ્ટિએ શોર્ટ-સર્કિટની શક્યતા છે, પણ ચોક્કસ કારણ શોધવા નેનો કંપનીના એન્જિયરની મદદ લેવાશે.''

કોર્ગો મોટર્સના જનરલ મેનેજર ભાર્ગવ મહેતાએ જણાવ્યું કે,''ગાડી જ્યાં સુધી વર્કશોપમાં ન આવે ત્યાં સુધી કોઈ પણ કારણ વિશે કહી શકાય નહીં અને નેનોના માલિક દ્વારા વળતર માગવામાં આવ્યું તેની ખબર નથી. વર્કશોપમાં ગાડી આવ્યા બાદ ક્યાં કારણે આગ લાગી? તે જાણી શકાય.''

વાયબ્રન્ટ નવરાત્રિ 2009 એક અબજનો બિઝનેસ
અમદાવાદમાં ધમધોકાર તૈયારીઃ આયોજનમાં ઉદ્યોગગૃહોને સાંકળી લેવાયાઃ ઢોલી તારો ઢોલ ગીતની રમઝટ જામશે

By ENN,
ગાંધીનગર,
ગુજરાતને આતરરાષ્ટ્રીય કક્ષાનું પ્રવાસન રાજય બનાવવા માટે સરકાર વાયબ્રન્ટ નવરાત્રિનો મહોત્સવ યોજે છે. ગુજરાતમાં છેલ્લા સાત વર્ષથી નવરાત્રિને વિશ્વના સૌથી લાંબા નૃત્ય મહોત્સવ તરીકે પ્રમોટ કરીને સરકાર પ્રવાસનને ઉતેજન આપી રહી છે. કૃષિ અને બાંધકામક્ષેત્ર જે રોજગારી આપે છે. તેનાથી અનેક ઘણી રોજગારી પ્રવાસનક્ષેત્ર આપે છે.

નવરાત્રિ જેવા આતિથ્ય ઉદ્યોગને ઔધોગિક એકમો સાથે સાંકળવાની તેની મહત્તા અનેકગણી વધી ગઈ છે. આ મહોત્સવને અંકે કરી લેવા માટે ગુજરાત સરકારના પ્રવાસન વિભાગ અને પ્રવાસન નિગમે ભારે કવાયત હાથ ધરી છે.ગુજરાત ઈન્ડસ્ટ્રીઝ નવરાત્રિ ફેસ્ટીવલ સેસાયટી (GINFS)નો સાથ સહયોગ લઈને અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે વાયબ્રન્ટ નવરાત્રિ મહોત્સવ-2009ની તૈયારીઓ ધમધમાટ શરુ કરી દીધી છે. આ મહોત્સવ પાછળ રૂ.12 કરોડ઼નો ખર્ચ થશે જ્યારે વિવિધ સેક્ટરને રૂ.100 કરોડ઼નો બિઝનેસ થવાની ધારણા છે.

પ્રવાસન નિગમના એક સિનિયર અધિકારીએ જણાવ્યું હતુ કે, આ મહોત્સવનું તમામ આયોજન રાજ્ય સરકાર હસ્તક છે. જો કે આ વખતે નવરાત્રિ મહોત્સવના આયોજનમાં ઉદ્યોગગૃહોને સાંકળી લેવામાં આવ્યાં છે. GINFSએ આ મહોત્સવ માટે નાણાકીય સહાય કરી છે. ગત વર્ષે નવરાત્રિ મહોત્સવ પાછળ રૂ.10 કરોડ઼નો ખર્ચ થયો હતો આ વર્ષે તેમાં વધારો થાય તેમ છે અને ખર્ચનો અંદાજ 12 કરોડ઼ મુકવામાં આવ્યો છે. આ વખતે નવરાત્રિ મહોત્સવના આયોજનમાં કોઈ કચ્ચાસ બાકી રાખવામાં આવશે નહીં. આ વખતે નવી થીમ 'શક્તિની સપ્તધારા' ઉપર સમગ્ર ધ્યાન કેન્દ્રીત કરવામાં આવ્યું છે. જે અનુસાર અંબાજી, બહુચરાજી, ચોટીલા અને પાવાગઢ જેવી શક્તિપીઠની પ્રતિકૃતિ મુકવામાં આવશે. એટલું જ નહીં કૃષ્ણની દ્વારકા, રણછોડજીનું ડાકોર અને વિષ્ણુ અવતારનું શામળાજી તેમજ સોમનાથ અને નાગેશ્વર જેવા બાર જ્યોતિર્લિંગોમાંના બે જ્યોતિર્લિંગોનો ઉલ્લેખ પણ વિવિધ થીમ સ્વરૂપે મહોત્સવમાં રજૂ કરાશે. આ ઉપરાંત ગુજરાતના એક માત્ર હિલ સ્ટેશન સાપુતારાને પણ અંકે કરવાનું આયોજન છે. અમદાવાદથી મુંબઈ જતાં રસ્તામાં આવતાં આ રળિયામણા ગિરિમથકને કઈ રીતે વિકસાવવામાં આવશે તેનું મોડલ આ મહોત્સવમાં મુકવામાં આવશે. નવરાત્રિ મહોત્સવ-2009 ના ઉદ્-ઘાટન કાર્યક્રમમાં ગુજરાત ઉપરાંત રાજસ્થાન, હરિયાણા, મણિપુર, મથુરા, ગોવા સહિતના વિવિધ રાજ્યોમાં 700થી વધુ કલાકારો ગરબા અને ઓડીસી, કુચીપુડી, ભરતનાટ્યમ, મોહિનીઅટ્ટમ, કથકલી જેવા પરંપરાગત નૃત્ય દ્વારા શક્તિ આરાધના કરશે. આ ઉપરાંત ગોવાનું સમસી નૃત્ય પણ રજૂ થશે જાણીતી હિન્દી ફિલ્મ 'હમ દિલ દે ચુકે સનમ' ના ખૂબ જાણીતા ગીત 'ઢોલી તારો ઢોલ વાગે' ના કોરિયોગ્રાફર સમીર તન્નાની કોરિયોગ્રાફી હેઠળ ગરબા અને દેશના પારંપરિક નૃત્યોને સાંકળી લેતો ફ્યુઝન કાર્યક્રમ યોજાશે.

ગુજરાતી ફિલ્મોમાં ગીતા દત્ત, લતા મંગેશકર, આશા ભોંસલે, મહેન્દ્ર કપૂર સહિતનાએ યાદગાર ગરબા ગુંજાવ્યા છે
નીતિન મૂકેશ, સુરેશ વાડકર, સોનૂ નિગમ, રૂપકુમાર રાઠોડ, સાધના સરગમે પણ ઓડિયો આલ્બમોમાં ગરબાની રમઝટ બોલાવી છે 'હે રૂડે ગરબે રમે છે દેવી અંબિકા રે... એની તાલી પડે છે ત્રિલોકમાં રે....'

By ENN,
હો રંગ રસિયા કયાં રમી આવ્યા રાસ જો.... આ ગરબો ગુજરાતીઓની જીભે ન હોય એવું ન બને. મીઠો મધુરો લાગતો આ ગરબો કોણે ગાયો હશે? ગૅસ કરો.... મેળ પડી ગયો ? ન પડ્યો હોય તો જાણી લ્યો કે 1976માં બનેલી ગુજરાતી ફિલ્મ 'ભાદર તારા વહેતા પાણી'માં મહેન્દ્ર કપૂર અને સુમન કલ્યાણપુરે આ ગરબો ગાયો છે! ગુજરાતના ગરબા અત્યારે વિદેશોમાં ગૂંજે છે તેમાં આવા દિગ્ગજ ગાયકોના મોટો ફાળો છે અને આ ગાયકોને ગરબા ગાતા કરનાર સંગીતકાર અવિનાશ વ્યાસનો તો સિંહ, વાઘ, હાથી ફાળો છે!

જે સમયે ગુજરાતી ફિલ્મોના સિતારા ચમકવા શરૂ થયા હતા એ સમયે 1949માં ગુજરાતી ફિલ્મ આવેલી 'મંગળફેરા'. એમાં ગીતા દત્તે 'તાલીઓના તાલે' ગરબો ગાઈને ભારે લોકપ્રિય.તા મેળવી હતી. એ પછી પણ ગીતા દત્તે ઘણાં ગરબા ગાયા. 1948ની ફિલ્મ 'ગુણ સુંદરી'માં 'આજ મારી નણંદીએ...', 'જી રે ભવાની મા...' ગીતા દત્ત એ સમયે દત્ત નહોતા ત્યારે ગીતા રૉયના નામથી એ ગરબા ગાતા! વિશ્વંભરી સ્તુતિ, આરતી અને ગરબામાં અત્યારે જેનું મોટું નામ છે તેવા પ્રફુલ્લ દવેએ આશા ભોંસલે સાથે ગુજરાતી ફિલ્મ 'અમરસિંઘ' માં ગાયેલો ગરબો 'રંગ લાગ્યો ચૂનરીએ....' ઉપર શોખીનો આજેય ઝૂમી ઉઠે છે.

ગણપતિની સ્તુતિ અને હવે હનુમાન ચાલીસા ગાનાર ભારત રત્ન ગાયિકા લત્તા મંગેશકરે પણ ગુજરાતી ગરબા લહેકા સાથે ગાયા છે. લત્તાજીએ મહંમદ રફી સાથે 1960ની ગુજરાતી ફિલ્મ 'મહેંદી રંગ લાગ્યો' માં ગરબા ઢાળનું ગીત ગાયેલું 'નયન ચકચૂર છે'.... આ ગીત પણ એટલું જ લોકજીભે ચડી ગયેલું. હિન્દી સીનેજગતમાં જેનો ડંકો વાગતો, વાગે છે તેવા ગાયિકા આશા ભોંસલેએ સૌથી વધારે ગુજરાતી ગરબા ગાયા છે. 'ગુલાલ વહુ ગરબે રમવા જાઈએ..', 'સોના વાટકડી રે...', 'હે રંગલો જામ્યો..', 'ઘોર અંધારી રે, રાતલડીમાં....' આશા ભોંસલેની જેમ ઉષા મંગેશકરે પણ ગુજરાતી ગરબા ઘણા ગાયા છે. પણ તેની નોંધ જોઈએ તેટલી લેવાઈ નથી. એવું જ સુમન કલ્યાણપુરના કિસ્સામાં થયું છે. એમણે પણ ઘણાં ગુજરાતી ગરબા લલકાર્યા છે પણ ગરબો સાંભળીને કોઈ યાદ નથી કરતું કે, આ ગરબો સુમન કલ્યાણપુરે ગાયો છે!

'હે રૂડે ગરબે રમે છે દેવી અંબિકા રે...' આ ગરબો 'મહેંદી રંગ લાગ્યો' માં ઉષા મંગેશકરે ગાયો છે. 'ખમ્મા મારા વીરા' ફિલ્મમાં 'પૂનમની પ્યારી રાત....' ગરબો પણ ઉષાએ જ ગાયો છે. જો કે તેમની સાથે કેશવ રાઠોડે પણ સ્વર આપ્યો છે. જ્યારે જ્યારે શરદ પૂનમના ગરબા ગવાય ત્યારે પહેલાં 'પૂનમની પ્યારી રાત....' પહેલાં ગવાય છે. સુમન કલ્યાણપુર અને મહેન્દ્ર કપૂરનો ગરબો 'ઝૂલણ મોરલી વાગી રે....' છેક 1975થી ગવાતો આવે છે. માંડલિક ફિલ્મમાં આ ગરબો ગવાયો હતો.

અત્યારની વાત કરીએ તો સુરેશ વાડકર, નિતીન મુકેશ, સોનૂનિગમ, રૂપકુમાર રાઠોડ, શાન, શંકર મહાદેવન જેવા ગાયકોના ઓડિયો આલ્બમ માર્કેટમાં ઘૂમ મચાવે છે. અલબત. પહેલાનાં જે પ્રાચીન ઢાળ અને સયના ગરબા હતા એવા હવેના આલ્બમમાં સાંભળવા મળતા નથી. ફિલ્મી ટ્યૂન પરના રિમીક્સ ગરબાનો ટ્રેન્ડ વધારે છે. પણ મૂળ ઢાળ જેવી મીઠાસ એમાં નથી. ગુજરાતી ગરબા મુળ ઢોળવાળા ગરબાને તાલી ગરબાને હાઈટ આપી સંગીતકાર અવિનાશ વ્યાસે. એમણે પાંચ દાયકા પહેલાં કંપોઝ કરેલા ગરબા આજે પણ ગવાય છે, સંભળાય છે.

ગુજરાતના ગાંધીધામ શહેરમાં કોઈની પણ પાસે પોતાનું મકાન કે જમીન નથી

By ENN,
ગાંધીધામ,
1947માં દેશને આઝાદી મળ્યા બાદ દેશના વિકાસ અર્થે કચ્છમાં આવેલા કંડલા બંદરને વિશેષ દરજ્જો આપી કંડલાપોર્ટ ટ્રસ્ટની સ્થાપના કરવામાં આવી હતી. આઝાદીના 62 વર્ષ પછી પણ કંડલા ગાંધીધામ જેવા ચાર લાખની વસ્તી ધરાવતા શહેરના નાગરિકો પાસે પોતાની જમીન કે મકાન પોતાના નામ ઉપર નથી ગાંધીધામ જ એવું એક માત્ર શહેર છે કે જ્યાં જમીન કે મકાન લેવા માટે લીઝ એગ્રીમેન્ટ કરવામાં આવે છે.

આ શહેરની નજીકમાં આવેલાં કંડલાપોર્ટ સાથે સેકળાયેલા અને આઝાદી બાદ પાકિસ્તાનથી આવેલા રેફ્યુજી લાખોની સંખ્યામાં વસે છે. આ લોકોની સૌથી મોટી સમસ્યા એ છે કે, જમીન કે મકાન લેવા માટે લોન મળી શકતી નથી. અને જો લોન લેવી હોય તો કંડલા પોર્ટ ટ્રસ્ટનું નોન ઓબ્જેકશન સર્ટીફીકેટ (એનઓસી) લેવુ પડે છે. અને એનઓસીના બદલામાં કંડલા પોર્ટ ટ્રસ્ટ દ્વારા એક ટકા લેખે કમીશન ફી વસુલવામાં આવે છે. ઉપરાંત લીઝ એગ્રીમેન્ટનો સમય પુરો થતો ફરીથી રીન્યુ કરાવવા માટે પણ મોટી પ્રોસીજર કરવી પડતી હોય છે.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસનાં પ્રવકતાઓમાં પોતાનું મહત્વ સાબિત કરવા જોરદાર હરિફાઈ જામી છે

By ENN,
અમદાવાદ,
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કાર્યાલયમાં પ્રવક્તાઓ વચ્ચે હાલ પોતાનું મહત્વ સાબિત કરવાની છૂપી હોડ ચાલી રહી હોવાનું જાણવા મળ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર કોંગ્રેસી પ્રવક્તાઓ હાલ અસ્તિત્વની લડાઈ લડી રહ્યાં છે. સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી પ્રમાણે હાલ કોંગ્રેસમાં કુલ છ પ્રવક્તા છે. ચાર નિયમિત કાર્યાલય પર આવે છે. જ્યારે બાકીના બે પ્રવક્તા પ્રસંગોપાત કાર્યાલયની મુલાકાતે આવતાં હોવાનું જાણવા મળ્યું છે. કાર્યાલયનાં સૂત્રોના કહેવા પ્રમાણે કોંગ્રેસ કાર્યાલય ઉપર કાર્યકરો હોય કે નહીં, નેતાઓ હોય કે નહીં પરંતુ પ્રવક્તાઓની ભીડ દરરોજ જામેલી જ રહે છે. કોંગ્રેસના પ્રવક્તાઓમાં આ લડાઈ નવા પ્રવક્તા અને મીડિયા કો-ઓર્ડિનેટરની હાલમાં થયેલી નિમણુક બાદ શરૂ થઈ હોવાનું જાણવા મળ્યું છે. મૂળ કોંગ્રેસી કાર્યકર નથી તેવા આ મીડિયા કો-ઓર્ડિનેટર પ્રવક્તાની પણ કામગીરી કરતાં હોઈ અન્ય પ્રવક્તાઓમાં નારાજગી હોવાનું જણાઈ રહ્યું છે.

હાલમાં જ પ્રવક્તા બનેલા એક અગ્રણી જોકે બધો તાલ શાંતિથી જોઈ રહ્યા છે. કાર્યકરોનું કહેવું છે કે, તેઓ હજી આ બાબતો સમજી રહ્યા છે. સૂત્રોના જણાવ્યા મુજબ રાજકારણમાં જેમ વર્ષોથી ખુરશીની લડાઈ ચાલી આવી છે તેમ કોંગ્રેસના પ્રવક્તાઓની ખેંચતાણ પણ દરરોજ ખુરશીથી શરૂ થાય છે. કાર્યાલયમાં પ્રવકતાને અલગ રૂમ ફાળવવામાં આવ્યો છે. જેમાં મુખ્ય બે ખુરશી છે જે પહેલા આવે તે ખુરશી પર બેસી જાય અને બાદમાં આવેલા પ્રવક્તાઓએ અનેય સામાન્ય ખુરશીમાં બેસવું પડે છે તેમી નજર તો પેલી બેમાંથી એક ખુરશી ખાલી ક્યારે થાય તેના પર રહે છે. જ્વી ખુરશી ખાલી પડે કે બીજા પ્રવક્તા તેમાં બેસી જાય છે. ઉપરાંત જો બીજાનું ધ્યાન ન હોય તો અન્ય ખુરશી બેઠેલા પ્રવક્તા ધીમેથી સાથી પ્રવક્તાનું ધ્યાન ખેંચતા કહેતા હોય છે કે જલદી બેસી જાય નહીં તો પ્રવક્તાસાહેબ પાછા જમાવી દેશે.

સૂત્રોના કહેવા પ્રમાણે હમણાં થોડા દિવસ પહેલા ચાર પ્રવક્તા એકઠા થઈ જતાં તેઓમાં એવી ચર્ચા થઈ હતી કે હવે ખુરશી નહીં પરંતુ કોમન સોફો મુકવાની જરૂર છે. અખબારોમાં મોકલવામાં આવતી પ્રેસનોટમાં નામ લખવાની બાબતે પણ આ પ્રવક્તાઓમાં હુંસાતુંસી ચાલતી હોવાનું ચર્ચાય છે. પ્રાપ્ત વિગતો પ્રમાણે ઘણીવાર પ્રેસનોટમાં નામ લખવાની લડાઈ એટલી હદે વ્યાપી જાય છે કે દરેક પ્રવક્તા અલગ-અલગ પ્રેસનોટ બનાવી પોતાનું નામ લખાવે છે. આમ ઘણી વખત અખબારોને એક જ બાબત પર એકથી વધુ પ્રેસનોટ કોંગ્રેસ કાર્યાલય પરથી મોકલવામાં આવે છે. ઘણી વખત મીડિયામાંથી પ્રેસેનોટમાં લખાયેલી વિગત વિશે વધારે પૂછવામાં આવે તો હાજર પ્રવક્તા એવો જવાબ આપે છે કે, ''પ્રેસનોટની નાચે જુઓ કોનું નામ છે? તેને જ ખબર હોય અમને તે બાબતની જાણ નથી.'' ઉપરાંત એવો જવાબ પણ આપે છે કે, ''મને તો હજુ તે પ્રેસનોટ પણ મળી નથી.''

પ્રવક્તાઓ કાર્યાલયમાં નવરાશની પળોમાં એકબીજાને અજ્ઞાન કે બિનઅનુભવી દર્શાવવાની તક પણ ચુકતા નથી. સીધી કે આડકતરી રીતે તેઓ એકબીજા પર વ્યંગ કરતા હોય છે. આ બાબતે કાર્યાલયના સૂત્રોએ કહ્યું કે, ''નવરાશની પળોમાં ભૂતકાળને વાગોળી કોની સાથે હતા? પોતે કોને કોને મળેલા છે? વગેરે બાબતોની ચર્ચા કરવામાં આવતી હોય છે.'' સૂત્રોના જણાવ્યા પ્રમાણે કોઈ વ્યક્તિ ભૂતકાળની ઘટના વિશે પૂછે તો હાજર રહેલા પ્રવક્તા તે ઘટનાની માહિતી આપ્યા બાદ અન્ય પ્રવક્તાનું નામ આપીને તેને પુછવાનું પણ કહે છે. '' તમે એમને પણ પૂછો તો ખરા તે કેટલું જાણે છે? તેની તમનેય ખબર પડે.''

નિમણૂક પામેલા પ્રવક્તા ઓછા પડતા હોય તેમ એક મહામંત્રી કક્ષાના કાર્યકર પણ પોતાની જાતને અવારનવાર પ્રવક્તા તરીકે પ્રોજેક્ટ કરતા રહે છે. મળતી માહિતી પ્રમાણે તેઓ હંમેશાં ટીવીમાં દેખાતા આતુર હોય છે. પરિણામે ઘણા લોકોને તે પ્રવક્તા સુધી પહોંચવા પણ દેતા નથી. તેમના વિશે એક પ્રવક્તાએ કહ્યું કે, ''આ ભાઈને હવે કદાચ ઈલેક્શન લડવા નહીં મળે એટલે પ્રવક્તા બનવા માટે પ્રેક્ટિસ કરી રહ્યા છે.''

કોંગ્રેસના પ્રવક્તાઓ
1. જયંતીલાલ પરમાર
2. હિમાશું વ્યાસ
3. મનીશ દોશી
4. આશિફા ખાન
5. જયરાજસિંહ પરમાર
6. જયસુખભાઈ શાહ (મીડિયા કો.ઓડિનેટર)

ગાંધીનગરના ખેલૈયાએ નવરાત્રિ માટે બનાવડાવ્યો છે 28 હજારનો ડ્રેસ!

By ENN,
ગાંધીનગર,
નવરાત્રિમાં બે-ઘડી જોતાં જ રહીએ, આંખને ખેંચતા આકર્ષક વસ્ત્રોનું પણ સૌંદર્ય હોય છે. આવા વસ્ત્રો તૈયાર કરવા પાછળ ખૂબ જહેમત લેવાય છે, તે ખર્ચાળ હોય છે. ગાંધીનગરના જાણીતા ખેલૈયા ભાવિન પટેલે, આ વર્ષે નવરાત્રિ માટે 28 હજાર કિંમતનો ખાસ પ્રકારનો ડ્રેસ તૈયાર કર્યો છે. ગયા વર્ષે ભાવિને 12 હજારનો ડ્રેસ પહેર્યો હતો. ગાંધીનગરમાં નવરાત્રિમાં ચાર-પાંચ હજારનો ડ્રેસ પહેરીને ગરબે ઘુમતા સેંકડો ખેલૈયાઓ મળી આવે પણ આટલો મોંઘો ડ્રેસ પહેલીવાર ભાવિન પટેલે તૈયાર કરાવ્યો છે. હવે કેટલાક ખૂબ જ સારા ખેલૈયાઓ દસ-બાર હજારના ડ્રેસ પહેરે છે. સામાન્ય રીતે આવા મોંઘા ડ્રેસીસ છેલ્લા દિવસે મેગાફાઈનલ સ્પર્ધામાં જોવા મળતા હોય છે. પણ નવેદિવસ બે થી પાંચ હજારના ડ્રેસીસ પહેરીને ખેલૈયાઓ ઘમતા હોય છે. પનઘટ સંસ્થાના સંચાલક અને જાણીતા ખેલૈયા ભાવિન પટેલ આટલો મોંઘો ડ્રેસ બનાવનાર ગાંધીનગરના પહેલા ખેલૈયા હશે. તેઓ કહે છે કે, ગયા વર્ષે 12 હજારનો ડ્રેસ હતો આ વર્ષે ઓરીજનલ કચ્છી મટીરીયલથી નવો ડ્રેસ બનાવડાવ્યો છે. મૂળ કન્સેપ્ટ મારો છે. તેની ડીઝાઈનમાં અમદાવાદના ડીઝાઈનરની મદદ લીધી છે. કચ્છનું ભરત છે. કચ્છના પેચીસ છે. કચ્છી ભરત મોંઘુ હોય છે. કુલ પાંચ વસ્ત્રો હોય છે. પગે પહેરવાનો ચોઈણો, તેના ઉપર પહેરવાનું અંગરખું, ઉપરના ભાગે પહેરવાનું કેડીયું અને માથાના ભાગે પાઘડી. આખા ડ્રેસનું વજન છે 15 કિલો. આમ તો આટલા વજનદાર ડ્રેસ પહેરીને ઘુમવામાં પણ થોડી મુશ્કેલી પડે છે. કારણ કે, આ વજનદાર ડ્રેસ ઉપર વિવિધ પ્રકારના ઓર્નામેન્ટ આવે છે. ડાર્ક બ્લુ કેડીયું છે. અને લાલ અંગરખું છે. એકદમ ઘેરી પીળા રંગનું ભરત છે. આ ડ્રેસમાં યાગ્ય પ્રકારના પેચીસ ગોઠવવા અઘરુ કામ છે. તેમાં ખાસ્સો સમય લાગે છે. ઓરીજનલ કચ્છી ભરતના પેચીસ મોઘા પડે છે. આખા વસ્ત્રમાં પેચીસની કિંમત વધુ છે તે એક સરખા રંગના મળવા મુશ્કેલ છે. સાદા ભરતના ડ્રેસીઝની કિંમત ખૂબ નથી હોતી. પણ ખાસ પ્રકારે કરાવાતા કચ્છી ભરતની કિંમત ઉંચી જાય છે.
ભાવિન કહે છે કે, યુવતીઓ માટેના વણકેટલાક ભારે ડ્રેસીઝ તેની કિંમત ચાર-પાંચ હજાર થવા જોઈએ . ગયા વર્ષે કલ્ચરલ ફોરમની ફાઈનલમાં 25 ખેલૈયાઓ એવા હતા, જેમણે મોઘા ડ્રેસ પહેર્યા હતા. તેમાંથી 15 ખેલૈયા તો ગાંધીનગરના હતા. ભાવિન પટેલ છેલ્લા 15 વર્ષથી આ પ્રવૃતિ સાથે સંકળાયેલા છે. તેમનો શોખ પણ છે. તેઓ પાંચ વર્ષની ઉંમરના હતા ત્યારથી ગરબે ઘુમે છે. આ શોખ પિતા પાસેથી વારસામાં મળ્યો છે.

Tuesday, September 15, 2009

આ વર્ષે નવરાત્રીમાં ક્રિષ્ના, મોરપીંછ, જલતરંગ, રંગીલો જેવી સ્ટાઈલ ધૂમ મચાવશે

દોઢિયું, પોપટીયુ, હિચ, પાંચયુ જેવી સ્ટાઈલો સાથે વેસ્ટ્રર્ન સ્ટાઈલ મીક્સ કરી ખેલૈયાઓએ નવી સ્ટાઈલો વિકસાવી

By ENN,
અમદાવાદ,
બે-ત્રણ તાલીના ગરબાની ફેશન તો ક્યારનીય જુની પુરાણી થઈ ગઈ. દોઢિયુ, પોપટીયુ, પાંચયુ જેવી ગરબા સ્ટાઈલ પણ હવે બધા જ શીખી ગયા છે. આ વર્ષે કંઈક નોખું કંઈક અનોખી કરવા માંગતા ખેલૈયાઓએ દોઢીયું, પોપટીયું, પાંચેય સ્ટાઈલની સાથે વેસ્ટ્રર્ન સ્ટાઈલ મીક્સ કરી ક્રિષ્ના, મોરપીંછ, જલતરંગ, રંગીલો જેવી આધુનીક સ્ટાઈલ વિકસાવી છે. ગ્રુપમાં થતી આ સ્ટાઈલ ગરબા ગ્રાઉન્ડ પર અનોખુ આકર્ષણ ઉભુ કરે છે.

ઘર આંગણે ખુલ્લા મેદાનમાં થતા શેરી ગરબામાં એકાદ-બે કતારમાં થતા બે-ત્રણ તાલીના ગરબા હવે ખુબ ઓછા ગવાય છે. પાર્ટીપ્લોટમાં થતા નવરાત્રી મહોત્સવે ગરબાની અલગ અલગ સ્ટાઈલો વિકસાવવાનો અવસર આપ્યો છે. ગુજરાત સૌરાષ્ટ્રના ગામડાઓમાં થતી કઠીન પરંતુ પરંપરાગત સ્ટાઈલો જેવી કે, દોઢિયું, પાંચીયુ, પોપટીયું, હુડો, હિંચ હવે પાર્ટીપ્લોટમાં થતા નવરાત્રી મહોત્સવમાં યુવક-યુવતીઓ કરતા હોય છે. જેમને આ સ્ટાઈલો આવડતી નથી તેઓ ક્લાસીસ જોઈન્ટ કરી તે શીખી લે છે. હવે તો બાળકો અને કિશોરો પણ ખુબ સહજતાથી -સરળતાથી તે શીખી લે છે. વિવિધ પ્રાઈઝ પણ જીતી લાવે છે. ગુજરાતના વિવિધ શહેરોમાં થતી ગરબા સ્ટાઈલ અલગ અલગ હોય છે. મુંબઈમાં ડિસ્કો ડાંડિયા લોકપ્રિય છે તેમ બરોડા સ્ટાઈલ, ભાવનગરી સ્ટાઈલ અને અમદાવાદી સ્ટાઈલના ગરબા જે તે પ્રદેશમાં લોકપ્રિય થાય છે. પાર્ટીપ્લોટમાં થતા નવરાત્રી મહોત્સવોમાં ઈનામોનું ખુબ આકર્ષણ હોય છે. જેના કારણે અહીં ઉભરાતી ખેલૈયાઓની ભીડમાં અલગ તરી આવવા કંઈક અનોખુ કરો તો જ નિર્ણાયકોની નજરમાં આવી શકાય છે. નવરાત્રીની અસલ મજા ગ્રુપ કે પેરમાં આવે છે. નવરાત્રી શરૂ થાય તેના થોડાક દિવસો પહેલાથી જ ખેલૈયાઓનું ગ્રુપ કે પેર આવી અનોખી સ્ટાઈલ શોધી તેની પ્રેક્ટીસ કરવા માંડે છે. મોટાભાગે દોઢિયું, પાંચીયું, પોપટીયું, હીચ જેવી પરંપરાગત સ્ટાઈલ મીક્સ કરીને નવી અને આગવી સ્ટાઈલ વિકસાવવામાં ખેલૈયાઓ માહેર થઈ ગયા છે. આ વખતે ખેલૈયાઓના ગ્રુપે આવી જ કેટલીક નવી સ્ટાઈલો વિકસવી છે, જેને ક્રિષ્ના, મોરપીંછ, જલતરંગ, રંગીલો, પાયલ, ઝનકાર, બોમ્બે વન, ટુ, થ્રિ ના નામે ઓળખવામાં આવે છે. લેડિઝ માટે ખાસ એરોબીક્સ વીથ ગરબાની સ્ટાઈલ વિકસાવવામાં આવી છે. જેથી કરીને તેઓ રાધમનો ખ્યાલ મેળવી શકે. સનેડાની ફેશન છેલ્લા બે-ત્રણ વર્ષથી ચાલતી હોઈ તેની વીકસાવવામાં આવી છે. અમદાવાદના એસ. જી. હાઈવે પર વેસ્ટર્ન અને ફિલ્મી મ્યુઝિકના આધારે યોજાતી ગરબા નાઈટ્સ માટે કેટલાક ખેલૈયાઓ વેસ્ટર્ન સ્ટાઈલ શીખવાનો આગ્રહ રાખે છે. આવી વેસ્ટર્ન સ્ટાઈલને હીપ હોપ ગરબા સ્ટાઈલ તરીકે ઓળખાય છે, જ્યાં ફ્યુઝન મ્ટુઝિકનો વધુ ઉપયોગ થતો હોય ત્યાં આવા પ્રકારની સ્ટાઈલના ગરબા થતા જોવા મળે છે. આ વખતે નવરાત્રીનો માહોલ ખુબ સારો જામ્યો છે ત્યારે ખેલૈયાઓ નવી સ્ટાઈલો શીખી ઈનામો પોતાને નામ કરવા થનગની રહ્યા છે.

એ.સી. વાળા મોલ્સની ભરમાર છતાં બજારમાં ખરીદીના મજા કંઈક જુદી જ છે

ખરીદી માટે ત્રણ દરવાજા, પાનકોરનાકા, ઢાલગરવાડ, ભદ્ર, રતનપોળ સૌના માનીતા સ્થળ

By ENN,
અમદાવાદ,
શહેરમાં છેલ્લા એકાદ દાયકાથી મોર્ડન શોરૂમ અને શોપીંગ મોલ્સનો રાફડો ફાટી રહયો છે અને લોકો પણ ચેન્જ ખાતર પરંપરાગત દુકાનમાંથી કરાતી ખરીદી તરફથી આવા મોલ અને શોરૂમ તરફ વળ્યા હતા પરંતુ નવું નવું નવ દિવસની જેમ મોટાભાગના લોકો પુનઃ ફુટપાથ અને દુકાનની ખરીદી તરફ વળ્યા છે અને આ લોકોની ખરીદીનું પસંદગીનું સ્થળ છે ભદ્ર, ત્રણ દરવાજા, ઢાલગરવાડ, પાનકોરનાકા અને રતનપોળ અહીં સ્ટોર્સ કે મોલની જેમ એ.સી.માં ખરીદવાનો લ્હાવો મળતો ન હોવા છતાં તડકામાં રખડપટ્ટી કરીને પણ ખરીદીની જે મજા મળી છે તેનો આનંદ જ કંઈ ઓર હોય છે.

મોલ્સ અને સ્ટોર્સમાં ખરીદી કરનારો પણ એક ચોક્કસ વર્ગ છે. જ્યારે મધ્યમ વર્ગ પણ આવા મોલ્સની ખરીદી તરફ વળ્યો છે. પરંતુ એ પણ અનાજ કરીયાણા સહિતની જીવન જરૂરી માટે જ પરંતુ જ્યારે વસ્ત્રો અને કાપડની તથા ઘરવપરાશની અન્ય વસ્તુની ખરીદીની વાત આવે ત્યારે મોટાભાગના લોકોની નજર મંડાય છે ત્રણ દરવાજા તરફ. આ વિસ્તારમાં આવો એટલે મોટાભાગની જીવન જરૂરી વસ્તુ અહીં વ્યાજબી દરે મળી રહે છે. શહેરના આંબાવાડી વિસ્તારમાં શ્રેયસ ક્રોસિંગ નજીક રહેતા પલ્લવીબોન શાહ જણાવે છે કે, મારા આઠ વર્ષના પુત્ર કૃણાલને એ.સી. વિના ચાલતું નથી. ઘરમાં, કારમાં એ.સી. હોવાથી તેને એવી આદત પડી ગઈ છે કે, ગરમીમાં અકળામણ અનુભવે છે. પરંતુ જ્યારથી હું તેને ત્રણ દરવાજા વિસ્તારમાં ખરીદી માટે લાવી છું ત્યારથી તે ગરમીની પરવા કર્યા વિના મમ્મી ચાલોને ત્રણ દરવાજા ખરીદી કરવા જોઈએ, એવી જીદ પકડે છે. આથી મારે એને અહીં ખરીદી માટે લાવવો પડ્યો અને નવાઈની વાત એ છે કે, હાલ આટલી ગરમીમાં પણ તે ખરીદીમાં એટલો ઓતપ્રોત બની ગયો છે કે એસીની આદત છે તે ભુલી જ ગયો છે અને ખરૂ પુછો તો હું પણ મારા પિયરમાં હતી ત્યારે કોલેજ કાળથી ખરીદી કરવા તો અહીં જ આવતી હતી. આ બજારમાં પસંદગીની વિશાળ તક અને એ પણ સામાન્ય દરે મળી રહે છે. ઈસનપુર વિસ્તારમાં રહેતા એક સરકારી અધિકારી જણાવે છે કે મને ફેમિલી સાથે ખરીદી કરવાની ખૂબ મજા આવે છે. આથી દર મહિને અમે ખરીદી કરવા ત્રણ દરવાજા, ઢાલગરવાડ તથા આસપાસના બજારમાં ફરીએ છીએ. અહીં રસ્તામાં ફરતા-ફરતા વસ્તુની પસંદગી કરી ખરીદી કરવાની અને બોર્ગેઈનિંગ કરવાની મજા જ કંઈ ઓર છે જે મોટા સ્ટોર્સ કે મોલમાં નથી આવતી પણ અહીં એક સમસ્યા છે પાર્કિંગની, બજારમાં ખૂબ ભીડ હોય ત્યારે કાર કયાં પાર્ક કરવી એ સમસ્યા સર્જાય છે. આથી હાલ તહેવારોની મોસમ હોઈ ભીડ વધુ રહેવાની આથી અમે રિક્ષામાં આવ્યા છીએ પરંતુ અહીંની ખરીદી કરવાનો મોહ છુટતો નથી.

આમ શહેરમાં કોઈપણ ખૂણે કે ગુજરાતના કોઈપણ ગામડામાં રહેતા વ્યક્તિ અમદાવાદ આવ્યો હોય ત્યારે કયારેક ને કયારેક તો ત્રણ દરવાજા, ભદ્ર, પાનકોરનાકા કે ઢાલગરવાડ, રતનપોળ વિસ્તારમાં ખરીદી કરવા ન આવે તેવું બની જ ન શકે. આથી જ હાલ નવરાત્રી અને રમઝાન ઈદનો પર્વ નજીક આવી રહયો છે. ત્યારે આ બજારમાં ખરીદી માટે ભારે ભીડ જોવા મળી રહી છે.

અવાજમાં તકલીફ ઊભી ન થાય માટે ગાયકો બ્રીધીંગ એકસરસાઈઝ કરે છે.

સ્પીચ થેરાપીસ્ટના સતત સંપર્કમાં રહતા નવરાત્રિના ગાયકો

By ENN,
અમદાવાદ,
નવરાત્રી દરમ્યાન ગળાને કે અવાજમાં કોઈ તકલીફ ઉભી ન થાય તે માટે ગાયકો સ્પીચ થેરાપીસ્ટનું માર્ગદર્શન મેળવીને બ્રીધીંગ એકસરસાઈઝ કરી રહ્યા છે. સારા અને વ્યવસાયિક ગાયકો મોટેભાગે સ્પીચ થેરાપીસ્ટની અવારનવાર મુલાકાત લેતા હોય છે. આમ તો ગાયકોને અવાજની કુદરતી બક્ષીસ હોય છે એટલે તેમને કોઈ તકલીફ થતી નથી. પરંતુ નવરાત્રીમાં ધૂડિયા અને ધુમાડિયા વાતાવરણમાં ગાવાનું હોય છે. ઘણો લાંબો સમય ગાવાનું હોય છે. અવાજમાં વારંવાર ફેરફાર કરવો પડે છે. આ કારણોને લીધે ગાયકોને ઘણી તકલીફ ઉભી થાય છે. આવી તકલીફો ઉભી ન થાય તે માટે શ્વાસોચ્છવાસને લગતી કસરતો ગાયકો કરી રહ્યા છે.જેમાં ફેફસાંમાં વધુમાં વધુ હવા ભરાય તે રાતે ધીમે શવાસ લેવો અને શવાસ રોકવાની કસરત કરતા હોય છે.

એક સ્પીચ થેરાપીસ્ટના જણાવ્યા અનુસાર, સામાન્ય રીતે એક મીનીટમાં 15 બ્રીધીંત થતા હોય છે. ગાયકોએ રોજ અડધો કલાક એક મીનીટમાં આઠ બ્રીધીંગ થાય તેવી કસરત કરવી જોઈએ. ચા, કાફી, ઠંડા પીણા, ઠંડુ પાણી નહીં પીવાની સલાહ આપવામાં આવે છે. આ ઉપરાંત ગેસ થાય તેવો કોઈપણ ખોરાક આ ગાયકો લેતા નથી. સામાન્ય રાતે વધુમાં વધુ 30 મીનીટ સળંગ ગાવું જોઈએ ત્યારબાદ 10 મીનીટનો આરામ લેવો જોઈએ. કેટલાય ગાયકો પોતાના અવાજમાં તકલીફ ઉભી ન થાય તે માટે જેકી મધ, લવીંગ રાખતા હોય છે. જેનાથી લાળ વધે છે.

નારોલ, નરોડા અને વટવામાં દૂષિત પાણીનો ત્રાસઃ નાગરિકો ત્રાહિમામ્

By ENN,
અમદાવાદ,
શહેરના ઔધોગિક વિસ્તારમાં ગટરનું ગંદુ પાણી બેક મારતા રોડ પર ગંદુ પાણી વહેતું હોવાની ફરિયાદો નગરજનોમાં ઉઠવા પામી છે. આ સંદર્ભે મ્યુનિ. આરોગ્ય તંત્ર કુંભકર્ણ નિંદ્રામાં પોઢી ગયેલ હોવાથી નગરજનો જીવતા દોઝખમાં મુકાયા હોવાનો અહેસાસ કરી રહ્યા છે. શહેરના ઔધોગિક વિસ્તાર જેવા કે નારોલ, ઇસનપુર, વટવા અને નરોડા વગેરેમાં 90ની ડ્રેનેજ લાઈન નાંખવામાં આવી છે. આ ઈન્ડસ્ટ્રીયલ લાઈનમાં ડોમેસ્ટ્રીક ગેરકાયદેસર લાઈનો જાડી દેવાતા ગટરોની ઓવરફ્લો થાય છે તો ક્યારેક બેક મારતી હોવાની ફરિયાદો નગરજનોમાં સામાન્ય બની છે. આ વિસ્તારની ગટરો બેક મારતા ઉદ્યોગ-ફેકટરીનું ટ્રીટમેન્ટવાળું ગંદુ પાણી રોડ પર વહે છે જેના લીધે આ વિસ્તારની સોસાયટીના રહીશોને આરોગ્ય સામે ખતરો ઉભો થયો છે. અને આ બાબતે મ્યુનિ. હેલ્થ વિભાગને વ્યાપક ફરિયાદો કરવા છતાં પરિણામ શૂન્ય આવેલ છે. સ્થાનિક લોકો ગટરના પાણી ને લીધે જીવતા દોઝખમાં મુકાયા હોવાનું અહેસાસ કરી રહ્યા છે.

નવરાત્રિમાં ડાન્સ પે ચાન્સ માર લે અને નગારા નગારા ગીતો હોટ ફેવરિટ રહેશે

યુવાનોની પસંદગી પ્રમાણે ઓરકેસ્ટ્રાના સંચાલકો રીહર્સલ કરી રહ્યા છે

By ENN,
અમદાવાદ,
નવરાત્રિમાં પાર્ટી પ્લોટ, કલબોમાં મોટે ભાગે ફિલ્મી ગીતો પર ગરબા ગવાતા હોય છે. ચાલુ વર્ષે રબને બના દી જોડી અને જબ વી મેટ ફિલ્મના ગીતો હોટ ફેવરિટ રહેશે અને હાલ ઓરકેસ્ટ્રાના સંચાલકો તેની પ્રેક્ટિસ કરી રહ્યા છે. શેરી ગરબા જ્યાં ગવાતા હોય અથવા તો માત્ર માતાજીના જ ગરબા ગાવાની પ્રથા હોય તેવા સ્થળે નવરાત્રીના ગરબામાં ફિલ્મી ધૂન કે પછી ફિલ્મી ગીતો ગવાતા નથી પરંતુ તે સિવાય મોટાભાગની કલબો, પાર્ટી પ્લોટ કે વ્યવસાયિક રીતે ગરબાનું આયોજન થાય છે ત્યાં ફિલ્મી ગીતોના આધારે ગરબા ગવાતા હોય છે. ગરબાની શરૂઆત થાય ત્યારે શરૂઆતમાં પાંચથી દસ માતાજીના ગરબા ગવાતાં હોય છે. એક કલાક થાય અને નવરાત્રી બરાબર જામે એટલે ઓરકેસ્ટ્રાવાળા ફિલ્મી ગીતોની ધુન અને કેટલીક જગ્યાએ તો ફિલ્મી ગીતો જ ગવાય છે. આથી ઓરકેસ્ટ્રાવાળાને હાલના યુવાનોની પસંદગી પ્રમાણે ગીતો પણ તૈયાર કરવા પડે છે. જે એવું ગીત હોય તેના આધારે ગરબાના તાલ મિલાવી શકાય. જેમાં રબને બનાદી જોડીનું ગીત 'ડાન્સ પે ચાન્સ મારલે', ' હોલે હોલે હોજા યેગા પ્યાર' તથા જબ વી મેટનું ગીત નગારા નગારા બજા તે રીતે નાગીન ફિલ્મનું ધૂન પર રિમિક્સ થયેલું લવ આજકાલનું અંગ્રેજી-હિન્દી શબ્દોવાળું ગીત 'કેન બી ટ્વીસ' ની પણ માગ વધારે રહેશે.

વાઘ વચાવો વાઘ વસાવો


By ENN,
તુષાર ડી. શાહ દ્વારા,
2008ના ફેબ્રુઆરી માસમાં વન અને પર્યાવરણ મંત્રાલયના પ્રસિધ્ધ થયેલા આંકડા અનુસાર ભારતભરમાં કુલ 37 ટાઈગર રિર્ઝવમાં વાઘની સંખ્યા 1411 હતી. દેશમાં જ્યારે 1973 માં ટાઈગર પ્રોજેક્ટનો પ્રારંભ થયો ત્યારે વાઘની સંખ્યા 1827 હતી. જે છેલ્લી 2002ની વાઘની વસ્તી ગણતરીમાં 3600 વાઘ હોવાનું નોંધાયેલ છે. પરંતુ છેલ્લા વર્ષોમાં માણસના જંગલ કરફના અતિક્રમણથી અને ઘટતા જતા જંગલોથી અને શિકારીઓના વાઘના વધતા જતા શિકારથી આ શાનદાર પ્રાણી લુપ્ત થવાના આરે છે. કહેવાય છે કે, મરેલો વાઘ પણ શિકારીને 10 થી 15 લાખની કમાણી કરાવી આપે છે. વાઘના ચામડાથી લઈને તેના હાડકા સુધીને વેપાર થાય છે.

છેલ્લા જુલાઈ 2009ના આંકડા અનુસાર મધ્યપ્રદેશના પન્ના ટાઈગર અભયારણ્યમાંથી તમામ 24 વાઘ લુપ્ત થઈ ગયા જ્યારે રાજસ્થાનના સારિસ્કા અભયારણ્યમાંથી તો વર્ષ 2005 માં જ તમામ 35 વાઘ ગાયબ થઈ ગયા હતા. વાઘના અસ્તિત્વ નષ્ટ થવા પાછળ અનેક પરિબળો જવાબદાર છે. જેમ કે, ઘટતા જતાં જંગલો અને જંગલમાં રહેતા માનવ ઘર્ષણના બનાવો જંગલમાં બને છે. બીજું જંગલમાં તૃણભક્ષી પ્રાણી જે વાઘનો મુખ્ય ખોરાક છે જેવા કે, સાબર , ચિંતલ, હરણ, સુવરની સંખ્યા ઘટતી જાય છે. તેથી વાઘ શિકારની શોધમાં માનવ વસાહત તરફ આવે છે અને ઘર્ષણ થાય છે. આ અંગે જે તે રાજ્ય સરકારે જંગલમાં રહેતા લોકોને અન્ય સ્થળે સ્થળાંતર કરાવી જંગલોને માનવ વસાહતથી મુક્ત કરાવવા જોઈએ.

જાન્યુઆરી 2009થી ઓગસ્ટ 2009 સુધીમાં કુલ 66 વાઘ શિકારીઓના શિકારથી અને કુદરતી રીતે મૃત્યુ પામ્યા છે જેમાં 23 વાઘ શિકારીઓના શિકારથી અને 43 વાઘ ઉંમર થવાના કારણે મૃત્યુ પામ્યા છે. હાલની પરિસ્થિતિ જોતાં સમગ્ર ભારતના જંગલોમાં કુલ 1300 વાઘ બચ્યા છે. ગુજરાત રાજ્ય વાઘની બાબતમાં કમનશીબ રાજ્ય છે. ગુજરાતના જંગલમાં એક પણ વાઘ મુક્ત વિહારતા નથી છેલ્લે 1997ના વર્ષમાં ડાંગના જંગલમાં એક વાઘ નજરે પડ્યો હતો જે ગાયબ થઈ ગયો. ભારતના રાષ્ટ્રીય પ્રાણીના પ્રતીક સમાન ગુજરાતના જંગલમાં ફરી વાઘનું આગમન થાય તે ખૂબ જ જરૂરી છે. તાજેતરમાં કેન્દ્રીય વન અને પર્યાવરણ મંત્રી તથા ગુજરાતના વન અને પર્યાવરણ મંત્રી વચ્ચે થયેલ વાત અનુસાર ગુજરાતમાંથી સિંહ મધ્યપ્રદેશમાં મોકલવવામાં આવે તો જ ગુજરાતના જંગલમાં વાઘનું આગમન થઈ શકે જે યોગ્ય નથી કેમ કે, સિંહ સમગ્ર એશિયામાં ગુજરાતના ગીરના જંગલમાં જ 359ની સંખ્યામાં વસવાટ કરે છે. અને સિંહ એ ગુજરાતના ઘરેણાં સમાન છે.આથી સિંહ આપીને વાઘ લાવવાની વાત છે તે યોગ્ય નથી તેથી ગુજરાત સરકારે વચ્ચેનો રસ્તો કાઢીને ગુજરાતના ડાંગનાં જંગલમાં ફરી વાઘની ત્રાડો સંભળાય છે અને વાઘથી ગુજરાતનું જંગલ શોભી ઉઠે અને મુલાકાતીઓને વાઘના દર્શન થાય તેવું આયોજન કરી ગુજરાતમાં પુનઃવાઘનો વસવાટ શક્ય બને તે દિશામાં પગલાં લેવા જોઈએ.

વન્ય જીવોની સુરક્ષા પર્યાવરણ માટે પણ આવશ્યક છે તેથી આજથી યુવા પેઢીએ વાઘ બચાવો અભિયાન શરૂ કરી લોકોને જાગૃત કરવા જોઈએ. આજની યુવા પેઢી વેલેન્ટાઈન ડે, ફ્રેન્ડશિપ ડે વગેરે ડે ઉજવે છે. તેમણે ટાઈગર ડે મનાવી લોકોમાં અવેરનેસ આવે તેવું અભિયાન ચલાવવું જોઈએ નહીતર આવનાર દિવસોમાં વાઘ બસ તસ્વીરમાં જ જોવા મળશે અને પુસ્તકમાં જોવા મળશે.

રાજય પ્રમાણે વાઘની સંખ્યા
મધ્યપ્રદેશ - 300 , કર્ણાટક - 290 , ઉતરાખંડ - 178 , ઉતરપ્રદેશ - 109 , મહારાષ્ટ્ર - 103 , આંધ્રપ્રદેશ - 95 , તમિલનાડું - 76 , આસામ - 70 , કેરળ - 46 , ઓરિસ્સા - 45 , રાજસ્થાન - 32 , છતિસગઢ - 26 , અરુણાચલ - 14 , બિહાર - 10 , પશ્ચિમ બંગાળ - 10 , મિગ્મેરમ - 6 .