Monday, August 10, 2009

ગુજરાત નેત્રદાન અને સંગ્રહમાં સર્વોચ્ચ સ્થાને

By ENN,
અમદાવાદ,
ગુજરાત અને મહારાષ્ટ્ર એ રાષ્ટ્રીય અંધત્વ નિવારણ કાર્યક્રમમાં અન્ય રાજ્યો કરતાં સૌથી વધુ પ્રદર્શન કર્યું છે. મોતિયાના ઓપરેશન સ્કૂલના બાળકોની સંખ્યાની તપાસ અને
નેત્રદાનના ક્ષેત્રમાં રાજ્યોએ કરેલા પ્રદર્શનના આધારે આ નિષ્કર્ષ બહાર આવ્યો છે.
આરોગ્ય મંત્રાલય દ્વારા રાષ્ટ્રીય અંધત્વ નિવારણ કાર્યક્રમ (એનપીસીબી) બાબતે રજૂ કરેલા રિપોર્ટ અનુસાર અંધત્વ નિવારણમાં સારૂં પ્રદર્શન કરનારા રાજ્યોમાં તેમના પછી
તામિલનાડુ, આંધ્રપ્રદેશ, કર્ણાટક, કેરળ, રાજસ્થાન, હરિયાણા, પંજાબ, મધ્યપ્રદેશ અને ઉત્તરપ્રદેશ છે.
આ કાર્યક્રમમાં બિહાર, ઝારખંડ, જમ્મુ, કાશ્મીર, આસામ, અને પૂર્વોત્તર રાજ્યોનું સૌથી ખરાબ પ્રદર્શન રહ્યું છે. સૌથી સારૂં પ્રદર્શન કરતાં મહારાષ્ટ્રએ લયની એકદમ નજીક પહોંચી
જઈને 6.5 લાખ કરતાં વધુ લોકોના મોતિયાના ઓપરેશન કર્યા હતા. જ્યારે ગુજરાતે મોતિયાના 6,44,389 ઓપરેશન કર્યા હતા. મહારાષ્ટ્રના સૌથી સારા પ્રદર્શનને
ધ્યાનમાં રાખીને આરોગ્ય મંત્રાલયે 11મી પંચવર્ષિય યોજનામાં રાજ્યની મેડીકલ કોલેજો અને નેત્ર વિજ્ઞાનની સ્થાનિક સંસ્થાઓને અપ-ગ્રેડેશનમાં મદદ કરવાનો નિર્ણય કર્યો
છે.
રાષ્ટ્રીય અંધત્વ નિવારણ કાર્યક્રમના વધારાના મહાનિર્દેશક ડો. આર.જોસે જણાવ્યું હતું કે 7 ટકા બાળકોની આંખોમાં ખામી હોવાનું જાણવા મળ્યા બાદ હવે બાળકોની આંખોની
તપાસને પ્રાથમિકતા આપવામાં આવશે. આ માટે શાળાઓમાં શિબિર લગાવવામાં આવશે અને ગરીબ બાળકોને મફત ચશ્મા આપવામાં આવશે.
નેત્રદાન અને સંગ્રહમાં 7,372ની સંખ્યા સાથે ગુજરાત સર્વોચ્ચ સ્થાને. મહારાષ્ટ્રનું મોતિયાના ઓપરેશનનું લક્ષ્યઃ 5,50,000 - ઓપરેશન કર્યા 6,14,667 ગુજરાતે
મોતિયાના 6,44,389 અને આંધ્રપ્રદેશમાં 3,600 નેત્રદાન અને સંગ્રહણ.
ગુજરાતમાં 51 લાખ 88 હજાર બાળકોની આંખોની તપાસ કરવામાં આવી. 82 હજાર બાળકોની આંખોમાં ખામી જોવા મળી. 75,862 બાળકોને મફત ચશ્મા વહેંચવામાં
આવ્યાં.
મહારાષ્ટ્રમાં 31 લાખ 58 હજાર બાળકોની આંખોની તપાસ, 1 લાખ 18 હજાર બાળકોની આંખોમાં ખામી, 61 હજાર બાળકોને મફત ચશ્મા વહેંચવામાં આવ્યા.

No comments:

Post a Comment