Friday, August 28, 2009

કેન્યામાં 'યુનિસેફ' મદદથી કચ્છીઓએ તળાવ ભરી આપ્યા
દારૂણ દુકાળનો સામનો કરી રહેલા આફ્રિકાનાં કેન્યા દેશમાં વસતા કચ્છીઓ

By ENN,
ભુજ,
એક બાજુ માતૃભૂમિ કચ્છમાં વરસાદ ખેંચાતાં ઊભો મોલ સૂકાઈ રહ્યો છે ત્યારે બીજી બાજુ જ્યાં કચ્છીઓએ કર્મભૂમિ બનાવી એ કેન્યા દેશ બે દાયકાના સૌથી ખતરનાક દુકાળનો સામનો કરી રહ્યો છે. સ્થાનિકોને કુદરતી આપદામાં સહારો બનવા સમૃદ્ધ કચ્છી વર્ગ દ્ધારા કૃત્રિમ તળાવડાં બનાવી આપવા અભિયાન હાથ ધરાયું છે. ત્યાં વીજકટોકટી સર્જાતાં કચ્છી ઉદ્યોગગૃહોને ફટકો પડી રહ્યો છે.
નૈરોબીથી મળી વિગતો અનુસાર મકીન્ડુથી કાકામેઘા, નુકુરુ, મોઈ યુનિવર્સિટીથી મસાઈમારા પટ્ટીમાં અભૂતપૂર્વ પાણીતંગી સર્જાતાં ગરીબ વિસ્તારો ભૂખમરાથી કુપોષણનો ભોગ બન્યા છે. શુદ્ધ પેયજળ ઉપલબ્ધ કરાવવા યુનિસેફે અભિયાન હાથ ધર્યું છે તો તાકીદના રાહત ઉપાય તરીકે કચ્છીઓએ નાના તળાવો ખોદાવી તળમાં પ્લાસ્ટિક બીછાવી શક્ય ત્યાંથી પાણી લાવી હંગામી ધોરણે ભરી દીધાં છે. જેનાથી સ્થાનિકોને ભારે રાહત થઈ છે.
કેન્યાથી વાઘજીભાઈના જણાવ્યાનુસાર મોટાં શહેરોમાં બોરવેલ બનાવવાને કાયદાના દાયકામાં લવાયો છે. જ્યારે પોલાદ, પથ્થર-કાંકરી, માઠાં ઉદ્યોગ, હાર્ડવેર એકમો પર વીજ-પાણીકાપ લદાતાં ધંધાને ફટકો પડ્યો છે. સંબંધિત પ્રવૃતિઓ સાથે મોટી સંખ્યામાં કચ્છીઓ જોડાયેલા છે. અહીં લાલજી રૂડા પિંડોરિયા ચેરિટેબલ ટ્રસ્ટ દ્ધારા દવાખનું-ટેકનિકલ સ્કુલ માટે જમાન દાનમાં અપાઈ છે જ્યારે મકાઈના લોટના મોટા જથ્થાને કચ્છી બહેનો અંતરિયાળ વિસ્તારમાં વિતરણ કરવા બહાર આવી છે. સામાન્ય રીતે કેન્યામાં કચ્છી બહેનો લૂંટારાના બીકે બહાર નીકળતી નથી. સમગ્ર રાજ્ય પ્રવૃત્તિને હિન્દુ કાઉન્સિલ કેન્યા-આફ્રિકા દ્ધારા ગતિ મળી છે. જ્યારે નિઃસ્વાર્થ સેવાભાવથી કચ્છીઓએ સ્થાનિકોમાં આદરભાવ મેળવ્યો છે. તાજેતરમાં કેન્યન રાષ્ટ્રપતિ મવાઈ કિંબાકી, વડાપ્રધાન રોઈલા ઓડીંગાએ રાહતકાર્યોની મુલાકાત લઈ સહાનુભૂતિ વ્યક્ત કરી હતી.

No comments:

Post a Comment