Thursday, August 27, 2009

ગામના મોટાભાગના લોકો ઝીણાની યાદોને ભૂલી ગયા છે
મહમદઅલી ઝીણાના રાજકોટનાં મોટી પાનેલીના મકાનમાં આજે પટેલ પરિવાર રહે છે

By ENN,
જસવંતસિંહનાં પૂસ્તકને લઈને મહમદઅલી ઝીણાં આજકાલ ફરી ચર્ચામાં છે. ત્યારે બહુ ઓછા લોકોને ખબર હશે કે, પાકિસ્તાનના આ સર્જકનું મૂળ વતન રાજકોટ જિલ્લાનાં ઉપલેટા તાલુકાનું મોટી પાનેલી હતું. જો કે, આજે મોટી પાનેલીનાં મોટાભાગના લોકો મહંમદ અલી ઝીણાની યાદો વિસરી ગયું છે પણ હજુયે બૂઝૂર્ગ ગુલામ હુસેન લાખાણી એ વખતના સાક્ષી આજેય હયાત છે, એટલું જ નહીં, મોટી પાનેલીને ઝીણાનાં પૂર્વજોનું મકાન આવેલું છે જેનાં રૂપરંગ બદલાઈ ચૂક્યા છે જેમાં એક પટેલ પરિવાર રહે છે. જસવંતસિંહે તેમના પુસ્તકમાં સરદાર પટેલની ટીકાંઓ કરતાં ઝીણાંનાં વતન મોટી પાનેલીના લોકો ભારે રોષે ભરાયા છે તેમનું કહેવું છે કે, ભારત પાકિસ્તનમાં ભાગલા સરદારે નહીં બલ્કે ઝીણાં એ કરાવ્યાં છે તે જગજાહેર છે પરિણામે ભાજપે તેમને પક્ષમાંથી હાંકી કાઢયાં તે બરાબર છે.
મોટી પાનેલીના સરપંચ મનસુખભાઈ ભાલોડિયાએ કહ્યું કે, ઝીણાં અમારાં ગામના હતાં તે અમારાં માટે તો ગર્વ સમાન છે પણ જસવંતસિંહે જે રાતે ભાગલા માટે જવાબદાર ઠેરવ્યાં છે તે યોગ્ય નથી આ એક્ટ પબ્લિસિટી સ્ટંટ સિવાય બીજું કંઈ નથી. સરદારે તો ભારત દેશને ઘડ્યો હતો, તે લોખંડી અને મહાન પુરુષ હતાં તેમની વિરૂધ્ધઆવું લખી શકાય નહીં.જસવંતસિંહે સરદાર વિરુધ્ધ લખાણ લખતાં મોટી પાનેલીના લોકોનું કહેવું છે કે, તેમણે લેખિતમાં માફી માંગવી જોઈએ. મોટી પાનેલીના શિક્ષક ભરતભાઈ વિરાણીએ કહ્યું કે, વર્ષ 45 અગાઉ ઝીણાંએ મોટી પાનેલી આવીને એવું કહયું હતું કે, હિંદુ મુસ્લિમો એક થઈને રહો પણ ત્યારબાદ તેમનામાં કટ્ટરવાદ આવ્યો ને ભાગલા પડાવ્યાં. જસવંતસિંહે આડેધડ લખ્યું છે પરિણામે આ મુદ્દે માફી માંગવી જોઈએ.
મહંમદ અલીના પૂર્વજો મોટી પાનેલીમાં વેપારી હતા. મહંમદ અલી ઝીણાંના લગ્ન કરવા તેમનો પરિવાર મોટી પાનેલી આવ્યો હતો. તેમની જાન લાલપુર તાલુકાના ખોજાબેરાજા ગામે ગઈ હતી. તા,26મી જાન્યુ, 40નાં રોજ ઝીણાં મોટી પાનેલી આવ્યા ત્યારે સાર્વજનિક અંગ્રેજી સ્કૂલમાં જઈને સ્કૂલ પોથીમાં એવી નોંધ કરી હતી કે, I Came to paneli as it is the home of my ancestors and i was vary happy to see this school.......

No comments:

Post a Comment