Monday, August 10, 2009

દરિયો ખુંદતી બોટને ભગવાનના નામનું સુરક્ષાકવચ

By ENN,
પોરબંદર,
દિવસો સુધી સાગરના ખોળે જાતને સમર્પિત કરી માછીમારી કરતાં સાગરખેડૂઓને મધદરિયે માત્ર ઈશ્વરનો જ આધાર હોય છે. ઈશ્વરમાં રહેલી અતૂટ શ્રદ્ધા જે તેઓના મનને
મધદરિયે મજબૂત રાખતી હોય છે. અને આ કારણે જ કદાચ માછીમારો પોતાની બોટના નામ દેવ-દેવીઓના નામ પરથી રાખે છે. અને તેમાં પણ દેવીઓના નામનો સૌથી વધુ
ઉપયોગ થાય છે. અહીંથી દરિયો ખૂંદવા જતાં સાગર ખેડૂઓ જ્યારે બોટ બનાવવાની શરૂઆત કરે ત્યારથી જ પોતાની બની રહેલી બોટનું નામ જ્યોતિષીની મદદથી જ તે
દેવી-દેવતાના નામ પરથી જ રાખે છે.
મોટાભાગની ફીશીંગ બોટોના નામો માતાજીઓના નામે રાખવામાં આવે છે. ભાદર આઈ કૃપા, હરસિદ્ધ કૃપા, જશોદા મૈયા, આવળ આઈ કૃપા, આશાપુરા કૃપા, ચામુંડા કૃપા,
શ્રીમંમાઈ કૃપા, શ્રીલક્ષમી કૃપા, જેવા જુદા જુદા માતાજીઓના નામો ઉપરાંત જપ વાછરડાદાદા, રાધેક્રિષ્ન જેવા નામો પણ રાખતાં જોવા મળે છે.
કેટલાંક મુસ્લિમ માછીમારો તેમના ધર્મના દેવતાઓના નામો પણ રાખે છે. પોરબંદરના માછીમારોને બોટોના નામો દેવી-દેવતાઓના નામે રાખવા અંગેનું કારણ પૂછતાં
મોટાભાગના માછીમારોએ જણાવ્યું હતું કે જ્યારે દિવસો સુધી દરિયો ખુંદવા એકલા નિકળી પડ્યા હોઈ તે વખતે ઈશ્વર સાથે હોવાની અનુભૂતિ થાય છે. દરિયામાં માછીમારી કરતી
વેળા ટ્રીપ ઘણીવાર ચાર-પાંચ દિવસની હોય છે. તો ક્યારેક દશથી બાર દિવસ સુધીની ટ્રીપ થઈ જાય છે. ત્યારે આવી ટ્રીપ દરમિયાન વિશાળ દરિયા વચ્ચે ઈશ્વરની હાજરી
હરહંમેશ બોટના માછીમારોની સાથે હોય તેવું અનુભવાય છે જેથી કોઈ મુશ્કેલી નડતી નથી.

No comments:

Post a Comment