Thursday, August 20, 2009

મોલમાં ફરવા સહેલગાહે નીકળેલા ટોળાને "ગ્રાહક" બનાવવા મથતાં મોલ માલિકો

by ENN,
મોલ કલ્ચર અમેરિકા-યુરોપના દેશોની આઉટ ટેડેટ ફેશન થઈ ત્યાં આપણે આ કલ્ચરને હૃદય ભરીને આવકાર આપ્યો. સુરત -અમદાવાદ કે પછી વડોદરા જેવા મોટા અને સમૃદ્ધ શહેરોના આશરે 45 જેટલાં મોલની મુલાકાત બાદ લાગ્યું કે એક વસ્તુ લેવી હોય તો પસંદગીમાં તકલીફ આવતી હોય છે. તો પછી આટલાં મોટા વિકલ્પો અને રજૂઆત પછી આમ શાને બને છે? આપણી (ગ્રાહકો)ની જરૂરિયાત વિશેના ખોટી અને અસ્થાયી માનસિકતા! એક મોલમાં રંગબેરંગી અને આકર્ષક ગોઠવણી અને વધારે પડતું એવું બનતું હોય છે કે ગ્રાહક બનાને મોલમાં આવનાર કરતાં સહેલાણી બનીને મોલમાં આવનાર લોકો મોટા પ્રમાણમાં હોય છે. અને આજ ફરવાં-સહેલગાહે નીકળેલ ટોળાંને અમે ગ્રાહકમાં તબદીલ કરવાની મહેનત કરતાં રહીએ છીએ, અને જે મોલની આર્થિક પ્રગતિનું ઉજળું પાસું અમને વારંવાર કાર્યાન્વિત કરાવતું રહે છે અને આ વાત પણ સાચી છે. મોલ કે સુપર માર્કેટની રોશનીમાં પોતાને મોટી રકમની ખરીદીના માલિક સમજ્યાં કરતાં લોકોનો કાફલો હવે વધી રહ્યો છે. ઘણીવાર એવું પણ જોવા મળે છે કે ગ્રાહક એક નાની જરૂરિયાત લઈને મોટા મોલના શાહીદ્વારમાં પ્રવેશે છે અને તરત બીનજરૂરી વસ્તુની ખરીદીનો આગ્રહી બનતો જાય છે. સત્યતો એ છે કે તેની નાની જરૂરિયાત તેના રહેણાંક વિસ્તારની નજીકની જ કોઈક દુકાનમાંથી સંતોષાઈ શકતી હોય છે. ભારતીયોનું જીવનધોરણ મહદ્અંશે સામાજિક ઘટનાઓ પ્રસંગોના સમૂહોથી બન્યું છે. ન ચાહે પણ એણે સમાજના રીતરિવાજને અનુસરીને તેનો આર્થિક હિસ્સાનો 40 ટકા જેટલો ભાગ સામાજિક પ્રતિષ્ઠા અને કર્તવ્યમાં નાંખવાનો હોયછે અને એજ વર્ષોથી સાચું ગણવામાં આવી રહ્યું છે. તો જીવનને બિનજરૂરી વસ્તુઓના ઉદભોગતાવાદથી જ્યાં સુધી બચાવવામાં નહીં આવે, ત્યાં સુધી અન્ય રાષ્ટ્રોના આઉટડેટેડ કલ્ચરને આપણે સ્ટેટ્સ સિમ્બોલ તરીકે ગણતા રહીશું. આખા ભારતભરનું સર્વેક્ષણ કદાચ એવું બતાવે છે કે સામાન્ય મધ્યમવર્ગના લોકો મોલ-કલ્ચરને વીકએન્ડ ફીકઆઉટનું સ્થાન સમજી રહ્યાં છે. ફરા જાય છે અને બિનજરૂરી ખરીદી કરતાં હોય છે. કહેવાનો મતલબ એટલો જ કે આપણે આપણી જરૂરિયાતોથી સભાન થવું જ જોઈએ. નહીં તો મોલ સવારે 9 થી રાતના 9.30 સુધી આપણું સ્વાગત કરતાં ઉભાં જ રહેશે..

No comments:

Post a Comment