Saturday, December 12, 2009

ગુજરાત કન્યા કેળવણીમાં હજૂ પણ પાછળ

ગુજરાતમાં કન્યા કેળવણીની ટકાવારીના આંકડા 54 ટકાથી આગળ વધતા જ નથી

કન્યા કેવળણીમાં ગુજરાત કરતા પડોશી મહારાષ્ટ્ર 68 ટકા, કેરળ 94 ટકા, પંજાબ 60 ટકા તામીલનાડુ 65 ટકા, પં.બંગાળ 60 ટકા સાથે આગળ

By ENN,
'એક ભણેલી માતા સારા શિક્ષકની ગરજ સારે છે' એવી ઉક્તીથી ગુજરાતમાં કન્યા કેળવણીની પરિસ્થિતિ વિપરીત છે. રાજ્યની 25 જિલ્લાઓની અક્ષરજ્ઞાનની પરિસ્થિતિ જોઇએ તો માત્ર 11 જિલ્લાઓમાં રાજ્યની કન્યાઓ સાક્ષરતાની સપાટી ઉપર છે. કન્યા કેળવણી અંગે રાજ્ય સરકાર દ્વારા વારવાર કરાતી જાહેરાતો છતાં, શહેરી વિસ્તારો જ્યાં વધુ છે એવા જિલ્લાઓમાં કન્યાઓનું શિક્ષણ સરેરાશની ઉપર છે. જિલ્લાઓની વાસ્તિવકતા જોઇએ તો રાજ્યના આદિવાસી જિલ્લાઓમાં સૌથી તળિયે દાહોદમાં 45 ટકા છે. ભારતની કન્યા કેળવણીની 54 ટકા કરતાં 9 ટકા ઓછી છે. જોકે ગુજરાતમાં કન્યા કેળવણી 58 ટકા છે.

ઘરકામ, ઢોર ચરાવવા જવું, નાના ભાઇ-બહેનોની સંભાળ રાખવા, ખેતરના કામમાં જોતરાવું, સામાજીકિ રીતિ રિવાજો અને નાની ઉંમેર લગ્ન સહિતના વિવિધ પ્રશ્નોને કારણે રાજ્યના 63 ટકા ગામડામાં રહેતા પરિવારો દીકરીને અધ વચ્ચે શાળામાંથી ભણાવાનું છોડાવી દે છે.

દેશના અન્ય રાજ્યોની સરખામણી કરીએ તો કન્યા કેળવણીમાં ગુજરાત છઠ્ઠા નંબરે છે. જ્યારે પ્રથમ નંબરે કન્યા કેળવણીમાં કેરળ 68 ટકા સાક્ષરતા ધરાવે છે. દેશમાં સૌથી નીચો કન્યા કેળવણી ધરાવતો પ્રદેશ બિહાર છે. બિહારમાં માત્ર 34 ટકા કન્યા કેળવણી છે. મહત્વના કન્યા કેળવણી ધરાવતા રાજ્યોમાં કેરળ (94 ટકા), મહારાષ્ટ્ર (68 ટકા), તામીલનાડુ (65 ટકા), પંજાબ (60 ટકા) અને પશ્ચિમ બંગાળમાં (60 ટકા) છે. જ્યારે ગુજરાતમાં કન્યા કેળવણીનો દર માત્ર 54 ટકા છે.

દેશમાં અક્ષરજ્ઞાન મળે અને નિરક્ષરતા નાબુદ થાય એ માટે ચાલતા કાર્યક્રમોના સંકલનના અભાવે યોજનાઓ ફળીભૂત થતી નથી. રાજ્યની પ્રાથમિક શાળાઓમાં વિદ્યાર્થીઓની હાજરી ટકી રહે અને ઓછામાં ઓછું દરેક બાળક 7 ધોરણ સુધીનું પ્રાથમિક શિક્ષણ મેળવે એ હેતુથી ગુજરાતમાં સૌથી પ્રથમ માધવસિંહ સોલંકીની સરકારે મધ્યાહન ભોજન યોજના શરૂ કરી હતી પણ વહીવટી આંટીઘૂંટીઓ, શિક્ષણનો વ્યાપ વધે એ માટેની રાજકીય ઇચ્છા શક્તિ (પોલીટીકલ વીલ પાવર) ને શિક્ષકો તથા રાજકારણીઓની ઉધાસીનતાને લઇ યોજના પૂરેપૂરી સફળ થઇ નથી. કન્યા કેળવણી સાથે શિક્ષણનો સરેરાશ દર વધે એ માટે સર્વ શિક્ષા અભિયાન, રાષ્ટ્રીય નિષ્ફળ રહ્યાનું રહ્યાનું કહી શકાય. 'સા વિદ્યા યા વિમુક્તયે' (અર્થાત જે મુક્તિ અપાવે તે વિદ્યા) નો આપણી પુરાતન સંસ્કૃતિનો સંકલ્પ સાકાર કરવા અને સાચા અર્થમાં તમામને શિક્ષણ અને વિશેષમાં કન્યાઓમાં શિક્ષણનું સ્તર વધારવા સમાજના તમામ લોકોએ સહિયારો પુરૂષાર્થ કરવો અનિવાર્ય છે.

No comments:

Post a Comment