Tuesday, May 3, 2022

બેંક ખાતામાંથી પૈસાની ઉઠાંતરી થશે તો બેંકે રુપિયા ચુકવવા પડશે

14:24 03/05/2022 https://www.egujaratitimes.com/ દિલ્હીની રોહિણી કોર્ટે તાજેતરમાં એક મહત્વપૂર્ણ ર્નિણય આપ્યો છે, જે મુજબ જો કોઈ ગ્રાહકના ખાતામાંથી પૈસા ઉપાડી  છેતરપિંડી કરે છે, તો તેની જવાબદારી બેંકની રહેશે.

એક વૃદ્ધ વ્યક્તિના કેસની સુનાવણી દરમિયાન કોર્ટે આ વાત કહી. બનાવટી ચેક દ્વારા ૭૭ વર્ષીય વ્યક્તિના ખાતામાંથી સાત લાખ રૂપિયા ઉપાડી લેવામાં આવ્યા હતા.

તેના પર વૃદ્ધ છેલ્લા ૧૫ વર્ષથી બેંક સામે કેસ લડી રહ્યા હતા. આ મામલાની સુનાવણી દરમિયાન કોર્ટે કહ્યું કે વૃદ્ધોની નિવૃત્તિ અને પેન્શનના પૈસા બેંકમાં જમા છે.

આવી સ્થિતિમાં, જો કોઈ નકલી ચેક દ્વારા તેમના પૈસા ઉપાડે છે, તો તેનો અર્થ એ છે કે બેંક સ્તરે ખામીઓ છે. આવી સ્થિતિમાં વૃદ્ધોની રકમ ચૂકવવાની જવાબદારી બેંકની છે. કોર્ટે કહ્યું કે વૃદ્ધોની અરજી દાખલ કરવાથી લઈને રકમની ચુકવણી સુધી બેંક નવ ટકા વ્યાજ પણ ચૂકવશે.

No comments:

Post a Comment