Friday, May 14, 2010

ટેલીફોન ઉપર મંત્રો બોલીને
દર્દ મટાડતા વસંત શાહ

આંખ, નાક, કાન, ગળુ, માંથુ, કમર, પેટ તથા સાંધાના દર્દીઓને ચમત્કારીક રાહતો થઇ હોવાનો દાવો

આજના વિજ્ઞાન અને ટેક્નોલોજીના યુગમાં માનવીનું જીવન અનેક સુવિધાઓથી સંપન્ન થયું છે. ટેક્નોલોજીની મદદથી તબીબી જગતમાં પણ મોટી ક્રાંતિ આવી છે. ટેક્નોલોજીના સહારે તબીબોએ મૃત્યુના મુખ સુધી પહોંચી ગયેલા વ્યક્તિનો બચાવી લીધા હોવાના ઘણા કિસ્સા છે. આટલી બધી પ્રગતિ થઇ હોવા છતાં માંદગીના સમયમાં દેવી-દેવતાઓમાં શ્રદ્ધા મુકી બાધા રાખનારો પણ મોટો વર્ગ છે. વાત માનવામાં નહીં આવે, પણ વરાછા વિસ્તારના વસંત કાંતિલાલ શાહ ફોન પર મંત્ર બોલી આંખ, નાક, કાન, ગળુ, માંથુ, હાથ-પગ, પેટ, કમર અને શરીરના જુદા જુદા અવયવમાં દુઃખાવો મટાડી દેતા હોવાનો દાવો કરે છે. તેમની સાથે વાત થયા બાદ 70 થી 80 ટકા રાહત અનુભવતા હોવાનું તેમનું કહેવું છે. જેના બદલામાં તેઓ કોઇ દામ-દક્ષિણા નથી. ફક્ત ગાયને ઘાસચારો ખવડાવી દેવાનું કહે છે. ખેડા જિલ્લાના ખંભાત તાલુકામાં આવેલા વટાદરા ગામના વતની અને હાલમાં સુરતના વરાછા, લંબેહનુમાન રોડ પર આવેલી સૈફી સોસાયટીમાં રહેતા વસંત શાહે જણાવ્યું હતું કે તેઓ છેલ્લા દસ-બાર વર્ષથી આ સેવા કરી રહ્યા છે. તેમણે નવ-નવ સંતાનોને ગૂમાવ્યા છે. પત્ની દક્ષાબેનને અધૂરા માસે પ્રસૂતિ થઇ જતા સંતાન સુખ મળ્યું નથી. દક્ષાબેનને નિયમિત પેટના દુઃખાવાની, અંબોઇ ખસી જવા સહિતની તકલીફ રહેતી હતી. જેથી તેમણે શારીરિક પીડા દૂર કરવા માટે નિર્ણય કર્યો હતો અને બાર વર્ષ પહેલા મંત્ર સિદ્ધ કર્યા હતા. જે મંત્રોનો પ્રથમ ઘરમાં અને પછી મિત્ર વર્તુળમાં પ્રયોગ કરી સફળતા મેળવી હતી.

આજે તેમના મંત્રોની એટલી અસર થવા માંડી કે ફકેત ફોન પર લોકોના શારીરિક દુઃખાવાની તકલીફો સાંભળી મંત્ર દ્વારા તે દૂર કરી શકે છે. દરરોજ તેમને 70 થી 80 ફોન આવે છે. જેમાં સૌથી વધુ ફોન કાઠીયાવાડના હોય છે.ત્યાર બાદ અમદાવાદ, મહેસાણા, ઇડર, જામનગર, સુરત, વાપી, વલસાડ તથા પૂના, મુંબઇ, નંદૂરબાર, રાજસ્થાન અને ક્યારેક વિદેશમાંથી પણ ફોન આવે છે.

કોઇ વ્યક્તિને તેમના સંપર્કમાં આવ્યા બાદ દુઃખાવાથી છૂટકારો મળે તો તે વ્યક્તિ તેમો ફોન નંબર બીજાને આપી દે છે. આમ દૂર દૂર થી લોકો તેમને ફોન કરે છે. એમ કહેતા તેમણે વધુમાં જણાવ્યું હતું કે ભગવાનની ઇચ્છા છે ત્યાં લોકોની સેવા કરતો રહીશ. જો કોઇની ફોન પર તકલીફ દૂર ન થાય તો રૃબરૃ મુલાકાત માટે બોલાવી એક્યુપેસર થેરાપી અને ચાર આર્ક (સફેદ રાય, લવિંગ, શિમલા મરચી મિશ્રીત)નું તેલ માલીસ કરવા આપે છે. જેથી ગણતરીના દિવસોમાં દુઃખાવો ગાયબ થઇ જાય છે. રૃબરૃ મુલાકાતની તેઓ માત્ર રૃ.20 ફી લે છે એમ વધુમાં કહ્યું હતું.

વસંત શાહના સંપર્કમાં આવ્યા બાદ હાથ-પગમાં નિયમિત થતા દુઃખાવાથી રાહત મેળવનારા ચંદુભાઇ વોંદીયાએ જણાવ્યું હતું કે તેઓ ભજીયાની દુકાન ચલાવે છે. આ ધંધામાં તેમને રાત-દિવસ ઊભા રહેવું પડે છે. જેથી હાથ-પગના દુઃખાવાથી છૂટકારો મેળવવા ઘણી દવા કરાવી હતી. તેમ છતાં કોઇ ફેર પડ્યો નહોતો ત્યારે દોઢ-બે વર્ષ અગાઉ એક મિત્રએ વસંત શાહનો નંબર આપ્યો હતો.

તેમની જોડે વાત થયા બાદ દુઃખાવાથી રાહત મળી હતી. વસંત શાહે આપેલા તેલથી માલીશ કર્યા બાદ તેમને ફરીવાર દુઃખાવો થયો નથી.

એકાઉન્ટન્ટ પુષ્પેન્દ્ર બીસવાસએ જણાવ્યું હતું કે લાંબા સમયથી તેમને કમરના દુઃખાવાની તકલીફ હતી. ઘણી જગ્યાએ સારવાર કરાવ્યા બાદ પણ તકલીફમાંથી છૂટકારો મળતો નહોતો. ત્યારે વસંત શાહે ફોનથી તેમના પર કરેલો પ્રયોગ સફળ રહ્યો હતો. પહેલા તેઓ દુઃખાવાને લીધે બહાર જતા અગાઉ વિચારતા હતા. જો કે હાલ તેઓ ઘણી રાહત અનુભવી રહ્યા છે.

2 comments:

  1. pls give me your contact number.my no. is 09998007093.

    ReplyDelete