Wednesday, June 9, 2010

આપણે આયુર્વેદની તાકાતને અવગણીએ છીએ અને વિદેશીઓ તેની ધડાધડ પેટન્ટ કરાવી રહયા છે


By ENN, ઘર ઓફિસમાં વ્હેંચાઇને જીવતા આજના માણસને છીંક પણ આવે તો ડૉકટર સુધી દોડી જવું પડે છે. આપણે એલોપથી દવાઓ ઉપર નિર્ભર થઇને બે ટીકડી ગળા નીચે ઉતારી ફરી કામે વળગવાની કોશીશ કરીએ છીએ. તાકીદે રાહત કરી આપતી એલોપથી દવાઓની આડઅસર ઉપરાંત રોગને મૂળમાંથી કાયમી રીતે કાઢી શકવાની નહીંવત શકયતાઓ વચ્ચે, આપણું પૌરાણીક આયુષ્ય વિજ્ઞાન (તબીબી શાસ્ત્ર), આયુવિજ્ઞાન એટલે કે આયુર્વેદ... આજે પણ અડીખમ છે.
આયુર્વેદની ધીમી અસર એટલી તો મજબૂત છે કે વિદેશીઓ યોગ અને આયુર્વેદ (યોગા એન્ડ આયુર્વેદા) તરફ વળી રહ્યા છે. લીમડો, હળદર સહિતની ઔષધીય વનસ્પતિઓના પેટન્ટ કરાવી લેવાનું અમેરીકા તથા યુરોપીયન દેશોનું સુવ્યવસ્થિત કૌભાંડ આગળ ન વધે એ માટે દેશના જ એક વિજ્ઞાની ડૉ. મશેલરની કામગીરી નોંધપાત્ર રહી. અમેરિકામાં એક પંજાબી એનઆરઆઇએ હળદરની 4 વિવિધ પેટન્ટ કરવવાની કોશીશને પણ ડો. મશેલસરએ નાકામ બનાવી દીધી હતી. નહીંતર આજે આપણા હળદર જેવી કુદરતી સંપત્તિ સ્ત્રોતો પર અમેરિકાનો માલિકી હક લાગી ચુક્યો હોત. જાણીને નવાઇ લાગશે પણ શ્રી મશેલરના પ્રયત્નોથી લીમડા સહિતની વનસ્પતિઓની સીધી પેટન્ટ કરવવામાં નિષ્ફળ ગયા બાદ, લીમડામાંથી શુ શુ બની શકે? એના ઉપયોગો જાણીને અમેરિકાએ 66 જેટલી દવાઓ બનાવી તેની પેટન્ટ કરાવી લીધી છે.
ભારતમાં ડોશીમાંનું વૈદુ, તરીકે જાણીતા છોડ, વનસ્પતિ, ફળ, ફુલ, વિગેરેથી થતા રોગોના ઘરગથ્થુ ઉપચારો (જાહેર જ્ઞાન) હેઠળ આવરી લઇ ડો.મશેલરે આ લડત ચલાવી હતી. પેટન્ટના કાયદા મુજબ વૈજ્ઞાનિક સંશોધન ભલે ન થયું હોય પણ લોકો પરંપરાગત રીતે વર્ષોથી જાણકારી કરતા આવ્યા હોય એવી 'જાહેર જ્ઞાન'ની વસ્તુને સંશોધનમાં ખપાવી પેટન્ટ ન થઇ શકે. બસ, આ કાયદો બતાવી કાઉન્સિલ ઓફ સાયન્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઅલ રીસર્ચના ડિરેક્ટર જનરલ ડો.મશેલરે ભારતીય વનૌષધિઓ ઉપર અમેરિકા યુરોપની પેટન્ટના થતી માલિકી અટકાવવામાં સફળતા મેળવી હતી.
દરેક ભારતીયે એમના ઋણી બનવું પડે, એવી એમની મહેનત હતી, અન્યથા આજે આપણે લીમડો, હળદર જેવી વનસ્પતિનો ઉપયોગ વિદેશીઓ કહે એમ કરવો પડત.
આગામી જુન માસમાં તા.9 તથા 10 દરમ્યાન વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી (ડિપાર્ટમેન્ટ ઓફ બાયોસાયન્સ)ના યજમાનપદે શહેરમાં બે દિવસીય રાષ્ટ્રીય કોન્ફરન્સનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. સવારે 9-30 થી સાંજે 7 સુધી ચાલનાર આ કોન્ફરન્સમાં મદ્રાસ, કેરળ, શિલોંગ, બંગાળ, મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ સહિતના રાજ્યોમાંથી 300 જેટલા વનસ્પતિ પ્રેમીઓ, સંશોધન, તજળો, વિદ્યાર્થીઓ ભાગ લેશે. આ માટે સીટીલાઇટ રોડ સ્થિત તેરાપથ ભવન નિશુલ્ક ધોરણે યુનિવર્સિટીને ફાળવાયું છે. જેમાં યુજીસી દ્વારા 1 લાખની ગ્રાંટ ફાળવવામાં આવી છે.
ઔષધીય વનસ્પતિ દેશનો સંપત્તિ સ્ત્રોત વિષય સંલગ્ન મુદ્દાઓ ઉપર ચર્ચાઓ, ઉદ્બોધનો સહિત પ્રેઝન્ટેશન, સંશોધનો રજૂ થશે. મેડીસીનલ પ્લાન્ટસ ક્ષેત્રે દેશના 7 થી વધુ ટોચના તજજ્ઞો આ નેશનલ સીમ્પોઝીયમના વકતા રહેશે.

No comments:

Post a Comment