Friday, October 9, 2009

2010ની સાલમાં ભારતના રાષ્ટ્રીય પ્રાણી વાઘ સામે ચીની ડ્રેગનનો ખતરો

By ENN,
અમદાવાદ,
ચીની જ્યોતિષ અનુસાર ચીનમાં દરેક વર્ષને પશુપક્ષીનાં નામ સાથે જોડવામાં આવે છે. ચાલુ વર્ષ 2009 ચીનમાં ઉંદરના વર્ષ તરીકે ઓળખાય છે. હવે આવનાર 2010ની સાલ વાઘના વર્ષ તરીકે ઓળખાશે. ચીનમાં એવી માન્યતા છે કે, જે તે વર્ષના પશુપક્ષીના અંગો રાખવાથી લાભ થાય છે. સામાન્ય સંજોગોમાં પણ ભારતમાંથી શિકારીઓ દ્વારા વાઘનો શિકાર કરી તેને ચીનમાં મોકલવામાં આવે છે. આ માટે ચીન ભારતના શિકારીઓને મોં માગ્યા રૂપિયા ચુકવે છે. ચીનમાં એવી માન્યતા છે કે, વાઘનું માસ ખાવાથી માણસના શરીરમાં ગજબની તાકાત ચપળતા અને તેજી આવે છે. જ્યારે વાઘના હાડકામાંથી વાઈન બનાવવામાં આવે છે. જેના લોકો મોં માગ્યા રૂપિયા ચૂકવે છે. જ્યારે વાઘનું ચામડું ચીનમાં લોકો ડ્રોઈંગ રૂમમાં રાખે છે.

આવનાર 2010ની સાલ ચીની જ્યોતિષ પ્રમાણે વાઘનું વર્ષ હોવાથી અને વાઘનાં અંગો સાથે અથવા ઘરમાં રાખવાથી ફાયદો તથા લાભ થતો હોવાથી માન્યતાથી ભારતમાંથી વાઘના અસંખ્ય શિકાર શિકારીઓ દ્વારા થવાની સંભાવના છે. તે આ અંગે કેન્દ્ર સરકાર તથા જે તે રાજ્ય સરકારે અત્યારથી જ ચેતી જવાની જરૂર છે. અને ભારતમાં ખાસ આન્ધ્રપ્રદેશ, બિહાર જેવા નકસલી રાજ્યો છે ત્યાં વાઘના શિકાર રોકવાની ખાસ જરૂર છે. આના માટે રેન્જ ફોરેસ્ટ ઓફિસર તથા તમામ જંગલના સુરક્ષાગાર્ડને વાઘની સુરક્ષા માટે આધુનિક હથિયારથી સજ્જ રહેવાની જરૂર છે.

ચાલુ વર્ષે ઓગસ્ટ 2009 સુધીમાં કુલ 66 વાઘના મૃત્યુ થયા છે. જેમાં 23 વાઘ શિકારીઓના શિકારનો ભોગ બન્યા છે. જ્યારે 43 વાઘ કુદરતી રીતે મૃત્યુ પામ્યા છે. અને હાલમાં કુલ 1300 વાઘ જ ભારતના 37 વાઘ રિર્ઝવમાં બચ્યા છે. હવે જાગીશું નહીં તો આવનાર વર્ષમાં આ આકડામાં હજુ ઘટાડો થવાની સંભાવના છે. અને આ શાનદાર પ્રાણી પુસ્તકમાં જ જોવા મળશે. (તુષાર. ડી. શાહ)

No comments:

Post a Comment