Wednesday, July 22, 2009

ભારતમાં 9,000 ટ્રેનમાં 1.80 કરોડ પ્રવાસી પ્રવાસ કરે છે

By ENN,
નવી દિલ્હી,
ભારતીય રેલવેની સત્તાવાર શરૂઆત 1853ની 16 એપ્રિલથી થઇ હતી, જ્યારે મુંબઇના બોરીબંદરથી થાણે વચ્ચે પ્રથમ ગાડીને લીલીઝંડી દેખાડવામાં આવી હતી.

ત્યારબાદ ભારતમાં રેલવે નેટર્વકનું ઝડપી વિસ્તરણ થયું છે જેનું શ્રેય તે વખતના ગવર્નર જનરલ લોર્ડ ડેલહાઉઝીને જાય છે.

ભારતીય રેલવેના ઇતિહાસની મહત્વની ઘટના 1925ની ત્રણ ફેબ્રઆરીએ બની હતી, જે દિવસે મુંબઇ, વીટી અને કુર્લા વચ્ચે પ્રથમ ઇલેક્ટ્રિક ટ્રેન ચલાવવામાં આવી હતી. 1937માં વાતાનુકૂલિત કે એ.સી. બોગી શરૂ થઇ હતી. સ્વતંત્ર ભારતનું પ્રથમ રેલવે અંદાજપત્ર 1947માં જોન મથાઇએ રજૂ કર્યું હતું.

રાષ્ટ્રીય પાટનગર સાથે રાજ્યોના પાટનગરના જોડાણ માટે 1969માં પ્રથમ રાજધાની એક્સપ્રેસ શરૂ કરવામાં આવી. 1984માં કોલકત્તાાં દેશની પ્રથમ મેટ્રો રેલવે, 1986માં રેલવે રિઝર્વેશનમાં કોમ્પ્યુટરાઇઝેશન અને 1988માં પ્રથમ શતાબ્દિ ટ્રેન શરૂ કરવામાં આવી. ટ્રેનો વિશેની માહિતી માટે 2007માં 139 સેવા શરૂ કરવામાં આવી.

ભારતીય રેલવે સૌથી વધુ રોજગારી પૂરી પાડનાર રેલવે છે જેમાં 14 લાખ કર્મચારીઓ કામ કરે છે.
આ વિશ્વનું સૌથી મોટું પાંચમું રેલ નેટવર્ક છે. જેના 63 હજાર કિલોમીટર લાંબા પાટા ઉપર 9,000 ટ્રેન અને રોજ 1.80 કરોડ પ્રવાસીઓ સફ કરે છે.

દર વરસે રેલવે પ્રધાન રેલવે માટે અલગ અંદાજપત્ર રજૂ કરે છે. પ્રથમ રેલવે પ્રધાનની આગેવાની હેઠળ રેલવેમાં અચાનક ટિકિટની તપાસ થતી. કમલાપતિ ત્રિપાઠીના સમય સુધી આ પ્રથા હતી. ત્રિપાઠી જ્યારે રેલવે પ્રધાન હતા. ત્રિપાઠી જ્યારે રેલવે પ્રધાન હતા ત્યારે તે પોતાના રાજ્ય પ્રધાનોને ટિકિટની તપાસ કરવા કામે લગાડતા હતા.

No comments:

Post a Comment