Monday, December 7, 2009

કદાચ સમગ્ર વિશ્વમાં એકમાત્ર બહુચરાજી મંદિરને ''ગાર્ડ ઓફ ઓનર'' અપાય છે.

દેશભરમાં એકમાત્ર ગુજરાતના મંદિરની અનોખી પરંપરા: 240 વર્ષોથી ચાલી આવતી રસમ

By ENN,
અમદાવાદ,
સમગ્ર દેશમાં એકમાત્ર ઉતર ગુજરાતમાં આવેલું બહુચરાજી માતાનું મંદિર આવેલું છે કે, જેમાં માતાજીને ગાર્ડ ઓફ ઓનર પોલીસ દ્વારા આપવામાં આવે છે. એટલું જ નહિ વર્ષમાં બે વાર માતાજીની પ્રતિમાને નજીકના શંખલપુર ગામે લઈ જવાય છે. ત્યારે પણ માતાજી માટે ભરી બંદુકે પોલીસને ચોકી પહેરો ગોઠવાયેલો હોય છે. રાજા રજવાડાંના જમાનામાં જે પ્રકારનું માનસન્માન રાજા મહારાજાને અપાતું હતું તે જ પ્રકારનું સન્માન આજે પણ બાલા બહુચર ગણાતી મા બહુચરાજીને આપવામાં આવે છે.

સામાન્ય રીતે દર વર્ષે ચૈત્રી પૂનમે તથા આસો મહિનાની પૂનમે માતાજીને ગાર્ડ ઓફ ઓનર આપીને શંખલપુર ગામે લઈ જવાય છે. ત્યાં રાત્રીના એક દોઢ વાગ્યા સુધી માતાજી શયનખંડમાં વિશ્રામ કરે છે અને તે પછી ત્યાંથી ભક્તો વિશ્રામ કરે છે અને તે પછી ત્યાંથી ભક્તો સાથે પરત ફરે છે. એવી દંતકથા પ્રવર્તે છે કે, માતાજીએ આ વિસ્તારના લોકોને પજવાતા બગાસુર નામના રાક્ષસનો સંહાર કર્યો હતો. ત્યાર બાદ શંખલપુર ગામ ખાતે વિશ્રામ કરવાની પરંપરા સર્જાઈ છે.

માતાજીની બાદીના દસ મહિનાની દસેય પૂનમે તેમજ ચૈત્રી અને આસો મહિનાની નવરાત્રીની આઠમે પાલખી નીકળે છે. જે ગામમાં પ્રદક્ષિણા કરીને માન સરોવર ઉપરથી પરત ફરે છે. તેવી જ રીતે દશેરાનાં દિવસે માતાજીની પાલખી નજીકમાં આવેલા બેચર ગામના એક શમીના વૃક્ષ સુધી લઈ જવાય અને ત્યાંથી મોડેથી પરત ફરે છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં વડોદરામાં વડોદરાનાં મહારાજનું રાજ અને આણ પ્રવતર્તી હતી, તે પહેલાં એટલે કે, છેલ્લા 240 વર્ષથી માતાજીને ગાર્ડ ઓફ ઓનર દ્વારા માન-સન્માન આપવાની ઐતિહાસિક ભવ્ય પરંપરા ચાલી આવે છે.

No comments:

Post a Comment