Thursday, August 20, 2009

ધ્રાંગધ્રાના કોંઢ ગામને ઈઝરાયેલ પદ્ધતિ દ્વારા હવામાં ખેતી કરવા સજ્જ કરાશે

by ENN,
રાજકોટ,
આ અગાઉ જૈન બટેટા વિશે અહીં ઉલ્લેખ કરાયો હતો પરંતુ હવે ભારતમાં સૌ પ્રથમ વખત સૌરાષ્ટ્રમાં ધ્રાંગધ્રા તાલુકામાં કોંઢ ગામ ગામ ઈઝરાયેલની પદ્ધતિથી તમામ કંદમૂળ એટલે કે માત્ર બટેટા જ નહીં, મૂળા, ગાજર, સક્કરિયા વિગેરે જમીનના બદલે હવામાં ઉગાડી કૃષિક્ષેત્રના એક અદ્યતનયુગમાં કદમ માંડવા જઈ રહ્યું છે.

ઈઝરાયેલના ડો. ઈઝીકીયેલ ગોલન કોંઢ ગામે કોઢેશ્વર કેમ્પ ફાર્મ હાઉસમાં ખાસ આ ગામના ખેડૂતોને આ અદ્યતન પદ્ધતિની માહિતી આપવા આવ્યા હતા.
ડો. ગોલન સાથે કરેલી વાતચિત પરથી આ અદ્યતન પદ્ધતિથી રસપ્રદ વિગતો જાણવા મળી છે, એટલું જ નહીં અન્ય ખેડૂતો માટે પણ આ પદ્ધતિ ઓછી જમીન અને ઓછા પાણીમાં વધુ ફાયદો આપે તેવી પુરવાર થાય તેમ છે.

પહેલા તો હવામાં ખેતી કરવા જેવી વાતને હવામાં તીર મારવા જેવી લાગશે. પણ ખરેખર ડો. ગોલનને આપેલી માહિતી બાદ આ વાત ખોટી સાબિત થાય તેમ છે. તો શું છે આ હવામાં ખતી કરવાની પદ્ધતિમાં?
ડો.ગોલન કહે છે કે પહેલાં તો આપણે સૌએ હવો ગ્લોબલાઈઝેશનના યુગમાં હવે અન્ય દેશોની સાથે જો ઉભું રહેવું હશે તો આપણી પારંપારિક ખેતીની પદ્ધતિને છોડી આધુનિક ટેકનોલોજી અપનાવવી પડશે. હવામાં ખેતીની પદ્ધતિ ઈઝરાયેલમાં સારા પરિણામ આપ્યાં છે.

આ પદ્ધતિમાં વાવેતર એક ખાસ પ્રકારના પ્લેટફોર્મમાં કરવામાં આવે છે. આ પ્લેટફોર્મની રચના એવી હોય છે કે છોડ ઉપર રહે છે અને તેના મૂળ પ્લેટફોર્મની નીચેની બાજુએ જ્યાં ખાસ હોલ બનાવાયા હોય તેમાંથી નીકળતા હયો છે. આ મૂળને સ્પર્શે તે રીતે તેમાંથી પાણી સતત પસાર થતું રહે છે. આ એક જ પાણીનો ઉપયોગ વારંવાર થઈ શકે છે. બીજું જમીનમાં જે રીતે ખાતર સહિતના રસાયણો નાખવામાં ઘણી વખત તેના રસાયણો નાખવામાં ઘણી વખત તેના માપદંડોમાં ફેરફાર થઈ જવાના કારણે પાકને નુકસાન થાય છે
તેનો ભય આ પદ્ધતિમાં રહેતો નથી. આ માટે ડો. ગોલન એવું કહે છે કે મૂળને સ્પર્શીને પાણી સતત વહેતું રહેતું હોય અને પાણીમાં જ આ ખાતર કે રસાયણ તેના ચોક્કસ માપ પ્રમાણે ઉમેરી દેવાથી તેના ઓછા કે વધારાપણાનો ભય રહેતો નથી.

No comments:

Post a Comment