Monday, August 10, 2009

નામ બડે ઔર દર્શન ખોટે ભરમાવતી જાહેરાતોથી ચેતજો

By ENN,
આપણે ત્યાં ભરમાવતી ખોટે માર્ગે દોરતી જાહેરાતો સામાન્ય થઈ ગઈ છે. આ જાહેરાતો એવી હોય છે કે સામાન્ય માણસને સ્પર્શી જાય છે. એ ભોળવાઈ જાય છે જેમ કે
-જાણીતા હસ્તરેખા નિષ્ણાંત ટૂંક સમય માટે જ મુંબઈ આવ્યાં છે. સચોટ ભવિષ્ય અને સફળતાની ખાતરી.
-હૃદયના કોઈપણ દર્દ કે હુમલા માટે ઓપરેશનની આવશ્યકતા નથી. ટૂંક સમયમાં જ દર્દ ગાયબ.
-ઘૂંટણના દુઃખાવો થાય છે. ચાલી શકાતું નથી. કોઈપણ સર્જરી વગર દોડતાં કરી દઈશું.
- 150-170 કિલો વજન છે? સ્થૂળતાથી શરમાવે છે? એક માસમાં જ ગેરંટેડ 10 કિલો વન ઓછું કરી દઈશું. સાઈડઈફેક્ટ નહીં.
-ડાયાબીટીસ-મધુમેહ-આયુર્વેદિક દવાથી ત્રણ માસમાં અંકુશ.
અને આવી તેમજ આવા પ્રકારની જાહેરાતો આવ્યા જ કરે છે. આ જાહેરાત કરનારાઓ સારી પેઠે જાણે છે કે 10 વખત જુઠું બોલો તો એ સાચું થઈ જાય છે... પંચતંત્રની જાણીતી વાર્તા છે. એક બ્રાહ્મણ બકરી લઈ જતો હતો. ત્રણ ધુતારાઓએ આંતરે-આતંરે દર એકે કીધું , અરે આ તો કૂતરું છે બ્રાહ્મણ એને કંઈ ઊંચકે? ને બિચારા બ્રાહ્મણે બકરીને છોડી મૂકી. એટલે તો જાહેરાત વાંચનારા માનવા લાગે છે , હેં એમ છે. તો લાવ અજમાવી જાઉં. કેટલાંક વર્તમાનપત્રો તો વાચકોને ચેતવે છે કે આ જાહેરાતોની સત્યતાની કોઈ ખાતરી એમના તરફથી નથી, માટે સમજી-વિચારીને તેઓ અપનાવે.
આપણી મહાકાય કંપનીઓ આ ફોર્મ્યુલા વ્યાપક રીતે અપનાવે છે. એ પુરવાર થઈ ગયું છે કે કોલા અને પેપ્સીમાં જંતુનાશક તત્વો સમાયેલા છે અને સ્વાસ્થ્યને હાનિકારક છે. એમાં શર્કરાનું સારું પ્રમાણ છે એટલે કંપનીઓએ નવું તૂત ઉમેરી દીધું. ડાયટ કોક પીવો વધારે પડતી સેકરીન પણ એટલી જ નૂકસાનકારક છે. આ કંપનીઓને જરાપણ આંચ આવી નથી સીને કલાકારો એની શુદ્ધતાની ખાતરી આપતા ટીવી અને સીને પરદે દેખાય છે. એ સ્ફુર્તિ પ્રેરે છે. સ્વાસ્થ્યજનક છે. એમ કહેવામાં આવે છે શા માટે છાશ અને નાળિયેર પાણીની જોરદાર જાહેરાતો નથી? એ પૌષ્ટિક છે. સ્વાસ્થ્ય પ્રેરક છે. જે ગુણધર્મો આપણામાં બેશલાક સમાયેલા છે. એનો પ્રચાર આવશ્યક છે.
શું આવી ભરમાવતી જાહેરાતોને પડકારી ન શકાય? જ્યારે કોઈપણ વ્યક્તિ - સંસ્થા ગ્રાહક પ્રચારના કોઈ પણ માધ્યમ દૂરદર્શન, રૂપેરી પડદો, રેડિયો, અખબારો ઈત્યાદિમાં કોઈ પણ ઉત્પાદન કે સેવાને ભરમાવતી ગેરમાર્ગે દોરતી કે સત્યની ઉપેક્ષા કરતી જાહેરાત જુએ તો સંપૂર્ણ વિગતો સાથે ધી એડવર્ટાઈઝીંગ સ્ટાન્ડર્સ કાઉન્સીલ ઓફ ઈન્ડિયા-સંક્ષેપમાં એએસસીઆઈ-એશીને મોકલાવી શકે છે. આ સંસ્થાની કન્ઝ્યુમર્સ કમ્પલેઈન્ટ કમિટિ સીસીસી ફરિયાદ મળ્યાની છ દિવસની અંદર સ્વીકાર નોંધ આપે છે. ત્યારબાદ 15 દિવસ સુધી જાહેરાત કરનાર ઉત્પાદક-ડીલર એજન્સીએ આ ફરિયાદ અંગે ટીકા-ટિપ્પણ અવલોકન માટે સમય આપવામાં આવે છે.
ફરિયાદમાં વજૂદ જણાય તો વિજ્ઞાપનકાર એજન્સીને જાહેરાતમાં સુધારાઓ કરવાનું કહેવામાં આવે છે. એમની સૂચના પ્રમાણે એજન્સી પ્રતિભાવ ન દાખવે તો યાદી મોકલવામાં આવે છે. તેમની પણ 15 દિવસની અંદર જવાબ ન મળે તો ચેરમેન તરફથી ઓલ-ઈન્ડિયા ધોરણે અખબારી યાદી મોકલવાય છે. આ પ્રમાણે આ વિજ્ઞાપનકારોને સંયમ અને શિસ્તમાં રાખવા સંનિષ્ઠ પ્રયાસો કરે છે.
ભરમાવતી જાહેરાતોમાં નામ બડે ઔર દર્શન ખોટે જેવો ઘાટ છે. આજે મોલ સંસ્કૃતિમાં ભરપૂર ડિસ્કાઉન્ટ પાણીના ભાવે માલ આપવામાં આવશે.
રવિવારે ખુલ્લું છે. 60 ટકા ડિસ્કાઉન્ટ ફક્ત આજ સાંજે 6.00 વાગ્યા સુધીને ગ્રાહકોનો દરોડાઓ થાય છે. શું ખરેખર આટલું જબ્બર વળતર દેવામાં આવે છે? મુંબઈનું મોલ બીગ બાઝાર આવા ભરપૂર ડિસ્કાઉન્ટ અને એક્સચેન્જ ઓફર હેઠળ 75 ટકા ડિસ્કાઉન્ટે ઓફર કર્યા હતા આ ઓફરને ઝીણવટથી જોતાં ધ્યાનમાં આવ્યું કે એમાં છટકબારી હતી. ખરીદ-કિંમત પર પ્રથમ 50 ટકા ડિસ્કાઉન્ટની ગણતરી કરવામાં આવી હતી. એટલે 75 ટકા ફ્લેટ ડિસ્કાઉન્ટ નહીં પણ 62.5 ટકા થાય એને અર્થ એ થયો કે 12.5 ટકા ડિસ્કાઉન્ટ ઓછું આપવામાં આવતું. આ એક છેતરામણી હતી. આમ ભરમાવતી જાહેરાતોમાં નામ બડે દર્શન ખોટે જેવા ઘાટ છે. અમદાવાદ સ્થિત ગ્રાહક સંગઠન કન્ઝુયુમર એજ્યુકેશન એન્ડ રિસર્ચ સોસાયટીએ ઉપરોક્ત મોલની આ ગેરમાર્ગે દોરતી જાહેરાત પ્રત્યે ધ્યાન દોર્યું હતું. મેનેજમેન્ટે જવાબ આપ્યો અમે કશી પણ નોટીસ આપ્યા વગર અમારી ઓફરની શરતો-લાભો પાછા લઈ શકીએ છીએ. અમારી ઓફરની યોગ્યતા અમારે જોવાની રહે છે. ગ્રાહકોએ આવી ભરમાવતીજાહેરાતોનો અભ્યાસ કરીને નિર્ણય કરવાનો રહે છે.

No comments:

Post a Comment