Monday, October 12, 2009

દિવાળીમાં લક્ષ્મી તેમજ સમૃદ્ધિ પ્રાપ્તિ માટે વિશેષ ઉપાય

By ENN,
દિવાળીના દિવસે લક્ષ્મી તેમજ સમૃદ્ધિ મેળવવા માટે નીચે લખેલ વિશેષ ઉપાય કરી શકાય છે.
પ્રચૂર માત્રામાં ધનાગમન હેતુઃ દિવાળીથી પહેલાં ધનતેરસના દિવસે લાલ વસ્ત્ર પર ધાતુથી બનેલ કુબેર તેમજ લક્ષ્મી યંત્રને પ્રતિષ્ઠિત કરીને તેની લાલ ફૂલ, અષ્ટગંધ, દાડમ, કમળગઠ્ઠા, કમળના ફૂલ, સિંદૂર, વગેરેથી પૂજા કરવી જોઈએ, પછી કમળગઠ્ઠાની માળા પર કુબેરના મંત્રનો જપ કરવો તથા માળાને ગળામાં ધારણ કરી લેવી.

મંત્રઃ દિવાળીના ક્ષાય કુબેરાય વૈશ્વવણાય ધનધાન્યાધિપતે, ધન-ધાન્ય સમૃદ્ધિમ્ મે દેહિ દાપય સ્વાહા.

ધન સંગ્રહ હેતુઃ દિવસે સવારે સ્નાનાદિ કરીને મા ભગવતીના શ્રી સુક્તના પાઠ કરવા. લક્ષ્મીજીની મૂર્તિને લાલ દાડમના દાણાનો ભોગ ધરાવવો, અને આરતી કરવી. ઘરની ઉતર દિશાની તરફથી પ્રસ્થાન કરીને બિલીનો છોડ ઘરમાં લાવવો અને તેને લક્ષ્મી સુક્ત વાંચતા વાંચતા ઘરની ઉતર દિશામાં કોઈ જમીનમાં લગાવવો, પછી દરરોજ સાંજે ત્યાં શુદ્ધ દેશી ઘીનો દીવો પ્રગટાવવો.

કર્જ મુક્તિ માટેઃ જમણી સૂંઢના ગણેશજીની ઉપાસના કરવી, તથા ગજેન્દ્ર મોક્ષ સ્ત્રોતનો પાઠ કરવો. જમણી સૂંઢના ગણપતિની મૂર્તિની સાથે ગણપતિ યંત્રને પણ સ્થાપિત કરો. આ યંત્રને જમણી તરફ કુબેર યંત્ર સ્થાપિત કરવું જોઈએ. જપ પછી હવન, તર્પણ, માર્જન વગેરે કરવું જરૂરી છે.

વ્યાપારમાં ધનવૃદ્ધિ માટેઃ શાલિગ્રામને સફેદ કમળ તેમજ લક્ષ્મી યંત્રને લાલ કમળના ફૂલ પર સ્થાપિત કરીને પુરુષ સુક્ત તથા લક્ષ્મી સુક્તને સંપુષ્તિ કરીને પાઠ કરવો.

મંત્રઃ ક્ષુત્પિપાસામલાં જયેષ્ઠા લક્ષ્મીં નાશયામ્યહમ્।
અભૂતિમ સમૃદ્ધિં ચ સર્વાં નિર્ણુદ મે ગૃહાત્।।

નીચે લખેલા કોઈ એક મંત્રનો જપ કમળગઠ્ઠા, સ્ફટિક કે લાલ ચંદનની માળા પર કરવો શ્રેષ્ઠ છે. દરરોજ 1 માળા જપ ''લક્ષ્મી દોષ'' ને હંમેશાં માટે દૂર કરવા માટે સક્ષમ છે.

1. શ્રીં હ્રીં શ્રીં મહાલક્ષ્મ્યૈ નમઃ
2. શ્રી શ્રી લલિતા મહાત્રિપુરસુન્દર્યૈ શ્રી મહાલક્ષ્મ્યૈ નમઃ
3. શ્રીં હ્રીં શ્રીં કમલે કમલાલયે પ્રસીદ પ્રસીદ શ્રીં હીં શ્રીં H મહાલક્ષ્મ્યૈ નમઃ
4. મહાલક્ષ્મ્યૈ ચ વિધીહે વિષ્ણુ પત્ન્યૈ ચ ધીમહિ તન્તો લક્ષ્મી પ્રચોદયાત્
5. યા દેવી સર્વભૂતેષુ લક્ષ્મીરૂપેણ સંસ્થિતા ।
નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમોનમઃ ।।

No comments:

Post a Comment