Monday, August 10, 2009

નાળિયેરના છોતરામાંથી 2000 વસ્તુનું નિર્માણ

By ENN,
અમદાવાદ,
ગુજરાતના પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં પ્રતિવર્ષ એક કરોડ જેટલાં શ્રીફળ વધેરવામાં આવે છે, પરંતુ દર વર્ષે તેના છોતરાના નિકાલની સમસ્યા હતી. નંદનવન ગ્રામોદ્યોગ નામની સંસ્થાએ આ સમસ્યાને આશીર્વાદના રૂપમાં પલટાવી છે. નાળિયેરના છોતરામાંથી 2000 જેટલી વસ્તુ બને છે. તથા 400 વ્યક્તિને રોજગારી મળે છે.
નાળિયેરના છોતરામાંથી ચંપલ બનાવવામાં આવે છે જે એક્યુપ્રેશરનું કામ કરે છે. જેની 100 જેટલી ડિઝાઈન ઉપલબ્ધ છે. આ સિવાય મીણબત્તી બનાવવામાં આવે છે. તેમાં પણ હનીમૂન કેન્ડલ્સમાં એક જ પીસમાં મોગરા, પિસ્તા, ગુલાબની ફ્લેવર મળે છે.

No comments:

Post a Comment