Monday, August 10, 2009

તમામ રાજ્યોમાં ગુજરાત દેહદાનમાં આગળ
દાન કરવામાં ગુજરાતીઓને કોઈ ન પહોંચે
દર વર્ષે 300 થી 350 મૃતદેહો દાનમાં મળે છે

By ENN,
અમદાવાદ,
ગુજરાતીઓ દાન કરવાની બાબતમાં હંમેશા અગ્રેસર રહ્યા છે પછી ભલે પોતાના ખુદના દેહનું દાન કરવાનું હોય એટલે સુધી કે ગુજરાતની મેડીકલ કોલેજોમાં તબીબી નિરીક્ષણ
માટે કરવામાં આવતાં દેહદાનને કારણે મૃતદેહોનો ભરાવો થઈ ગયો છે.
ગુજરાત તબીબી શિક્ષણ માટે માનવ દેહદાનમાં તમામ રાજ્યોમાં સૌથી આગળ છે. દર વર્ષે મેડીકલ કોલેજોને 300-350 મૃતદેહોનું દાન કરવામાં આવે છે. અમારી કોલેજમાં
આ વર્ષે 45 મૃતદેહો દાનમાં આપવામાં આવ્યાં છે અને હવે અમારે ત્યાં દેહદાનમાં મળેલા મૃતદેહોની સંખ્યા 70 છે કે જે અમારી જરૂરિયાત કરતાં વધુ છે. એવું એન.એચ.એલ.
મ્યુનિ. મેડીકલ કોલેજના વિભાગીય વડા ડો. ભરત ત્રિવેદીએ જણાવ્યું હતું.
ગુજરાતમાં સૌથી વધુ દેહદાન મળે છે. આ વર્ષે અમોને 45 દેહદાન મળ્યા છે અને પોતાના દેહનું દાન કરવા ઈચ્છુક લોકો તરફથી 70 સંમતિ પત્રકો મળ્યા છે કે જેથી તબીબી
વિદ્યાર્થીઓ શીખી શકે. એવું સિવિલ હોસ્પિટલ ખાતે એનેટોમી વિભાગના વડા ડો. બી.જે.ગોહિલે જણાવ્યું હતું.
રાજસ્થાન અને છત્તીસગઢની મેડીકલ કોલેજો કેટલાંક મૃતદેહો તેમને મોકલવા ગુજરાતની મેડીકલ કોલેજોની લખી રહ્યાં છે, પરંતુ કાયદાનુસાર મૃતદેહોને રાજ્યની બહાર
મોકલવાની મંજુરી નથી. અમોને વર્ષમાં માત્ર 5 થી 6 જ મૃતદેહો દાનમાં મળે છે. અને તેથી મોટી સંખ્યામાં તબીબી વિદ્યાર્થીઓને શીખવવાનું મુશ્કેલ બને છે. એવું અજમેરની
જવાહરલાલ નહેરૂ મેડીકલ કોલેજના ડો. સુરેન્દ્ર અગ્રવાલે જણાવ્યું હતું.
ગુજરાતીઓ મૃત્યુ પામીને પણ માનવતાને સદ્ઉપયોગી બનાવવા ખ્યાલમાં હંમેશા અગ્રેસર રહ્યાં છે. સ્વૈચ્છિક સંગઠનો, ધાર્મિક સંસ્થાઓ અને ખાસ કરીને મૃત્યુ બાદ પણ
ઉપયોગી બનવાની લાગણીને કારણે રાજ્યમાં સૌથી વધુ દેહદાન કરવામાં આવે છે, એવું એક સમાજશાસ્ત્રીએ જણાવ્યું હતું.
અમારૂં કુટુંબ એવું માને છે કે માણસના મૃત્યુ બાદ કરાતા અગ્નિ સંસ્કારમાં માણસનો દેહ રાખ થઈ જાય છે. કે જેનો કોઈ ઉપયોગ નથી. જ્યારે મૃતદેહનું દાન કરવામાં આવે તો તે
આ તબીબી વિજ્ઞાનને ઉપયોગી બને છે. એવું નિમિષ પટેલે જણાવ્યું હતું કે જેમના પિતા જ્યંતિભાઈ પટેલનો મૃતદેહ ગઈ સાલ બી.જે. મેડીકલ કોલેજના દાનમાં આપવામાં
આવ્યો તો. નિમિષે પણ પોતાનો દેહ દાન કરવાનો સંકલ્પ કર્યો છે.મુંબઈમાં અમે વાઢકાપ માટે બિનવારસી મૃતદેહોનો ઉપયોગ કરીએ છીએ. અહીં પણ મોટાભાગના મૃતદેહોનું
દાન ગુજરાતીઓ તરફથી જ મળે છે. એવું ડી.વાય. પાટીલ, મેડીકલ કોલેજ મુંબઈના ડો. વી.જી.સાવંતે જણાવ્યું હતું.

No comments:

Post a Comment