Wednesday, June 9, 2010

જેનો એલોપથીમાં કોઇ જ ઉપાય નથી, એ બિમારી આયુર્વેદ મટાડી શકે છે

By ENN, સુરત, યુનિ.માં બાપાલાલ વૈદ્ય બોટનીકલ રીસર્ચ સેન્ટર'માં રોગ આધારિત વનૌષધિ ઉપર કેવા સંશોધનો થયા છે. એ પણ જાણવા જેવું છે. ડિપાર્ટમેન્ટ ઓફ બાયોસાયન્સના ડીન ડૉ. મીનુ પરબીયાએ જણાવ્યું હતું કે ઔષધીય વનસ્પતિ હેઠળ આજપર્યંત યુનિવર્સિટીમાં 31 શોધનિબંધો (પીએચ.ડી.) થયા છે. જેમાં હાઇપર ટેન્શન (બ્લડ પ્રેશર) પર ડૉ. હીના ઠાકાર, દાંત મ્હોંના રોગો પર ડૉ. સ્મિતા પાઠક, સોરાયસીસ-ચામડીના રોગો પર ડૉ. ફાલ્ગુની શેઠ સ્પોન્ડીલાઇટીસ ઉપર ડૉ. હિરલ ઉપુર (સ્પોન્ડીગો નામક અકસીર દવા બનાવી છે), મેલેરીયા માટે ડૉ. ફરઝીન પરબીયા (જેમણે આંકડામાંથી મેલેરીયાની દવા બનાવી છે) તદ્ઉપરાંત સાઇનોસાઇટીસ (નાકનો રોગ, સસણી, સાયનસ) ઉપર ડૉ. હેમાંગીની શુકલએ પણ અદભૂત સંશોધન કર્યું છે. એમણે એક સળી વિકસાવી છે. ઋષિ ચરકના સમયની બે પદ્ધતિ નવાન નસ્ય તથા ધુમ્રનસ્યનો ઉપયોગ કરીને બનાવેલ આ સળી સળગાવીને એનો ધુમાડો ચોક્કસ સમયગાળા સુધી લેવાથી સાયનસ મટી શકે છે.
ડૉ. પરબીયાએ જણાવ્યું હતું કે રોજીંદા જીવનમાં નુશ્ખા રૂપે વાપરી શકાય એવું આયુર્વેદમાં અઢળક છે. દા.ત. હાડસાંકળનો રસ કાઢીને ભજીયા બનાવીને ખાવામાં આવે તો ગરદન પીઠ જકડાઇ જવાનો રોગ (સ્પોન્ડોલાઇટીસ) તરત મટી શકે. એલોપથીમાં આ રોગ માટે માત્ર પેઇનકીલર ઉપરાંત ગળામાં પહેરવાનો પટ્ટો અપાય છે. લેખકો, પત્રકારો, કોમ્પ્યુટર ઓપરેટરો, બેંક કર્મચારીઓને આ રોગની ફરિયાદ રહે છે. જોકે હાડ સાંકળનાં ભજીયા બનાવતી વખતે હાથમાં એચલી બળતરા થાય કે આ ભજીયા ખાવીથી પેટમાં કેટલા બળતરા થશે એવા વિચારે લોકો ખાતા ખચકાય પણ ખરા. પરંતુ હકીકત એ છે કે હાડસાંકળને રાંધી નંખાયા પછી કોઇ બળતરા થતી નથી, એ નિર્દોષ થઇ જાય છે.
જો કે આવી બદી માથાકુટમાં પડવાને બદલે લોકો દવા પસંદ કરે છે એમ ઉમેરતા ડૉ. પરબીયાએ કહ્યું હતું કે હવે આ દિશામાં સંશોધનો થઇ રહ્યા છે. મૂળ વનસ્પતિના સીધા ઉપયોગથી જે અસર રોગ પર થાય છે. એટલી જ અસર જો વનસ્પતિમાંથી પ્રોસેસ કરીને દવા, બનાવ્યા બાદ થઇ શકતી હોય તો સંશોધન બાદ, દવાની ઝડપી પ્રક્રિયા કરીને ઔષધીય વનસ્પતિને વધુને વધુ લોકભોગ્ય બનાવવાનો મુખ્ય હેતુ આ કોન્ફરન્સનો છે.

1 comment: