Thursday, May 20, 2010

હેન્ડમેડ કલમખુશ કાગળની
કંકોત્રીની માંગ વઘી


ગાંધીજી કાયમ હેન્ડમેડ કાગળપર લખવું ગમતું. કાગળપર ફરતી કલમની એટલી મજા આવતી કે હેન્ડમેડ કાગળનું નામ તેમણે કલમ ખુશ રાખી દીધું. આજે આઝીદીના 60 વર્ષ પછી અનદાવાદના યુવાનોમાં કલમખુશ કાગળનો ટ્રેન્ડ લગ્ન કંકોત્રી બનાવવામાં વધ્યો છે.
ગાંધી આશ્રમથી થોડા આગળ ચાલો ત્યાં સરદાર વલ્લભભાઇ પટેલ 1940માં સ્થાપેલી ગુજરાત ખાદી ગ્રામોદ્યોગ સંસ્થા આવેલી છે જ્યાં સાદા ચરખા, અંબર ચરખા ઉપરાંત કલમખુશ કાગળ બનાવવામાં આવે છે. જી હાઁ, કલમખુશ કાગળ. અખાત્રિજના રોજ લગ્નોની સિઝન ચાલુ થતાની સાથે કલમખુશમાં ખાસ ઇકોફ્રેન્ડ્લી કંકોત્રી બનાવવા માટે પ્રભુતામાં પગલા માંજવા જઇ રહેલા યુગલોની ભીડ જામી રહી છે.
ખાસ લગ્નની સિઝનમાં કમલખુશનો બિઝનેસ તેના સામાન્ય બિઝનેસ કરતા 40 ટકા વધી જાય છે. માત્ર અમદાવાદમાં જ નહી પરંતુ આ પ્રકારના કાગળોની હવે વિદેશમાં પણ માગ વધી રહી છે ત્યારે ગાંધીબાપુના પાયાના વિચારો સાથે સ્થાપવામાં આવેલી આ સંસ્થા આજે પણ સ્વનિર્ભર બનીને અવનવા હાથ બનાવટમાં કાગળો બનાવી લોકોને આકર્ષી રહી છે.
આ કાગળ સંપૂર્ણ પણે પર્યાવરણ આધારીત છે જે સંપૂર્ણપણે હાથ વડે બનાવવામાં આવે છે તેથી તેને Hand Made Paper પણ કહે છે. મોહનભાઇ દેસાઇ વાતચીતમાં કહે છે. કે "આ કાગળ સંપુર્ણ ઇકોફેડિલી છે. જેમાં કોટન કાપડના કપડાનો ઉપયોગ થાય છે. આમ તો આ કાગળ વેસ્ટમાંથી બેસ્ટ જેવું. કારણ કે લોકો એ વેસ્ટ કોટનના કાપડનો આ કાગળમાં ઉપયોગ થાય છે. આ કાગળની મદદથી કંકોત્રી, વિઝીટીંગ કાર્ડ, કેરીબેગ, પર્સ, ડેકોરેસનની વસ્તુ વગેરે બનાવી શકાય છે.
આવનારા દિવસોમાં પરણી રહેલા રાહુલ અને નિશા ખાસ આ કાગળ ખરીદતા પોતાનો મત રજુ કરે છે કે, સાદા કાગળ કરતા આ કાગળ પર સુદર પ્રિન્ટીંગ થઇ શકે છે અને કંઇક જુદુ લાગે છે. તે માટે અમે ખાસ આ કાગળની કંકોત્રી પર આમંત્રણ પત્રિકા બનાવરાવીશું.
મધુભાઇ ત્રિવેદી જે રીટાયર્ડ બાદ પણ આ કામ સાથે સંકળાયેલા છે. તેમનું માનવું છે કે આ કાગળના ઉપયોગથી પર્યાવરણને નુકશાન થતું નથી, વૃક્ષોનો પણ નાશ થતો નથી, ને કાગળની ગુણવતા પણ સારી મળી રહે છે."
મોહનભાઇ દેસાઇએ કહે છે કે "કમલખુશ કાગળને લગભગ 50 વર્ષ સુધી કાંઇ થતું નથી. જ્યારે મીલમાં તૈયાર થયેલ કાગળ પાંચ વર્ષમાં ફાટી જાય અથવા ભાંગી જાય છે. એટલા માટે જૈન શાસ્ત્રોમાં તથા બારોટ સાહિત્યમાં પણ આ કાગળનો ઉપયોગ થાય છે. આ કાગળ બનાવવા સાથે સંકળાયેલા મધુભાઇ ત્રીવેદી કહે છે કે આ કાગળ અને મીલના કાગળની કિંમતમાં ઘણો ફેર છે. કારણ કે આ કાગળની મજુરી બહુ જ મોંઘી પડે છે. 6 કલાકમાં માત્ર 80 કિ.ગ્રા. માલ તૈયાર થાય છે. કિંમતમાં વધારો છતાં પણ તેની માંગમાં પણ વધારો થાય છે. ગુજરાતની આ એક માત્ર સંસ્થા છે જ્યાં કલકખુશ કાગળ બનાવવામાં આવે છે.
આ સંસ્થા દ્વારા એક વર્ષની અંદર 35-40 લાખનું ઉત્પાદન કરવામાં આવે છે. મોહનભાઇ દેસાઇ આ કાગળને વિદેશમાં એક્સપોર્ટ અંગે માને છે કે આ એક સંસ્થા હોવાથી કાગળનો વિદેશમાં નિકાસ કરવી એ અઘરી બાબત છે છતાં ઘણી સંસ્થાઓ અમારી પાસેથી માલ ખરીદીને વિદેશોમાં વેચાણ કરે છે અને તેમાંથી તેઓ ઘણો નફો પણ મેળવે છે."
હાલ દુનિયા જે પ્રદૂષણ સામે લડી રહી છે ત્યાં કલમખુશ કાગળ દ્વારા થોડા અંશે તેની પર અંકુશ લાવી શકાય છે. આ કાગળ પણ અમદાવાદના આંગણે સરળતાથી ઉપલબ્ધ છે.

No comments:

Post a Comment