Monday, October 12, 2009

વિશ્વના ખૂણે ખૂણે વસેલા ગુજરાતીઓ સાથેનો નાતો વધુ ગાઢ અને જીવંત બનાવાશે-જયનારાયણ વ્યાસ

By ENN,
અમદાવાદ,
આરોગ્ય મંત્રી જયનારાયણભાઈ વ્યાસે અમદાવાદમાં દેશની અગ્રણી બેંકોના ગુજરાતના અગ્રણીઓ સાથે યોજેલી બેઠકમાં જણાવ્યું હતું કે, વિશ્વના ખૂણે ખૂણે ગુજરાતીઓ વસે છે અને પોતાના આત્મબળે વિવિધ ક્ષેત્રે ખૂબ જ પ્રતિષ્ઠા અને સમૃધ્ધિ પ્રાપ્ત કરી છે એટલું જ નહિ તેઓ ગુજરાત માટે યોગદાન આપવા હંમેશા તત્પર હોય છે આવા અનેક બિન નિવાસી ગુજરાતીઓ-ભારતીયોએ ગુજરાતમાં વિવિધ ક્ષેત્રે પોતાની વિશિષ્ટ પ્રતિભાનો લાભ અને નાણાંકીય મદદ કરી છે. ત્યારે બિન નિવાસી ગુજરાતી-ભારતીય પ્રતિભાઓનું બહુમાન કરવા અને તેમની પ્રતિભાનો લાભ ગુજરાતને વધુમાં વધુ મળે તે માટે ગુજરાત સરકાર ખૂબ જ આતુર છે અને આ દિશામાં રાજ્યના બિન નિવાસી ગુજરાતી પ્રતિષ્ઠા દ્વારા ફળદાયી પ્રવાસો કરવામાં આવી રહ્યા છે. ગુજરાત બિન નિવાસી ભારતીયો સાથેનો નાતો વધુ ગાઢ અને જીવંત રાખવા માંગે છે. તેમાં બેંકો મહત્વપૂર્ણ યોગદાન આપી શકે તેમ છે.

પ્રવાસન ક્ષેત્રે 14 ટ્રીલીયન યુ.એસ.ડોલરના ધંધાની સંભાવનાનો ઉલ્લેખ કરી આરોગ્ય મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં હેલ્થકેર ટુરીઝમ ટુરીઝમ અને યાત્રાધામ પ્રવાસન ક્ષેત્રે વિકાસની વિપુલ શક્યતા રહેલી છે અને આ ક્ષેત્રે ગુજરાત આવતા દિવસોમાં દેશના શ્રેષ્ઠ સ્થળ તરીકે પ્રસ્થાપિત થશે. આરોગ્ય મંત્રી શ્રીએ ગુજરાતે આરોગ્ય ક્ષેત્રે સાધેલી અનેક વિધ સિધ્ધીઓની વિગતો પણ બેંક અગ્રણીઓ સમક્ષ રજૂ કરી હતી.
આરોગ્ય મંત્રીશ્રીએ બિન નિવાસી ગુજરાતી-ભારતીયોનો ગુજરાત સાથેનો નાતો વધુ ગાઢ જીવંત બનાવવા અને તેમની ક્ષમતાનો લાભ ગુજરાતને વધુને વધુ કેવી રીતે પ્રાપ્ત થાય તે માટે બેંકોનો મહત્તમ સહયોગ મેળવવા અંગે સૂચનો મેળવી સહભાગી બનાવ વિમંતી કરી હતી. દેશની જાહેર ક્ષેત્ર અને ખાનગી ક્ષેત્રની બેંકોના અગ્રણીઓએ આ પ્રસંગે ઉપસ્થિત રહી પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, બેંક ઓફ બરોડા, બેંક ઓફ ઇન્ડિયા, કોપોરેશન બેંક, એકસીઝ બેંક, આઈ.સી.આઈસી.આઈ. બેંક, એચ.ડી.એફ.સી. બેંક, કોટક મહેન્દ્રા, આઈ.ડી.બી.આઈ., ફેડરલ બેંક સહિતની તમામ અગ્રણી બેંકોના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.

No comments:

Post a Comment