Monday, December 7, 2009

વર્તમાન પાલનપુર અગાઉ પાતાલનગર નામે વિખ્યાત બંદર હતું..!

By ENN,
પાલનપુર,
આપ માનો યા ન માનો પરંતુ આ નરી વાસ્તવિક્તા છે કે હાલના નવાબી પાલનપુરના વર્ષો જુના ઈતિહાસમાં પાતાલનગરના અવશેષો ધરબાયેલા છે અર્થાત્ વર્તમાન પાલનપુરની જગ્યાએ હજારો વર્ષ પૂર્વે પાતાલનગર નામનું બંદર હતું જે નાગ જાતિના લોકોએ વસાવ્યું હતું જો કે આ હકીકત કોઈ માનવા તૈયાર થાય નહીં પરંતુ આજ એક વાસ્તવિક્તા હોવાનો દાવો કરી પાલનપુરના પ્રો. યશવંત રાવલે તેમના સંશોધનામિક પુસ્તક પાતાલનગર પાલનપુર મા દસ્તાવેજી પુરાવાઓ નો આધાર રજુ કરતા પીંઢ ઈતિહાસવિદો પણ માથુ ખંજવતા થઈ ગયા છે.

પાલનપુરથી જી.ડી.મોદી કોલેજ ઓફ આર્ટ્સના પૂર્વ પ્રોફેસર અને સંશોધનામિક લેખક પ્રો. યશવંત રાવલના પુસ્તક પાતાલનગર પાલનપુર નામના પુસ્તકે પાલનપુરીઓને વિચારતા કરી મુક્યા છે. પાતાલનગરનો ઉલ્લેખ પ્રાચીન ગ્રંથો સાહિત્યમાં ઘણીવાર થયો છે. પણ આજ સુધી આ નગર પશ્ચિમ સમુદ્રકાંઠે ક્યા વિસ્તારમાં હતુ તેની ભાળ મળી નથી. જો કે પ્રસ્તુત પુસ્તકમાં દસ્તાવેજ પુરાવાઓ દ્વારા લેખકે પુરવાર કર્યું છે કે આ નગર લગભગ વૈદિક કાળમાં વર્તમાન પાલનપુરની જગ્યાએ હતું.

સમયના વહેણ સાથે કુદરતી આયદાઓ જેવી કે ભયાનક ભુકંપો, જ્વાળામુખી, વિસ્ફોટો, સામુદ્રિય જળ પ્રલયો અને ભૂર્ગભીય હલચલોને કારણે જમીનનું સ્તર ઉંચું આવતા સમુદ્ર ક્રમશઃ ડીસા, થરાદ, માવસરી, બેણાપ, સુઈગામ, પાટણ, વારાહી જેવા સ્થળો તરફ દુર જતો ગયો. આજે પણ આ સ્થળોએ ભુતકાળમાં સમુદ્ર હતો તેવા ચિહ્નો સાંપડે છે. સ્થાનિકલ દંતકથાઓમાં અને મધ્યકાલિન સમયે લખાયેલી સચિત્ર હસ્તપ્રતમાંથી પુરાવા સાંપડે છે. પુરાતત્વના સમયે વિદ્વાનોએ રીમોટ સેન્સીંગ ડેટાનો અભ્યાસ કરી ઉપગ્રહીય તસ્વીરો લઈ આ બાબતોની ચકાસણી કરી પુરવાર પણ કર્યું છે. સ્કંદ પુરાણ પાતાલનગર આબુ પર્વત નજીક હતુ તેવો નુર્દેશ આપે છે. પાતાલનગરમાં જવું મુશ્કેલ હતું કેમ કે અરવલ્લીના પર્વતો, જંગલો, હિસંક પશુઓનો ભય વગેરે કારણે જઈ શકાતુ ન હતું. પાતાલનગર જવાના સ્કંદ પુરાણે બે માર્ગો દર્શાવ્યા છે (1) ઉત્તરમાંથી આબુ પર્વતના માર્ગે અને (2) પશ્ચિમમાં જ્યાં સિંધુ અને સરસ્વતીના જળપ્રવાહો સમુદ્રને મળતા હતા બે નદીઓનાં માર્ગે આ પ્રવેશ અધોભૂળન-પાતાલ લોક કહેવાતા હતા. જ્યાં વેદકાલીન નાગ-પ્રજા આવીને વસેલી જે સમુદ્રકાંડ બંદરો હીરા વિદેશો સાથે વેપાર કરતી હતી.

પાલનપુરમાં પાતળેશ્વરનું શિવાલય નાળોમાં ઈષ્ટદેવ છે જે પાતાલનગરનો પુરાવો પણ જોવા મળે છે. નાગોની ઓળખ અને શ્રદ્ધાનું પ્રતિક એવા નાગ પ્રતીકો પાતલેશ્વરમાં બચી ગયેલા આજે પણ જોવા મળે છે. પ્રસ્તુત પુસ્તકમાં લેખકે ભુસ્તરીય ભૌગોલીક અને પુરાતક્ષીય આધારો આપી આ ખોવાઈ ગયેલા નગરનું એડડસ પગેરૂ શોધી કાઢ્યું છે. લોથલ એક બંદર હતું લોથલથી સમુદ્ર આજે કેટલો દુર થઈ ગયો ? એવું જ પાતાલનગર વિશે બન્યું છે. નાશ પામેલા અવશેષો પર કરી પ્રહલાદનગર પાલનપુર વસ્યુ હોવાથી આ પ્રાચીન નગરના પુરાવા પણ નાશ પામી ગયા એટલે જ હજી સુધી શોધાતું ન હતું. હાલનું નવાબનું પાલનપુર અગાઉ રાજા પ્રહલાદ દવે વસાવેલું પ્રહલાદનગર હોવાના ઈતિહાસ વચ્ચે હવે વૈદિક કાળમાં અહીં પાતાલનગર હોવાનું પુરવાર કરતું સંશોધનમાં પ્રસ્તુત પ્રસિધ્ધ કરીને પ્રો. યશવંત રાવલે પીઢ ઈતિહાસ વિદોને પણ વિચારતા કરી મુક્યા છે.

No comments:

Post a Comment