Showing posts with label Gujarat issue. Show all posts
Showing posts with label Gujarat issue. Show all posts

Wednesday, July 15, 2009

લઠ્ઠાકાંડમાં વધુ ત્રણના મોત
બિન સત્તાવાર આંક 157 થયો

By ENN,
અમદાવાદ,
શહેરમાં સર્જાયેલા લઠ્ઠાકાંડમાં વધુ ત્રણ વ્યકિતઓના મોત નીપજતા મોતનો આંક વધીને મોતનો બિનસત્તાવાર આંક 157 પર પહોંચ્યો છે જયારે સત્તાવાર આંક 132 છે.
શહેરની સરકારી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા 300 જેટલા અસરગ્રસ્તો પૈકી ગંભીરની સંખ્યા વધુ છે જયારે મોતના આંકમાં દિવસેને દિવસે વધારો થતો જાય છે.
સારવાર અસરગ્રસ્તો પૈકી એલજી હોસ્પિટલમાં બે વ્યકિતઓના અને સિવિલ હોસ્પિટલમાં એક વ્યકિત મળી કુલ ત્રણ વ્યકિતઓના મોત નીપજયા છે. આગામી દિવસોમાં મૃતકોની સંખ્યામાં વધારો થવાની શકયતા વ્યકત કરાઈ રહી છે.