Monday, August 10, 2009

હવે મોબાઈલ ફોનથી મિસાઈલ લોંચ કરી શકાશેઃવઘાસીના વિદ્યાર્થીનું નવતર સંશોધન

By ENN,
આણંદ,
ભારત દેશના લશ્કર માટે અત્યાધુનિક શસ્ત્રો તૈયાર કરવા વૈજ્ઞાનિકો આધુનિક ટેકનોલોજીના ઉપયોગથી સતત પ્રયત્નશીલ રહે છે, ત્યારે સાર્વજનિક વિદ્યાલય વઘાસીના એક
વિદ્યાર્થીએ મોબાઈલ ફોનનો રીમોટ તરીકે ઉપયોગ કરી મિસાઈલ્સ કેવી રીતે દાગી શકાય તેની ડી.એન. હાઈસ્કૂલના પટાંગણના યોજાયેલ વિજ્ઞાન મેળામાં કૃતિ રજૂ કરી હતી.
આ અંગે માહિતી અનુસાર મોબાઈલ દ્વારા મિસાઈલ લોંચીંગ કેવી રીતે શક્ય છે તેનું નિદર્શન કરતાં વઘાસી સાર્વજનિક હાઈસ્કૂલના વિદ્યાર્થી વિપુલ ચૌહાણ, વિજ્ઞાન શિક્ષક પારસ
શાહ અને આચાર્ય નરેન્દ્રભાઈ શાહે જણાવ્યું હતું કે આ ઓટોમેટીક મિસાઈલ લોંચીંગ સીસ્ટમનો સિદ્ધાંત રીમોટ સેન્સીંગ ઉપર કાર્યરત છે. જેમાં એક મોબાઈલ ઉપરથી સર્કિટ
પાસેના મોબાઈલમાં રીંગ કરવાથી મોબાઈલની ઈનકમિંગ ફ્રીકવન્સીમાં વધારો થાય છે. જેથી તેની નજીક રાખેલ ઈન્ડક્ટીવ કોઈલમાં ઈન્ડકશન ઉત્પન્ન થઈ ટ્રાન્સમીટરમાં જાય
છે અને ત્યાંથી સર્કિટમાં મૂકેલા કોમ્પીનન્ટસ દ્વારા તેનો સપ્લાય રીલેમાં જાય છે. જેથી રીલ એક્ટીવેટ થાય છે.
આ રીલે એક્ટીવેટ થવાથી તેમાંથી કોન્ટેક્સ દ્વારા પાવર સપ્લાય 230 વોલ્ટના ફાયર સ્ટેજ ટ્રાન્સફોર્મરમાં જાય છે. અને તેની સેકન્ડરી સાઈડમાં હીટીંગ થવાથી મિસાઈલ
આકાશમાં છૂટે છે.
આ ઓટોમેટીક મિસાઈલ લોંચીંગ સિસ્ટમના કારણે દૂર ગોઠવેલી મિસાઈલને નિયંત્રણ કક્ષમાં જ બેઠાં બેઠાં આકાશમાં છોડી શકાય છે. જેના કારણે જવાનોની ખુવારી પણ થવાનો
કોઈ સંભવ રહેતો નથી. આ ઉપરાંત આ સિસ્ટમથી ખેતરમાં દૂર મૂકવામાં આવેલી વર્કસની મોટર પણ દૂર બેઠાં બેઠાં જ ઓન-ઓફ કરી શકાય છે.

No comments:

Post a Comment