Wednesday, July 22, 2020

૬૮૦૦ વર્ષમાં એક વખત પસાર થતો નિયોઇઝ ધૂમકેતુ પૃથ્વીની નજીક આવ્યો

11:49 22/07/2020:

દુર્લભ અવકાશી નજારો: ૬૮૦૦ વર્ષમાં એક વખત પસાર થતો નિયોઇઝ ધૂમકેતુ પૃથ્વીની નજીક આવ્યો

ધૂમકેતુ પૃથ્વીની નજીક આવતાં વૈજ્ઞાનિક અભ્યાસ કરવા માટે વૈજ્ઞાનિકોને મળતી તક :  ડો.પંકજ જોશી


કોવિડ ૧૯ની વૈશ્વિક મહામારી વચ્ચે એક દુલર્ભ ધૂમકેતુ પૃથ્વીની ખૂબ નજીક આવ્યો છે,  જે ૬૮૦૦ વર્ષમાં એક વખત જ પસાર થતો હોય હાલમાં દુર્લભ અવકાશી નજારો સર્જાયો હોય લોકો રસપૂર્વક આકાશના અવલોકનો કરી રહ્યા છે. ત્યારે નિયોઇઝ ધૂમકેતુ સહિતના ધૂમકેતુ માટેના એસ્ટ્રોફિઝીક્સ અને રહસ્યો તથા કુદરતના અદ્દભૂત સર્જન વિશે બ્રહ્માંડ વિજ્ઞાની ડો.પંકજ જોશી દ્વારા પ્રકાશ પાડવામાં આવ્યો છે. 
ધૂમકેતુ ક્યાંથી આવે છેતેને પૂંછડી જેવો ભાગ કેમ હોય છેકુદરતનું અદ્દભૂત સર્જન અને ધૂમકેતુ સાથે સંકળાયેલી માન્યતાઓ વિશે વાત કરતાં ચાંગા સ્થિત ચારૂસેટ યુનિવર્સિટીના પ્રોવોસ્ટ અને બ્રહ્માંડ વિજ્ઞાની ડો.પંકજ જોશીએ જણાવ્યું કેધૂમકેતુ એ ૭૦થી ૧૦૦ કિમી જેટલો બરફધૂળ અને પથ્થરોનો બનેલો ગોળો છેજે સૂર્યમાળાની અંદર સૂર્યની નજીક પ્રવેશ કરે છે ત્યારે જેમ જેમ સૂર્યની નજીક જાય તેમ સોલાર રેડિયેશનને કારણે બરફ અને ગેસમાંથી જુદા જુદા ગેસીસ કન્વર્ટ થાય છે એમાંથી પૂંછડી જેવું રચાય છે. ધૂમકેતુનું ૭૦થી ૮૦ કિમી સુધીનું ન્યુક્લીયર્સ હોય છે પરંતુ જે પૂંછડી છે તે હજારો અને ઘણીવાર લાખો કિમી સુધી વધેલી હોય છે. આમ સૂર્યના વિકિરણોથી પૂંછડી રચાય છે. ધૂમકેતુની ભ્રમણકક્ષામાં પણ ધૂમકેતુ દૂરથી એકદમ નજીક આવે છે અને એકદમ દૂર ચાલ્યો જાય છે. ઘણા ધૂમકેતુને પાછા આવતાં હજારો વર્ષ નીકળી જાય છે. નિયોઇઝ ધૂમકેતુને પાછા આવતાં ૬૮૦૦ વર્ષ લાગે છે. જ્યારે હેલી ધૂમકેતુ ૭૫ વર્ષે સૂર્યમંડળની મુલાકાત લે છે. ધૂમકેતુનું વિજ્ઞાન ખૂબ જ રસપ્રદ અને સમજવા જેવું છે. નાસા દ્વારા વર્ષ ૨૦૦૫માં ધૂમકેતુ પર મોટો આધાત કરીને રોબોટીક્સ અભ્યાસ કરવામાં આવ્યો હતો. હાલમાં નિયોઇઝ ધૂમકેતુ પૃથ્વીની ખૂબ નજીક છેત્યારે અદ્દભૂત અવકાશી નજારો જોવાનો લ્હાવો મેળવવા સાથે વૈજ્ઞાનિક અભ્યાસ માટેની તક પણ સાંપડે છે. 

પૃથ્વી પર મહત્તમ પાણીના હિસ્સો ધૂમકેતુને કારણે હોવાની માન્યતા
ડો.પંકજ જોશીએ જણાવ્યું કેધૂમકેતુ મોટાભાગે બરફના બનેલા હોય છે. પૃથ્વીનો ઉદ્દભવ થયો ત્યારે ઘણા ધૂમકેતુ પૃથ્વીની નજીક આવી ગયેલા અને પૃથ્વી સાથે અથડાયેલા એના કારણે પૃથ્વી પર મોટા પ્રમાણમાં પાણીનો હિસ્સો હોવાની માન્યતા છે. સાથે સાથે, પૃથ્વી પર જીવનનો ઉદ્દભવ થયો એની પાછળ પણ ધૂમકેતુ હોવાની પણ માન્યતા છે. ધૂમકેતુમાં રહેલા ઓર્ગેનિક મોલેક્યુલસ ને કારણે જીવનની ઉત્પતિ થઇ હોવાનું માનવામાં આવે છે.  બ્રહ્માંડમાં અનેકવિધ રહસ્યો છુપાયેલા છે જેનો અભ્યાસ કરવાની જિજ્ઞાસા હોય છે. જેથી ધૂમકેતુ પૃથ્વીની નજીક આવે ત્યારે વૈજ્ઞાનિક અભ્યાસ કરવાની તક મળી રહે છે. 

Monday, July 20, 2020

ડિગ્રી કરતા જિંદગી વધુ મૂલ્યવાન

15:11 20/07/2020:
કોરોના મહામારીના સમયમાં શાળા કોલેજો ખોલવી જોઈએ કે કેમ તે બાબતે અનેક પ્રશ્નો ચર્ચાઈ રહ્યા છે. અનેક ખાનગી શાળાઓ ઓનલાઇન શિક્ષણના નામે નિયમિત હોય તેના કરતાં પણ વધુ ફી વિદ્યાર્થીઓ-વાલીઓ પાસેથી ઉઘરાવી રહી છે. તો બીજી બાજુ UGCની નવી ગાઇડલાઇન પણ સપ્ટેમ્બર સુધીમાં અંતિમ વર્ષના તમામ વિદ્યાર્થીઓની પરીક્ષા પૂર્ણ કરવાનો આદેશ આપે છે. જોકે જ્યારે પરીક્ષા લેવાનો આદેશ અપાઈ રહ્યો છે ત્યારે ભારતમાં કોરોનાના કેસ 11 લાખ સુધી પહોંચવાની તૈયારીમાં છે. તો મૃત્યુનો આંકડો 26 હજાર કરતાં પણ વધુ છે. દેશમાં રોજ સરેરાશ 35 હજાર સંક્રમણના કેસ અને 500 મૃત્યુ નોંધાઈ રહ્યા છે.
અમેરિકામાં પણ આ જ પરિસ્થિતિ છેટ્રમ્પ સરકારે તો ત્યાં સુધી કહ્યું છે કે જે શાળાઓ શરૂ કરવામાં નહીં આવે તેમની ગ્રાન્ટ કાપી લેવામાં આવશે.
અલબત્ત આજે આપણે વિજ્ઞાન અને ટેકનોલોજીના અતિવિકાસની વચ્ચે જીવી રહ્યા છે. તેમ છતાં અનેક વાર માનવ સભ્યતા સામે અનેક પડકારો આવતા રહે છે. હાલમાં જ્યારે આપણે કોરોના મહામારીનો સામનો કરી રહ્યા છે, ત્યારે વિશ્વએ અગાઉ મહામારી અને અન્ય કટોકટીનો સામનો કેવી રીતે કર્યો હતો, તે પણ જાણવુ જોઇએ.
અગાઉની કટોકટી સમયે શાળા-કોલેજોની સ્થિતિ શું હતી, તે જાણવા માટે એક નજર આપણે ભૂતકાળ પર પણ નાખીએ. વિશ્વની મહાસત્તા ગણાતો દેશ અમેરિકા આજે કોરોના સંક્રમણ અને કોરોનાથી મૃત્યુમાં સમગ્ર વિશ્વમાં પ્રથમ સ્થાને છે. 2009માં જ્યારે A/h1n1નું સંક્રમણ અમેરિકામાં ફેલાયું હતું, ત્યારે એ સમયે પણ અમેરિકામાં શાળાઓ બંધ કરી દેવામાં આવી હતી. આ વાઇરસની જ્યારે મહત્તમ અસર હતી, ત્યારે 5 મે, 2009 દરમિયાન અમેરિકાની 726 જેટલી શાળાઓ બંધ કરી દેવામાં આવી હતી કે જેથી કરીને આ સંક્રમણ વધુ ફેલાય નહીં.
1918 અને 1919 દરમિયાન સમગ્ર વિશ્વ સ્પેનિશ ફ્લૂનું સાક્ષી બન્યું હતું. એ સમયે સમગ્ર વિશ્વમાં 50 મિલિયન જેટલા લોકો મૃત્યુ પામ્યા હતા. જ્યારે અમેરિકામાં પણ એ સમયે 6 લાખ, 75 હજાર લોકો મૃત્યુ પામ્યા હતા. એક તરફ પ્રથમ વિશ્વયુદ્ધની તારાજી અને બીજી તરફ આ મહામારીનો ભરડો. એ સમયે પણ અમેરિકામાં તમામ શૈક્ષણિક સંસ્થાઓ સરેરાશ લગભગ છ મહિના સુધી બંધ રાખવામાં આવી હતી. નવેમ્બર 1918ના મધ્યમાં જ્યારે ઉતાવળે શાળાઓ ખોલવામા આવી અને વિદ્યાર્થીઓ શાળામાં પરત ફર્યા ત્યારે એ જ મહિનાના અંતમાં ફરીથી સ્પેનિશ ફ્લૂ (ઈંફ્લુએન્ઝા)નું સંક્રમણ વધી જતા ફરીથી શાળાઓ બંધ કરવી પડી હતી.
પ્રથમ વિશ્વ યુદ્ધમાં રોકાયેલા સૈનિકો થકી સ્પેનિશ ફ્લૂનું સંક્રમણ સમગ્ર વિશ્વમાં ફેલાયું હતું. ભારતમાં પણ મે, 1918માં જ્યારે સૈનિકોને લઈને  ઇરાનથી એક જહાજ મુંબઈ આવ્યું, ત્યારે આપણા દેશમાં પણ ઇન્ફ્લુએન્ઝાનો ફેલાવો શરૂ થયો. જૂન મહિના સુધીમાં તો આ ઈંફ્લુએન્ઝા-સ્પેનિશ ફ્લૂનું સંક્રમણ દિલ્હી, મેરઠ અને સિમલા સુધી પહોંચી ગયું હતું. એ સમયે જ્યાં જ્યાં પણ સ્પેનિશ ફ્લૂના સંક્રમણના કેસો મળી આવ્યા ત્યાં ત્યાં અને તેમાંય ખાસ કરીને મુંબઈમાં શાળા-કોલેજો બંધ કરી દેવામાં આવી હતી.
1957માં પણ એશિયન ફ્લૂથી ઓળખાતા h2n2 વાયરસનું સંક્રમણ અને તેનાથી સર્જાયેલી તારાજી વિશ્વએ જોઈ હતી. સંક્રમણને અટકાવવા ત્યારે પણ આપણા દેશ સહિત અનેક દેશોમાં શાળા-કોલેજો બંધ કરી દેવામાં આવી હતી.
પ્રથમ વિશ્વયુદ્ધ અને બીજા વિશ્વયુદ્ધ દરમિયાન પણ શૈક્ષણિક સંસ્થાઓ બંધ રહી હતી. સતત બૉમ્બમારાના કારણે આ યુદ્ધ દરમિયાન અનેક શાળાઓ કોલેજો પણ પડી ભાંગી હતી. સમગ્ર વિશ્વની મહત્તમ ભાષામાં જેનો અનુવાદ થયો છે તે 'તોત્તોચાન'માં આવતી જાપાનની શાળા પણ બીજા વિશ્વયુદ્ધ દરમિયાન અમેરિકન બોમ્બમારાથી નાશ પામી હતી.
માત્ર વિશ્વ યુદ્ધ નહીં, પરંતુ 1929ની મહામંદી દરમિયાન પણ શાળાઓ બંધ રહી હતી. અમેરિકામાં આ મહામંદી દરમિયાન લગભગ 10 મિલિયન બાળકોને ભણાવતી 20,000 જેટલી શાળાઓ એ સમયે બંધ રાખવામાં આવી હતી.
કોરોના વાઈરસના ઉદ્ભવ સ્થાન તરીકે આપણે ચીનના વુહાન શહેરને ગણી રહ્યા છીએ. આજે સમગ્ર વિશ્વમાં જ્યારે કોરોના સંક્રમણના કેસો રોજે રોજ લાખોની સંખ્યામાં વધી રહ્યા છે, ત્યારે ચીન કોરોનાના સંક્રમણ પર નિયંત્રણ મેળવી ચૂક્યું છે. કોરોના વાયરસ સામેની લડાઈના અગત્યના પગલારૂપે ચીને પણ વુહાનમાં સૌથી પહેલાં શાળાઓ બંધ કરી હતી.
સમગ્ર વિશ્વના ભૂતકાળના અનુભવો અને વર્તમાનમાં પણ થઈ રહેલા અનુભવોથી વિપરીત આપણે શા માટે પરીક્ષા લેવા માટે ઉતાવળા છીએ? ફ્રાંસ, ચીન, ઈટલી, યુ. કે., સહિત અનેક દેશોએ કોરોના સંક્રમણની વચ્ચે જ શાળાઓ ખોલવાની ઉતાવળ કરી. પરંતુ સંક્રમણ વધતા ફરીથી શાળાઓ બંધ કરી દેવી પડી હતી. પરંતુ આપણા દેશમાં આ અનુભવોમાંથી શીખ લેવાના બદલે સપ્ટેમ્બર સુધીમાં અંતિમ વર્ષના વિદ્યાર્થીઓની પરીક્ષા પૂર્ણ કરવાનો આદેશ અપાયો છે.
પરીક્ષા લેવાની તો કોઈ જ સ્થિતિ જ નથી. અને પરીક્ષા લીધા બાદ પણ આગળના અભ્યાસ નિયમિત શરૂ થવાના હોય તેવી કોઈ સંભાવના પણ નજીકના ભવિષ્યમાં દેખાઈ નથી રહી. ના તો આ મહામારીના સમયમાં ડિગ્રી મેળવ્યા બાદ તરત કોઈ રોજગારીની તકો ઉભી થવાની છે, નાતો ઉચ્ચ અભ્યાસ માટે વિશ્વની જાણીતી ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓના દરવાજા ખુલવાના છેઆ સ્થિતિમાં પરીક્ષા લેવા પાછળ શું હેતુ હોઈ શકે?
અલબત્ત યુજીસીએ કહ્યું છે કે સંપૂર્ણ કાળજી અને તકેદારી સાથે પરીક્ષા લેવામાં આવશે. જો કે આપણી પાસે એ પ્રમાણેની માળખાકીય સુવિધાઓ જ નથી કે શારીરિક અંતરનું વર્ગખંડમાં પાલન થઈ શકે. ઉપરાંત અનેક હોસ્ટેલમાં કોવિડ કેર સેન્ટર ચાલી રહ્યા છેઅનેક હોસ્ટેલ બંધ છે. એવા સમયમાં અન્ય વિસ્તારોમાંથી ભણવા આવતા વિદ્યાર્થીઓની પરીક્ષા દરમિયાન રહેવાની વ્યવસ્થા ક્યાં કરવામાં આવશે? એટલું જ નહીં જે વિદ્યાર્થીના કુટુંબમાં કોઈ કોરોનાથી સંક્રમિત થયું છે અથવા તો કોરોના સંક્રમણથી મૃત્યુ પામેલ છે, તે વિદ્યાર્થીની માનસિક સ્થિતિ શું પરીક્ષા આપવા માટે સ્વસ્થ હોઈ શકે ખરી? આ એક પણ પ્રશ્નનો જવાબ પરીક્ષા લેવા માટે ઉતાવળા તંત્ર પાસે નથી. એક તરફ ઓનલાઇન શિક્ષણના નામે પૈસા ઉઘરાવવાનો જાણે કે ધંધો ચાલી રહ્યો છે, તો એ જ સમયેગૂગલ, રિલાયન્સ જીઓમાં કરોડો રૂપિયાનું રોકાણ કરીને 5G ટેકનોલોજી ભારતમાં લાવી રહ્યું છે. ફરજીયાત ઓનલાઇન શિક્ષણની પાછળ શું રિલાયન્સ જીઓને આ મહામારીના સમયમાં કરોડોની આવક કરી આપવાનો હેતુ તો નથી ને?
શિક્ષણનો હેતુ માત્ર કાગળ પર છપાતી એક ડિગ્રી તો નથી જ. વિશ્વભરના નિષ્ણાંતો, વૈજ્ઞાનિકો, WHO, સહિત તમામ ચેતવણી આપી રહ્યા છે કે કોરોનાનું સંક્રમણ હજુ ભયાનક સ્વરૂપ લેશે. એવા સમયમાં નિષ્ણાતો સાથે તેમજ શૈક્ષણિક ક્ષેત્ર સાથે સંકળાયેલા અધ્યાપકો, શિક્ષકો, વિદ્યાર્થીઓ કે વાલીઓ સાથે ચર્ચા કર્યા વગર જ પરીક્ષા લેવાની ઉતાવળ વિદ્યાર્થીઓના જીવનને જોખમમાં મૂકશે. કોરોના મહામારીને અવસરમાં બદલીને અનેક લોકવિરોધી નીતિઓ અમલમાં મુકાઈ ચૂકી છે. ઓનલાઇન શિક્ષણ પણ નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2019ની એક અગત્યની ભલામણ છે. ઓનલાઇન શિક્ષણથી વંચિતતા અનુભવતા અનેક વિદ્યાર્થીઓ આત્મહત્યા કરી ચુક્યા છે. એવા સમયમાં પરીક્ષા બીજા કેટલાય વિદ્યાર્થીઓના જીવનનો ભોગ લઈ શકે છે. MCQ ના નામે લેવાનારી ઓનલાઇન પરીક્ષાથી મૂળભૂત વિજ્ઞાન અને આર્ટ્સના વિદ્યાર્થીઓનું સાચું મૂલ્યાંકન પણ થઈ શકે નહીં. એટલે જ તો આ ઉતાવળ અતાર્કિક અને વાસ્તવિક પરિસ્થિતિથી વિપરીત છે. 'કોરોનાની મહામારી વચ્ચે પણ સ્થિતિ સહજ અને સાધારણ છે', એવું દર્શાવવા માંગતી તમામ સરકારોને એ કહેવાની જરૂર છે કે વિદ્યાર્થીઓની ડિગ્રી કરતા જિંદગી વધુ મૂલ્યવાન છે.
રિમ્મી વાઘેલા

આજથી ગ્રાહક તરીકે વધુ અધિકારો મળશે

આજથી ગ્રાહક તરીકે વધુ અધિકારો મળશે
Get more rights as a customer from today
आज से ग्राहक के तौर पर मिल रहे है ज्यादा अधिकार

14:01 20/07/2020:
= अब ऑनलाइन कारोबार में उपभोक्ताओं के हितों की अनदेखी कंपनियों पर भारी पड़ सकती है.

= उपभोक्ताओं को लुभाने के लिए भ्रामक विज्ञापन किए जाते हैं तो कंपनी के साथ-साथ प्रचार करने वाले सेलेब्रिटीज पर भी कार्रवाई की जाएगी.

= नए कानून में उपभोक्ता किसी भी सामान को खरीदने से पहले भी उस सामान की गुणवत्ता की शिकायत सीसीपीए में कर सकती है.

= कंज्यूमर प्रोटेक्शन एक्ट 2019 लागू हो जाने के बाद उपभोक्ता देश के किसी भी उपभोक्ता न्यायालयों में मामला दर्ज करा सकेगा.

= सिनेमा हॉल में खाने-पीने की वस्तुओं पर ज्यादा पैसे लेने वालों की अगर मिलती है शिकायत तो होगी कार्रवाई.

= कैरी बैग के पैसे वसूलना कानूनन गलत.

= उपभोक्ता विवाद निवारण आयोग (Consumer Disputes Redressal Commission) का गठन- इस आयोग का काम है कि अगर आपसे कोई अधिक मूल्य वसूलता है, आपके साथ अनुचित व्यवहार करता है, जीवन के लिए खतरनाक और दोषपूर्ण वस्तुओं और सेवाओं की बिक्री की जाती है तो इसकी शिकायत सीडीआरसी सुनेगी और फैसला सुनाएगी.

= केंद्रीय उपभोक्ता संरक्षण प्राधिकरण (CCPA) की स्थापना - इस प्राधिकरण के पास अधिकार होगा कि वह भ्रामक या झूठे विज्ञापन जैसे-लक्ष्मी धन वर्षा यंत्र बनाने  वालों और उनका प्रचार-प्रसार करने वालों पर जुर्माना लगाए. इस प्राधिकरण के पास अधिकार है कि 2 वर्ष से लेकर 5 साल तक की कैद की सजा सुनाने के साथ-साथ  50 लाख रुपये तक जुर्माना वसूलने का. इसका नेतृत्व महानिदेशक सीसीपीए करेंगे.

= PIL या जनहित याचिका अब कंज्यूमर फोरम में फाइल की जा सकेगी. पहले के कानून में ऐसा नहीं था.

= नए कानून में ऑनलाइन और टेलीशॉपिग कंपनियों को पहली बार शामिल किया गया है.

= खाने-पीने की चीजों में मिलावट तो कंपनियों पर जुर्माना और जेल का प्रावधान.

= कंज्यूमर मीडिएशन सेल का गठन. दोनों पक्ष आपसी सहमति से मीडिएशन सेल जा सकेंगे.

= कंज्यूमर फोरम में एक करोड़ रुपये तक के केस

= स्टेट कंज्यूमर डिस्प्यूट रिड्रेसल कमीशन में एक करोड़ से दस करोड़ रुपये


= नेशनल कंज्यूमर डिस्प्यूट रिड्रेसल कमीशन में दस करोड़ रुपये से ऊपर केसों की सुनवाई.

શારિરીક ક્ષતિ ધરાવતા (અપંગો) દિવ્યાંગો માટે વિનામુલ્યે ITI તાલીમ

13:22 20/07/2020: By Shailesh Bhatt: M. No. 98254 84121
ડિસેબલ વેલફેર ટ્રસ્ટ ઓફ ઈન્ડિયા સંચાલિત આઇ.ટી.આઇ. ફોર ડિસેબલ્ડ (જી.આઇ.એ.-૮૨૫, રોજગાર અને તાલીમ વિભાગ, ગુજરાત સરકાર, ગાંધીનગર માન્ય), શ્રી સાઈ સમર્થ રેસિડન્સી ની બાજુમાં,  શારદયતાન સ્કૂલ ની પાછળ,  લેકવ્યું ગાર્ડન સામે,  ઉમરા,  સુરત -૩૯૫૦૦૭.  http://www.disableindia.org   મોબાઈલ : ૦૯૯૯૮૯૬૩૧૪૨ ખાતે દિવ્યાંગો (અપંગો) માટે વિનામુલ્યે ડી.ટી.પી. (કોમ્પ્યુટર) નો ટ્રેડ ચાલે છે. જેમાં શારિરીક ક્ષતિ ધરાવતા (અપંગો) દિવ્યાંગોને વિનામુલ્યે તાલીમ અને તાલીમને લગતી તમામ સામગ્રી તેમજ રહેવા જમવા સાથેની સુવિધા સાથેની અધ્યતન હોસ્ટેલની પણ સુવિધા આપવામાં છે. હાલમાં https://itiadmission.gujarat.gov.in પર વિનામુલ્યે ઓનલાઇન એડ્મિશન ફોર્મ ભરવા માટે વિકલાંગોએ તાત્કાલિક ઉપરના સ્થળે સવારે ૧૦ થી બપોરે ૩ કલાક દરમિયાન તમામ જરૂરી ઓરિજનલ પ્રમાણ પત્રો (દિવ્યાંગનું સિવિલ સર્જન નું પ્રમાણપત્ર, શાળા છોડયાનું પ્રમાણપત્ર (L.C.), ધો. 8,9,10 પાસ નું રીજલ્ટ, પ્રથમ પ્રયાસનું પ્રમાણપત્ર(10 પાસ માટે), જાતિનો દાખલો (મામલતદાર/TDO), આવકનો દાખલો (મામલતદાર/TDO), આધારકાર્ડ, બેન્ક પાસબૂક, પાસપોર્ટ સાઈજ નો ફોટો) અને તેની નકલ સાથે સંપર્ક કરવા જણાવવામાં આવે છે. તાલીમ બાદ આ તાલીમાર્થીઓને નોકરી તેમજ સ્વરોજગારી અપાવવામાં પણ સંસ્થા દ્વારા મદદ કરવામાં આવે છે. તેમજ સંસ્થામાથી વિકલાંગોને વિનામુલ્યે ઓપરેશન કરીને ચાલતા કરવાનો પ્રયાસ કરવામાં આવે છે. તેમજ વ્હીલચેર, ટ્રાયસિકલ, ઘોડી, કેલિપર્સ, વોકર જેવી સાધન સહાય વિનામુલ્યે આપવામાં આવે છે. તેમજ તાલીમ દરમિયાન તાલીમાર્થીઓને ભારત દેશમાં શૈક્ષણિક પ્રવાસ પણ વિનામુલ્યે લઈ જવામાં આવે છે.

આ બનાવોને આકસ્‍મિક સંયોગો કહિશું કે વિધિના વિચિત્ર ખેલ ?

12:20 20/07/2020:
દુનિયા અવનવા અચરજોથી ભરેલી છે. કેટલીક ઘટનાઓ એવી હોય છે જેના પર આપણને વિશ્વાસ બેસવો મુશ્‍કેલ થઈ જાય. કેટલાક સંયોગો એવા ગોઠવાઈ જાય જેમને સંયોગો માનવા અઘરા બની જાય. કોઈ લેખકની કલ્‍પના વાસ્‍તવિક હકીકત બની જાય એવું બને ખરૂં ? ઘટના સાથે સંકળાયેલ વ્‍યક્‍તિઓના નામ, સ્‍થળ, ઘટનાનો પ્રકાર બઘું જ સરખું આવે એવું બને ત્‍યારે શું સમજવું ? 'બ્લેક એબ્ડક્‍ટર' નામની એક નવલકથા આવી અવિશ્વસનીય સાંયોગિક ઘટનાઓનો એક જોરદાર પુરાવો છે.

ચાલો, આ નવલકથા અને તેને મળતી આવતી સત્‍ય ઘટનાનું થોડું વિહંગાવલોકન કરીએ. ઈ.સ. 1972માં રિજેન્‍સી પ્રેસે એક નવલકથાનું પ્રકાશન કર્યું. નવલકથાનું નામ છે - બ્લેક એબ્ડક્‍ટર (Black Abductor). નવલકથાના લેખકનું નામ છે જેક્‍સ રસ્‍ક જૂનિયર. આમ તો લેખકનું અસલ નામ છે હેરિસન જેમ્‍સ. પણ તે હંમેશા પુસ્‍તક લેખન કરે છે ત્‍યારે ઉપર્યુક્‍ત નામ જેમ્‍સ રસ્‍ક જૂનિયર નામનો ઉપયોગ કરે છે. નવલકથામાં આતંકવાદીઓ દ્વારા એક સુવિખ્‍યાત શ્રીમંત વ્‍યક્‍તિની છોકરીના અપહરણની વાર્તાનું વર્ણન હતું. આતંકવાદી ગ્રુપ એક કાળા હબસી નેતા દ્વારા સંચાલિત થાય છે. આ નીગ્રો નેતા કૉલેજ કેમ્‍પસમાં પોતાના બૉયફ્રેન્‍ડ સાથે રમત રમી રહેલી પેટ્રીસિયા નામની છોકરીનું અપહરણ કરી લે છે અને તેનો બૉયફ્રેન્‍ડ તેનો વિરોધ કરે છે ત્‍યારે તેને સખત મારા મારી ગંભીર રીતે ઘાયલ કરી દે છે. આતંકવાદી નીગ્રો પેટ્રીસિયાનો તત્‍કાલીન પરાધીન દશાનો પોલેરોઈડ કેમેરાથી લીધેલો ફોટો તેના પિતાને મોકલાવે છે. તેના પિતા પાસેથી મોટી ધનરાશિ માંગે છે. તે અપહરણના પ્રસંગને 'પ્રથમ રાજનૈતિક અપહરણ' તરીકે ઓળખાવામાં આવે છે. ઘટનાનો અંત પોલિસ દ્વારા આતંકવાદીઓનો ઘેરાવ કરીને અશ્રુવાયુ છોડીને તેમને મારી નાંખે છે ત્‍યાં આવે છે.

'બ્લેક એબ્ડક્‍ટર' નવલકથાના પ્રકાશનના એક મહિના પછી જ દક્ષિણપંથી રેન્‍ડોલ્‍ફ હર્સ્‍ટ નામના એક પ્રસિઘ્‍ધ ધનવાન વ્‍યક્‍તિની પેટ્રીસિયા હર્સ્‍ટ નામની છોકરીનું કૉલેજ કેમ્‍પસથી ઈ.સ. 1974માં સિમ્‍બિઓનીઝ લિબરેશન આર્મીના સભ્‍યોએ અપહરણ કર્યું. આ આર્મીનો નેતા એક કાળા રંગનો નીગ્રો જ હતો. પેટ્રીસિયાના બૉયફ્રેન્‍ડ સ્‍ટીવન વીડે એનો વિરોધ કર્યો તો તેણે એને સખત માર મારી ગંભીર રીતે ઘાયલ કરી દીધો. એફ.બી.આઈ.એ. સ્‍ટીવન વીડ અને નવલકથાકાર જેમ્‍સ રસ્‍ક જૂનિયરને સાક્ષીરૂપે પોતાની સાથે રાખ્‍યા કેમ કે જેમ્‍સની નવલકથા બધાએ વાંચેલી હતી. જેમ્‍સની નવલકથા ભવિષ્‍યવાણી રૂપે બધાની આગળ પ્રગટ થઈ. તે હવે આગળ શું કરવું તેના માટે માર્ગદર્શિકા - નિદર્શિકા પણ બની. તેમાં ઘટનાઓ આકાર લે છે તે પ્રમાણે જ આગળ વધવાનું નક્કી કરવામાં આવ્‍યું. તે જ રીતે તે જ સ્‍થળે પોલિસે આતંકવાદીઓને ઘેરી લેવાની યોજના બનાવી. પહેલાં અશ્રુવાયુ છોડીને તેમને છૂટા પાડયા, નિષ્‍ક્રિય કર્યા. પછી પોલિસ સાથેની ઝપાઝપીમાં તે પોલિસના હાથે માર્યા ગયા.

ટાઈટેનિક જહાજની દુર્ઘટના વિશે આપણે સૌ જાણકાર છીએ જ. 14 એપ્રિલ 1912ના રોજ 'ધ આર.એમ.એસ. ટાઈટેનિક' નામનું આ ઉતારૂ જહાજ સાઉથેમ્‍પટનથી ન્‍યૂયોર્ક જઈ રહ્યું હતું ત્‍યારે ઉત્તર એટલાન્‍ટિક ન્‍યૂ ફાઉન્‍ડલેન્‍ડની અગ્‍નિ દિશામાં રાત્રે 11.40ની આસપાસના સમયે એક હિમશિલાને અથડાઈને તૂટી ગયું. જહાજમાં મુસાફરી કરી રહેલા 2207 લોકોમાંથી માત્ર 705 જ જીવતા રહ્યા. આ ઘટનાની જાણ તો મોટાભાગના લોકોને છે. પણ એક આશ્ચર્યની વાત એ છે કે આ ઘટના લગભગ એ રીતે જ બની જે રીતે મોર્ગન રોબર્ટ્‍સન નામના લેખકે તેમની નવલકથા 'ધ ફ્‌યુટિલિટી'માં આલેખી હતી ! 'ધ ફ્‌યુટિલિટી' નવલકથા ઈ.સ. 1898માં લખાઈ હતી અને પ્રકાશિત થઈ હતી. તેમાં મોર્ગન રોબર્ટસને વર્ણન કર્યું હતું કે 'એસ.એસ. ટાઈટન' નામનું એક ઉતારૂં દરિયાઈ જહાજ સાઉથેમ્‍પટનથી નીકળી એટલાન્‍ટિક મહાસાગરને પાર કરી રહ્યું હતું ત્‍યારે એક હિમશિલાને અથડાઈ તૂટી જાય છે અને તેમાં મુસાફરી કરી રહેલા બાવીસસોથી પણ વઘુ મુસાફરોમાંથી બહુ થોડા બચી જાય છે ! મોર્ગન રોબર્ટસનની નવલકથામાં વર્ણન કરાઈ છે તેવી જ ઘટના 14 વર્ષ પછી બની. જહાજનું નામ, જહાજ નીકળ્‍યું તે સ્‍થળ, તે જ્‍યાં જવાનું હતું તે સ્‍થળ, તેને અકસ્‍માત થયો તે સ્‍થળ, અકસ્‍માતનો સમય, મુસાફરી કરી રહેલ મુસાફરોની સંખ્‍યા, ડૂબી જનારા મુસાફરો અને બચી જનારા મુસાફરોની સંખ્‍યા - આવી અનેક બાબતો વચ્‍ચે ગજબનાક સામ્‍ય હોય તેને શું ગણવું ? શું આને કેવળ આકસ્‍મિક સંયોગ જ કહેવાય ? સંયોગથી આટલું સામ્‍ય ગોઠવાઈ શકે ? લેખકના અચેતન મને ભાવિ દુર્ઘટનાનો સંકેત પકડી લીધો હશે અને એની પ્રેરણાથી પ્રભાવિત થઈ આ બઘું આલેખન કર્યું હોય એમ માનવા વિવશ થવું પડે તેમ છે.

14 એપ્રિલ 1935ના રોજ રાત્રે લગભગ 11-40ના સમયે ટાઈનેસાઈડથી કેનેડા જતી 'ધ ટાઈટેનિયન' નામની એક ટ્રેમ્‍પ સ્‍ટીમર પર બેઠેલા વિલિયમ રીવ્‍સ નામના એક ખારવાને અંતઃ સ્‍ફૂરણા થઈ કે બધા સંજોગો પેલી ટાઈટેનિક 'જહાજની દુર્ઘટનાને મળતા આવે છે એટલે કદાચ તેના જહાજને પણ અકસ્‍માત થઈ શકે. તેણે તત્‍ક્ષણ જહાજ અટકાવી દીઘું તો જોવા મળ્‍યું કે ખરેખર તે એક તરતી હિમશિલાને અથડાવાની તૈયારીમાં જ હતું ! એક મિનિટ મોડું થયું હોત તો તે અથડાઈ જાત !!'

કેટલીકવાર સંયોગો સંયોગો નહિ પણ કોઈ અકળ વિધિનું નિર્માણ લાગે છે. આવી એક ઘટના ઓગણીસમી સદીના ઉત્તરાર્ધમાં બની હતી. ઈ.સ. 1870ની પાંચમી નવેમ્‍બરે ન્‍યૂઝિલેન્‍ડના ગ્રેમાઉથ બંદર પર 'વલ્‍લવી' નામનું દરિયાઈ જહાજ સમુદ્રના ભયંકર તોફાનમાં સપડાયું. બચાવની સઘન કામગીરી કરવા છતાં તેને બચાવી ન શકાયું. તેણે જળસમાધિ લઈ લીધી. એ વાતને વર્ષો વીત્‍યા. જહાજને બહાર કાઢવા માટેનું એક અભિયાન ચાલુ થયું. તેમાં સફળતા મળી. જ્‍હાજને બહાર કઢાયા બાદ તેના તૂટેલા અને બગડેલા ભાગોનું સમારકામ કરાયું. તે જહાજ બધી રીતે ઠીકઠાક થઈ ગયું એટલે એને ફરીથી ઉપયોગમાં લેવાનું ચાલુ કરાયું. ઘણા વર્ષો સુધી તે સરસ રીતે કામ આપતું રહ્યું. પણ પછી સોળ વર્ષો બાદ અચાનક એ જહાજ ન્‍યૂઝિલેન્‍ડના ગ્રેમાઉથ બંદર પર ત્‍યાં જ દરિયાઈ તોફાનમાં સપડાયું અને ફરીથી ત્‍યાં જ ડૂબી ગયું ! આને શું સમજવું ? અકલ્‍પ્‍ય સંજોગો કે વિધિની વક્રતા ?

ચાલો, હવે આપણે એક બીજા સંયોગોની વાત કરીએ. ઈ.સ. 1664ની પાંચમી ડિસેમ્‍બરના રોજ મિનાઈ જલડમરૂ વચ્‍ચે એક મુસાફર ઉતારૂ જ્‍હાજના ડૂબવાથી તેમાં મુસાફરી કરી રહેલા 81 મુસાફરોમાંથી 80 મુસાફરો ડૂબી ગયા. માત્ર એક જ મુસાફર બચ્‍યો. એ મુસાફરનું નામહતું હ્યુ વિલિયમ્‍સ. પાંચમી ડિસેમ્‍બર 1785ના રોજ એક મુસાફર ઉતારૂ જ્‍હાજ ડૂબી ગયું. એ જ્‍હાજમાં 60 મુસાફરો યાત્રા કરી રહ્યા હતા. તેમાંથી 59 મુસાફરો ડૂબી ગયા અને માત્ર એક જ મુસાફર બચ્‍યો. એનું નામ શું હતું એ જાણવું છે ? તો જાણી લો કે તેનું મામ હતું હ્યુ વિલિયમ્‍સ ! તે પછી પાંચમી ડિસેમ્‍બર 1860ના રોજ એક યાત્રીઓને લઈ જતું જ્‍હાજ ડૂબી ગયું. તેમાં 25 યાત્રીઓ મુસાફરી કરી રહ્યા હતા. એ 25 માંથી 24 યાત્રીઓ ડૂબી ગયા. માત્ર એક જ યાત્રી જીવતો રહ્યો. એ યાત્રીનું નામ કહેવાની જરૂર ખરી ? આમ તો લાગતી નથી. છતાં કુદરતની કમાલ કે નામ - રાશિ - તિથિના કોઈ અકળ, અદ્‌ભુત સુમેળને લીધે બન્‍યું હોય તેમ તેનું નામ પણ હતું - હ્યુ વિલિયમ્‍સ.

ચાલો, સંયોગની એક બીજી દાસ્‍તાનની વાત કરીએ. કેપ્‍ટન બ્રિસ્‍કો તેના જહાજ 'ગ્રેસ હાર્વર' દ્વારા પૂર્વ આફ્રિકાની ડિલાગીઆ ખાડીમાંથી ગિસબોર્ન, ન્‍યૂઝિલેન્‍ડ જઈ રહ્યા હતા. રસ્‍તામાં તેમને કોઈ તકલીફ તો ન પડી પણ 25 ડિસેમ્‍બર 1900ના રોજ તકલીફ આવી. કેપ્‍ટન જહાજ પર બેઠેલા હતા ત્‍યાં જ એક જોરદાર દરિયાઈ મોજું આવ્‍યું અને કેપ્‍ટનને ઉઠાવી જહાજથી માઈલો દૂર ખેંચી ગયું. કેપ્‍ટનના પ્રાણસંકટમાં મૂકાઈ ગયા. તેમણે જોયું કે આસપાસમાં કોઈ જ્‍હાજ નથી જે એમનેબચાવી શકે. એમના બચવાનો કોઈ આરો કે ઓવારો દેખાતો નથી.

તેમણે ઈશ્વરનું સ્‍મરણ કરવા માંડયું. જો કે હવે બચાવી શકે તેમ હોય તો તે ઈશ્વર જ છે. આ સંજોગોમાં ઈશ્વર કેવી રીતે બચાવશે તેવો અવિશ્વાસ મનમાં ન રાખ્‍યો. બીજી જ પળે એક આશ્ચર્ય સર્જાયું. એક જબરદસ્‍ત જોરદાર મોજું વિરૂદ્ધ દિશામાંથી આવ્‍યું. તેણે કેપ્‍ટનને ઉઠાવ્‍યા અને થોડી મિનિટમાં જ તેમને તેમના જ્‍હાજના ડેક પર પાછા મૂકીને ચાલ્‍યું ગયું ! આને ઈશ્વરની કૃપા ન કહેવાય તો બીજું શું કહેવાય ? જહાજનું નામ પણ હતું - ગ્રેસ હાર્વર. ગ્રેસ એટલે કૃપા. કેપ્‍ટનને લાગ્‍યું તેમની પ્રભુ પ્રાર્થના ફળીભૂત થઈ. ભલે બહારથી દરિયાઈ મોજું હતું પણ તેમને લાગ્‍યું કે એ ભગવાનનો હાથ હતો જેણે તેમને ઉઠાવીને જહાજ પર પાછા મૂકી દીધા. એક લહેરે તેમને મૃત્‍યુના મુખમાં ધકેલી દીધા તો બીજી લહેરે તેમને મૃત્‍યુના મુખમાંથી બહાર કાઢી સુરક્ષિત સ્‍થાને પાછા હતા ત્‍યાં મૂકી દીધા ! સમુદ્રી તોફાનને કારણે જ્‍હાજને થોડું નુકસાન તો થયું હતું પણ બીજો કોઈ વાંધો ન આવ્‍યો. થોડા સમય બાદ તેમને અને જ્‍હાજને મદદ મળતાં બચાવી લેવામાં આવ્‍યા. આ સત્‍ય ઘટનાનો વિચાર કરીએ ત્‍યારે આપણને આપણી ગુજરાતી કહેવત યાદ આવી જાય - 'રામ રાખે તેને કોણ ચાખે ?'

Wilful Defaulters List

11:58 20/07/2020
All India Bank Employees Association Declare Willful Defaulters


19th July: 51st Anniversary of Bank Nationalisation (19th July 1969)