Showing posts with label narendra modi. Show all posts
Showing posts with label narendra modi. Show all posts

Wednesday, July 15, 2009

હરેન પંડ્યા હત્યાકાંડ, મોદીને રાહત !

By ENN,
નવી દિલ્હી,
ઉચ્ચત્તમ ન્યાયાલયે વર્ષ 2003માં ગુજરાતના ગૃહમંત્રી હરેન પંડ્યાની હત્યાના મામલે આજે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની પુછપરછ કરવાની સીબીઆઇની માંગણી ફગાવી હતી. મુખ્ય ન્યાયાધીશ કેજી બાલાકૃષ્ણનની અધ્યક્ષતાવાળી પીઠે કહ્યું કે, આરોપનો કોઇ આધાર હોવો જોઇએ.
ન્યાયાલયે હરેન પંડ્યાના પિતા વિઠ્ઠલભાઇ પંડ્યાની અરજીની સુનાવણી કરી હતી. હરેન પંડ્યાની 26મી માર્ચ 2003માં હત્યા કરવામાં આવી હતી. ઉચ્ચત્તમ ન્યાયાલયે જોકે હરેન પંડ્યાના પિતા પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરી હતી કે જે ન્યાય માંગવા માટે અહીં આવ્યા હતા.
પીઠમાં ન્યાયમૂર્તિ પી સદાશિવમ અને ન્યાયમૂર્તિ બીએસ ચૌહાણ પણ સામેલ હતા. પીઠે કહ્યું કે અમને ઘણું દુખ છે કે એક પિતાને અહીં આવવું પડ્યું છે. પંડ્યાના પિતાએ જાતે જ અરજી દાખલ કરી હતી અને આગળની કાર્યવાહી ચલાવવા માટે વરિષ્ઠ વકીલ મગનભાઇ બારોટને અનુમતિ આપી હતી.
તેમણે કહ્યું કે, સીબીઆઇ દિવંગત નેતાની પત્ની સહિત કેટલાક મુખ્ય સાક્ષીઓની પુછપરછ નથી કરી રહી કે જેનાથી આ ષડયંત્ર ઉપરથી પડદો ઉઠાવી શકાય, કથિત રીતે મુખ્યમંત્રીનો પણ આમાં સમાવેશ થાય છે.