Friday, May 14, 2010

કોર્પોરેશન પાસે આગ બુઝાવવા
આધુનિક સાધનો જ નથી!

  • શહેરના તમામ જીઆઇડીસી વિસ્તાર હાઇરિસ્ક ઝોનમાં
  • જીઆઇડીસી વિસ્તારના એક પણ ફાયર સ્ટેશનમાં ફાયર ઓફિસર પણ નથીઃ વટવા ફાયર સ્ટેશનમાં 30 ક્વાર્ટર્સના બદલે ફક્ત પાંચ ક્વાર્ટર્સ

અમદાવાદ, શહેરના વટવા, નરોડા, નારોલ-પીપલજ, ઓઢવ જેવા ઔદ્યોગિક વિસ્તારમાંથી ફાયર સેફટીને લગતી લેશમાત્ર સુવિધા ન હોવાથી આ વિસ્તારના હજારો કારીગરો અને આસપાસના રહેણાક વિસ્તારો સતત હાઇરિસ્ક ઝોનમાં આવે છે. વટવાની કેમિકલ ફેક્ટરીમાં પ્રેશર વ્હિકલ ફાટતાં થયેલા પ્રચંડ વિસ્ફોટ જેવા ધડાકા ગમે ત્યારે થઇ શકે છે.

વટવાની આર કે ઇન્ડસ્ટ્રીઝ નામની કેમિકલ ફેક્ટરીમાં થયેલા ભયંકર વિસ્ફોટમાં રવિવારની બપોરે એક કર્મચારીનું મોત થયું અને 13 કર્મચારીઓ ઇજાગ્રસ્ત થતા સમગ્ર વિસ્તામાં દહેશત ફેલાઇ હતી. પ્રેશર વ્હિસલનો કાટમાળ 400 મીટર દૂર ફંગોળાતા આસપાસની ફેક્ટરીઓ અને ઘરોની છતને નુકસાન થયું હતું. અલબત્ત, જીઆઇડીસી વિસ્તારમાં આ પ્રકારની વિનાશક ઘટનાઓ વારંવાર સર્જાઇ શકે છે.

મ્યુનિ. સૂત્રો કહે છે, શહેરના એક પણ જીઆઇડીસી વિસ્તારમાં આકસ્મિક દુઘર્ટનાઓનો સુનિયોજિત ઢંગથી સામનો કરી શકાય તેવાં ફાયરના સાધનો જ નથી. વટવાની જીઆઇડીસી માટે જશોદાનગર ચોકડી પાસે બનાવાયેલું ફાયર સ્ટશનમાં આ જીઆઇડીસીના સેંકડો ઉદ્યોગોની સુરક્ષા સલામતી સારી રીતે નિભાવી શકે તેવી વ્યવસ્થા જ નથી. જેને કારણે ગરમીના માહોલમાં ફરીથી આવા વિસ્ફોટ વખતે મોટા પ્રમાણમાં જાનમાલની ખુવારી થવાની પૂરેપૂરી શક્યતા છે.

No comments:

Post a Comment