રેલવે મંત્રીઓ લોકોને મુરખ જ બનાવે છે
By ENN,
અમદાવાદ,
કેન્દ્રીય રેલવે મંત્રી મમતા બેનરજીએ રેલવેનું છેલ્લું બજેટ રજૂ કર્યું ત્યારે તેણે પ્રજામાં ભારે આકર્ષણ એ વાતે જણાવ્યું કે રેલવે નૂર અને ભાડામાં મમતાઓ કોઇ વધારો સૂચવ્યો નહીં. 57 જેટલી નવી ટ્રેનો શરૂ કરી. રેલવેના ઇતિહાસમાં 12 નોનસ્ટોપ ટ્રેનો શરૂ કરી. રેલવેના ઇતિહાસમાં 12 નોનસ્ટોપ ટ્રેનો લાંબા લાંબા અંતર સુધી દોડાવવાની જાહેરાત થઇ. 1500ની આવકવાળાને 25 રૂપિયામાં માસિક પાસ 'ઇજ્જત' નામે બાઇજ્જત જાહેરાત પામ્યો. 309 સ્ટેશનો આદર્શ સ્ટેશનો બનાવવાની જાહેરાત થઇ જેમાં 109 તો ખાલી પશ્ચિમ બંગાળના જ છે. પશ્ચિમ બંગાળને નવી ટ્રેનો અપાઇ ને એવું તો ઘણું પશ્ચિમ બંગાળને ખટાવાયું. અગાઉના રેલવે મંત્રી લાલુપ્રસાદે બિહારને ખટાવેલું તો મમતા શું કામ બાકી રહી જાય? તેણે પણ પશ્ચિમ બંગાળને ઘણી લહાણીઓ કરી.
લાલુએ પોતાના છેલ્લા બજેટમાં 26 વર્લ્ડ કલાસ સ્ટેશનો જાહેર કરેલાં તેમાં પટનાનું નામ પણ હતું. મમતા બેનરજીએ વર્લ્ડ કલાસ સ્ટેશનોની જાહેરાત કરી ત્યારે પટનાનું નામ ન આવ્યું એટલે લાલુને લાલપીળા થવાનું કારણ મળ્યું. ચાલુ બજેટે જ લાલુએ પશ્ચિમ બંગાળનું કેચાઇ રહ્યું હોવાની ટકોર કરી ત્યારે મમતાએ મોં તોડી લેતાં કહ્યું કે તમે બિહારનું ખેંચતા રહ્યા તો પશ્ચિમ બંગાળને કંઇક તો આપવા દો. પશ્ચિમ બંગાળને લહાણી કરવાનું સીધું કારણ મમતા પાસે સત્તા પ્રાપ્તિનું જ છે. એ તક મમતા શું કામ ચૂકે? છો પછી ભાજપ કે યુપીએના સાથી પક્ષો કાખલી કૂટતા! મમતા બેનરજીએ તો બધા વિરોધો વચ્ચે ધાર્યું જ કર્યું ને લાલુ જેવાને બરાબરની ચાટી ગઇ. ભૂતપૂર્વ લાલુએ અભૂતપૂર્વ મમતાને સાત દિવસમાં રેલવે વહીવટ બાબતે શ્વેતપત્ર બહાર પાડવા પડકાર ફેંકયો, એટલું જ નહીં પોતાના કાર્યકાળ અંગે શ્વેતપત્ર બહાર પડે તેવો આગ્રહ ખુદ લાલુએ રાખ્યો. પોતે કશું ખોટું નથી કર્યું તેવો દાવો કર્યો ને પોતાના તરફથી કોઇ ગેરરીતિ થઇ હોય તો પોતે ગૃહની માફી માંગવા તૈયાર છે. લાલુ કદાચ સમજીને જ બોલ્યા હશે કે માફી માંગીશ, કારણ એથી વધુ નુક્સાન ઉઠાવવાનું તો તેમને પરવડે એમ નથી, કારણ ગેરરીતિનો ઘેર ગઇ, પણ ગઇ રેલવે યોજના બાબતે તેમણે પોતે જ સાબિત કર્યું કે તેમમે બકવાસ કર્યો હતો.
તેમણે ફિશિયારી તો મારી કે તેમનો રેલવે મંત્રી તરીકે જે કાળ વીત્યો તે ઇતિહાસમાં સુવર્ણાક્ષરે લખાશે. તેની સામે મમતાનું માનવું હતું કે લાલુ પ્રસાદે જે લક્ષ્યાંકો બજેટમાં નક્કી કર્યા છે તે વાસ્તવિકતાથી ઘણા દૂર છે. એક વાત નોંધવી ઘટે કે મમતાએ ભાડા વધાર્યાં નથી, જ્યારે લાલુએ ભાડા ઘટાડ્યા છે. આ કરામત કેવી રીતે થઇ તે તો લાલુ જાણે, પણ તે લાલુ પાસે બુદ્ધિ પણ હતી ને તે તેમણે પ્રજાને છેતરવામાં વાપરી પણ હતી. પ્રજાના એટલા નસીબ કે લોકલ ટ્રેનને સુપરફાસ્ટ જાહેર કરીને તેનો ચાર્જ વસૂલ ન કર્યો, પણ લગભગ લોકલ જેવી જ કેટલીક ટ્રેનોને સુપરફાસ્ટ જાહેર કરીને પેસેન્જરોને ખંખેરી લીધા. રિઝર્વેશન કેન્સલેશનમાં ચાર્જ એવી રીતે વસૂલ્યા કે લોકોને રિફંડ, દંડની જેમ નામ પૂરતા જ મળતા થયા. 'તત્કાલ'માં 150 રૂપિયા. ચાર્જ ફટકારીલ લોકોની ગરજ વધારીને તેનો લાભ લીધો. જ્યાં બે બર્થ હતી ત્યાં ત્રણ બર્થ કરી ને એમ એટલા ખેલ પાડયા કે સગવડને નામે અગવડ વધીને ત્રીજી બર્થે રેલવેને સારું એવું ખટાવ્યું. વેલ, મમતાએ ભાવો ના ઘટાડ્યા, પણ તત્કાલનો ચાર્જ 150 પરથી 100 રૂપિયા પર આણ્યો. એટલો લાભ તો થયો જ. આમ તો બંનેએ જે લક્ષ્યાંકો આપ્યાં. તેમાં વાસ્તવિક્તા જોડે ઝાઝી લેવાદેવા રહી નથી. આવનારા 8 મહિનામાં એ શક્ય નથી. 12 ટ્રેનો નોન સ્ટોપ શરૂ કરવાની વાત છે. એ પણ આવનારા સમયમાં પાર પડે તેવી શક્યતા ઓછી છે ને બંને બોગસ છે તે વાત વર્લ્ડ કલાસ સ્ટેશન બનાવવા સંદર્ભે ઉઘાડી પડી ગઇ છે. બંને ગપ્પા મારે છે. બંને છેતરે છે. કમસેકમ લાલુએ તેમના જ કહ્યા પ્રમાણે ગૃહની તાત્કાલિક અને બિનશરતી માફી માંગાવી જોઇએ કારણકે તેમણે પોતે જ થૂંકીને ચાટ્યું છે. જો કે એવી આદત લાલુ માટે નવી નથી. પ્રજા પણ જાણે છે કે રાજકારણીઓ ક્યારેક સાચું પણ બોલે છે.
વાત છે વર્લ્ડ ક્લાસ રેલવે સ્ટેશનની. લાલુએ પોતાના કાળમાં 26 રેલવે સ્ટેશનોને વર્લ્ડ કલાસ બનાવવાની વાતો કરેલ. તેમના સમયમાં એવું એક પણ સ્ટેશન બન્યાનું બહાર આવ્યું નથી. પટના પણ નહીં. ખરેખ તો પટનાએ મોટી ભૂમિકા લાલુને ઉઘાડા પાડવામાં ભજવી છે. જો મમતા બેનરજીએ વર્લ્ડ ક્લાસ સ્ટેશનમાં પટનાનો ઉલ્લેખ કર્યો હોત તો કદાચ લાલું ઢંકાયેલા રહી શક્યા હોત, પણ મમતાએ પટનાનું પત્તું કાપી નાખ્યું ને લાલુ ઉઘાડા પડવાની હોડ બકી બેઠા.
બન્યુ એવુ કે 2011ની વિધાનસભાની ચૂંટણીમાં તૃણમૂલને જનાદેશ મળે તેવી ચોખ્ખી ગણતરીથી મમતા બેનરજીએ એટલી લહાણીઓ કરી કે ભાજપના અનંતકુમારે પરખાવવું પડ્યું કે સબ કુછ બંગાલ, બાકી, સબ કંગાલ. ત્યારે લાલુએ આ શ્વસ્ત કરતાં અનંતકુમારને કહ્યું કે વર્લ્ડ કલાસ સ્ટેશન બનાના તો એક સોચ હૈ, યહ બનાના તો હૈ નહીં, ફિર આપ કયૂં પરેશાન હો રહે હો?
યાદ રહે આ બીજું કોઇ નહીં, પણ ભૂતપૂર્વ મંત્રી લાલુપ્રસાદ યાદવ બોલે છે. જે સ્પષ્ટપણે માને છે કે મમતાએ વર્લ્ડ ક્લાસ સ્ટેશનો અને 'મોડેલ સ્ટેશનો' ની જે જાહેરાત કરી છે તે કેવળ કલ્પના માત્ર છે. આ યોજનાઓ ક્યારેય સાકાર થવાની નથી થયું ને થુંકેલું ચાટવા જેવું. જો વર્લ્ડ કલાસ સ્ટેશનની વાત હવાહવાઇ છે તો લાલુપ્રસાદ પાસે એનો ખુલાસો મંગાવો જોઇએ કે પોતે 26 સ્ટેશનોને વર્લ્ડ કલાસ કરવાની જે જાહેરાત રેલવે મંત્રી તરીકે કરેલી તેમા પણ તરંગ સિવાય બીજું શું હતું? એનો અર્થ તો એ જ કરવાનો રહેને કે વર્લ્ડ ક્લાસને નામે લાલુએ પમ ટાઢા પહોરની જ હાંકી હતી. લાલુએ પોતે કંઇ ખોટું કર્યું નથી એવું જ્યારે કહ્યુ તેની બીજી જ મિનિટે તેમણે મમતાને વાતો પોકળ હોવાનું કહેતાં અજાણતાં જ પોતાની વાતો પણ બકવાસ જ હતી તે આપોઆપ જ સિદ્ધ કરી દીધું. લાલુએ લવારો કરવામાં બીજો કલાક પણ લીધો નહીં તે અત્યંત ખેદજનક છે. એ સાથે જ મમતાનો પણ ઊઘડો લેવો જોઇએ કે જે શક્ય જ નથી કે જે વિચાર માત્ર જ છે તે વર્લ્ડ કલાસ સ્ટેશન કન્સેપ્ટ એમણે ક્યે આધારે બજેટમાં શામેલ કરવાનું સ્વીકાર્યું? 26 સ્ટેશનોની જાહેરાત કરીને લાલુએ પડીકુ વાળી દીધું. તે તો વિચાર માત્ર છે તેવું લાલુએ સિધ્ધ કરી દીધું નહીંતર કમસેકમ પટનાને ઉદ્ધાર તો થઇ શક્યો હોત. એ ન થયું એનો અર્થ જ એ કે કશું થવાનું નથી. મમતા ભલે નોન સ્ટોપ ટ્રેનોની જાહેરાત કરે, પણ દૂરનું સપનું માત્ર છે.
આપણી કમનસીબી એ છે કે જે જે દરખાસ્તો સાથે બજેટ પાસ થાય છે તે પ્રમાણે સંબંધિત મંત્રી ખરેખ શુ કરે છે તેનો કોઇ હિસાબ ક્યારેય આપવાનો થતો જ નથી. થતો હોત તો લાલુને પછી શકાયું હોત ને કે વર્લ્ડ ક્લાસ સ્ટેનશ કા ક્યા હુઆ? આવતા બજેટમાં મમતા પાસે એ વાત મુકાવી જોઇએ કે નોન સ્ટોપ ટ્રેઇન સ્ટાર્ટ થઇ તો ક્યાંથી થઇ ને સ્ટોપ થઇ તો ક્યાં થઇ ? કેમ થઇ? મમતાએ જેમ વર્લ્ડ કલાસ સ્ટોરી કરીને લોકોને હોલસેલમાં મુરખ બનાવ્યા તેમ તે નોન સ્ટોપમાં નહીં જ કરે તેની કોઇ ખાતરી નથી. વડાપ્રદાન જેવા પણ લાલુ અને મમતાના રેલ્વે કર્મકાંડથી રાજી હતા ને વખાણ કરતા થાકતા નો'તા તો તેમને પૂછી શકાય કે વર્લ્ડ કલાસ સ્ટેશનનો વિચાર કલ્પાના જ છે તેવું ખુદ લાલુએ કબુલ્યું હોય અને મમતાએ એ ગોળો છેલ્લા બજેટમાં બિનધાસ્ત ગબડાવ્યો હોય તો નથી લાગતું કે તમે અમસ્તા જ મમતા અને લાલુને થાબડ થાબડ કરો છો? વડાપ્રધાનને પક્ષે પણ આ બાબત તેમની કમજોરી જ પ્રગટ કરે છે.
યૂપીએ સરકાર વર્લ્ડ ક્લાસ સ્ટેશન બાબતે બજેટમાં જાહેરાત કરે ને તે વચન થંગ કરતાં નાગાઇ કરતા જવાબ આપે કે એવો કોઇ વાસ્તવિક એજન્ડા જનથી તો તેવો રેલ્વે મંત્રીઓને શું કામ ટ્રેનના પાટા પર ન બાંધી દેવા જોઇએ તે કોઇ કહેશે? આ વચનભંગ તો છે જ, પ્રજાનો બેશરમીભર્યો ઉઘાડેછોહ દ્રોહ પણ છે. એમાંથી લાલુ બાકાત નથી તો મમતા યે જવાબદાર છે. કાગડા બધે જ કાળા છે તે અમથું નથી કહેવાયું.
Showing posts with label indian railway minister. Show all posts
Showing posts with label indian railway minister. Show all posts
Friday, July 17, 2009
Subscribe to:
Posts (Atom)