Wednesday, June 9, 2010

કાચ-લોખંડ અને કોંક્રિટનાં જંગલોમાં ફેરવાઇ રહેલા અમદાવાદનું તાપમાન હજુ લોકોને દઝાડશે

અમદાવાદ, 21મી સદીની સૌથી વિકરાળ જો કોઇ સમસ્યા હોય તો તે ગ્લોબલ વોર્મિંગ કે શીતયુગનાં એંધાણ ગણી શકીએ. છેલ્લા 10 વર્ષનાં વૈશ્વિક વાતાવરણનો અભ્યાસ કરીએ, તો સ્પષ્ટ થાય છે કે, જ્યાં અગાઉ કદી વરસાદ પડતો નથી થઇ, ત્યાં બરફવર્ષા થઇ રહી છે. જ્યાં તાપમાન સમશિતોષ્ણ રહેતુ હતું. ત્યાં ઉષ્ણ તાપમાન નોંધાયું છે. જ્યાં મહત્તમ વરસાદ થયો હતો. ત્યાં વરસાદનું પ્રમાણ ઘટી ગયું છે, અને જ્યાં વરસાદનું પ્રમાણ નહિવત હતું, ત્યાં ઢગલો વરસાદ પડી રહ્યો છે.
આ તમામ ભૌગોલિક વાતાવરણમાં ફેરફારો અંગે ચર્ચા માટે કોપનહેગનમાં મળેલી વિશ્વનાં દેશોની બેઠક આમ તો કોઇ ખાસ નિર્ણય વિના સમાપ્ત થઇ ગઇ હતી. તેનાં કારણો ઘણાં છે. પણ એક વાતની નોંધ લેવાઇ કે વિકશીત અર્થતંત્ર ધરાવતા દેશો દ્વારા હવા-પાણીના અઢળક પ્રદુષણને કારણે 'ગ્લોબર એટમોસફિયર'માં અભૂતપૂર્વ ફેરફારો નોંધાય છે. તેને વૈજ્ઞાનિકો 'બ્લેક હોલ' તરીકે ઓળખે છે અને આ તમામ પરિબળોને કારણે ભારત સહિત વિશ્વનાં દેશોનાં હવામાનમાં અભૂતપૂર્વ પરિવર્તનો જેટલા છેલ્લા 10 વર્ષમાં નોંધાયા છે, તેટલા વિતેલા 50 વર્ષમાં પણ નોંધાયા નથી. બીજી બાજુ એન્ટાર્ટિકાની હિમશીલાઓ અભૂતપૂર્વ રીતે ઓગળી રહી છે. જેને કારણે સમુદ્રની સપાટી ઉપર આવી રહી છે. અલબત્ત અત્યારે જો હાલ આપણે અમદાવાદનાં વાતાવરણમાં પ્રદુષણની માત્રાનો વિચાર કરીએ તો વિતેલા દાયકાઓની તુલનામાં છેલ્લા 10 વર્ષમાં શહેરનાં વાતાવરણમાં બિન આરોગ્યપ્રદ કાર્સિનોજીક (કેન્સર જન્ય) તત્ત્વોનું પ્રમાણ પ્રતિદિન વધી રહ્યું છે. છેલ્લા પંદર દિવસથી શહેરમાં ટોક ઓફ ધ ટાઉન બનેલ અતિશય ગરમી અને ઉંચા તાપમાનવાળા વાતાવરણથી આજે પણ અમદાવાદીઓ પરેસેવે રેબઝેબ થાય છે. ઉનાળાના પ્રારંભે શહેરનું તાપમાન વધીને 47 ડીગ્રી સુધી પહોંચી ગયું હતું. ત્યારે બાદ ક્રમશઃ તાપમાનમાં ઘટાડો થયો હોવા છતાં હવામાં ગરમીનું પ્રમાણ દઝાડતુ રહ્યું છે. શહેરના આ મુજબના તાપમાન માટે પર્યાવરણવાદીઓ અનેક પરિબળો જવાબદાર હોવાનું બતાવે છે. જેમાં સૌથી મહત્વનું શહેરમાં ફેલાતું પ્રદુષણ છે.
જો આ પ્રદુષણ પર બ્રેક નહીં લાગે તો એક દિવસ શહેરનું તાપમાન 50 ડીગ્રીએ પહોંચી જશે. પંદર દિવસ દરમ્યાન શહેરમાં તાપમાનમાં વધારો ઘટાડો ચાલુ રહ્યો હતો. જેમાં તાપમાનમાં એકાએક વધોરો થઇને 47 ડિગ્રી તાપમાન થઇ જતા પર્યાવરણના જાણકારો ચોકી ઉઠ્યા હતા. આ માટે પર્યાવરણશાસ્ત્રીઓ કોંક્રિટના જંગલો વાહનોની સંખ્યા કુદકે ને ભુસકે વધી રહી છે. ડાઇંગ હાઉસો, ફેકટરીઓની સંખ્યામાં પણ થઇ રહેલા વધારાને જવાબદાર ગણે છે.
વધતા જતા તાપમાન માટે પર્યાવરણ શાસ્ત્રીઓ મહત્વના પરિબળ અંગે જણાવે છે કે, નોંધાયેલા આંકડા મુજબ હાલ શહેરમાં નાના-મોટા મળી 4-5000 બિલ્ડીંગો છે.
જેમાં દસ માળથી કે વધુ માળવાળા બિલ્ડીંગોનો આંકડો 2000 જેટલો છે. તો લોરાઇઝ બિલ્ડીંગોની સંખ્યા 3000 છે. પર્યાવરણવાદીઓ આ બિલ્ડીગોને તાપમાન પર થતી અસરો માટે જવાબદાર ગણી જણાવે છે કે આવા બિલ્ડીંગોનું સ્ટ્રકચરનું એવું હોય છે કે તાપ પડે એટલે બિલ્ડીંગો ગરમી શોષી લે. જ્યારે ગરમી ઉંચા દબાણવાળા વાતાવરણમાં પહોંચે છે ત્યારે ઉપર કાર્બેન ડાયોક્સાઇડનું પ્રમાણ એટલું બંધ હોય છે કે ગરમી ભેજવાળા પ્રવાહમાં જઇ શકતી નથી. શહેરમાં વધતા જતા તાપમાન માટે પર્યાવરણ શાસ્ત્રીઓ બીજા એક મહત્વના પાસાને જવાબદાર માને છે તે શહેરમાં કુદકે ને ભૂસકે વધી રહેલી વાહનોની સંખ્યા હાલ શહેરના રસ્તાઓ પર 35 લાખથી વધુ વાહનો દોડી રહ્યા છે. જેમાં 25 લાખ મોટર સાયકલ, 5 લાખ મોટરકારો તથા 1,25,000 રીક્ષાઓ માર્ગો ઉપર દોડે છે.

No comments:

Post a Comment