Monday, September 7, 2009

સાતસો વર્ષ પછી 09-09-09નો સંયોગ અદ્દભૂત અને લાભદાયક
'કેલેન્ડર પ્રમાણે 9-9-9નો સંયોગ આ પહેલાં ઈ.સ.0609 અને1309 માં થયો'તો' આ સાંયોગિક પ્રક્રિયા છે, કોઈ નવી વાત નથી, ગપગોળા અને ફળકથનથી દૂર રહેજોઃ'

By ENN,
અમદાવાદ,
આગામી બુધવારે સાતસો વર્ષ પછી 9-9-9 નો સંયોગ થઈ રહ્યો છે. આ દિવસે તારીખ, મહિનો અને વર્ષ ત્રણેયમાં '9' નો આંકડો મુખ્ય છે. કેલેન્ડરના અભ્યાસુ કહે છે આવો સંયોગ આ પહેલાં ઈ.સ.0609 અને 1309માં થયો હતો. જ્યારે જ્યોતિષની દ્રષ્ટીએ શનિ આ દિવસે રાત્રિના સમયે કન્યા રાશિમાં પ્રવેશ કરશે, સ્વતંત્ર ભારતની કુંડળી પ્રમાણે છેલ્લા 20 વર્ષથી ચાલી રહેલી શુક્રની મહાદશા પૂર્ણ થશે અને છ વર્ષ માટે સૂર્યની મહાદશા શરૂ થશે શનિનું રાશિ પરિવર્તન દેશની પ્રગતિ માટે નવો સૂર્યોદય શરુ થશે. આમ છતાં વિપરીત અસરથી બચવા ભાણવડના મંગળવારે શનિદેવના યજ્ઞનું આયોજન કરવામાં આવ્યુ હોવાનું અમારા ઢાંકના પ્રતિનિધિના અહેવાલમાં જણાવાયું છે. મંદિરના મહંતરણછોડપુરી (ચાવાળાબાપુ) ના જણાવ્યાપ્રમાણે હાથલામાં આ પ્રાચીન મંદિર છે. બીજી તરફ જાથાના ચેરમેન જયંત પેડ્યાએ એવી અપીલ કરી છે કે, લોકોએ ફળકથન, મંત્ર-તંત્રથી દૂર રહેવું, આ માત્ર સાંયોગિક ઘટના છે આનાથી કોઈ જ્યોતિષ કે પોતાને શાસ્ત્રોના જાણકાર કહેતા લોકોની ભ્રમણામાં ફસાવવું નહીં.

દરમિયાન કેલેન્ડર અને અંકગણિતના અભ્યાસુ કાલાવાડના યુવાન પ્રતીક સંઘવી કહે છે, 'આપણી પાસે ઈતિહાસ કે વસ્તુઓ અથવા ઘટનાઓ યાદ રાખવા માટે જેવું ઘણું બધુ છે પણ આંકડાઓ યાદ રાખવા માટે માત્ર 1થી 9 નો આંક જ છે, એકાઉન્ટના સોફટવેર્સ પણ નવ આંકથી જ બન્યા છે, 9 એ સૌથી મોટો આંકડો છે, ઉપરાત 6,3,5,7 અને બેનો ટોટલ નવ જ થશે. ગુજરાતીમાં માત્ર 9 જ એવો આંકડો છે, જેને લખવા હાથ ઉપાડવો પડે છે. આ સિવાય માતાના ગર્ભમાં સંતાન નવ માસ રહે છે., નવ ગ્રહ છે, વિષ્ણુંના અવતાર નવ છે, જૈનોના મહામંત્ર નવકારના નવ પદ છે અને જૈનોમાં ધર્મના તત્વો પણ નવ માનવામાં આવે છે. આ બધી દ્રષ્ટીએ આગામી તા.9-9-9ને પણ એક આવો જ સંયોગ ગણી આ દિવસ યાદગાર બની જાય તે રીતે ઉજવી શકાય છે, યુવાન મિત્રોને મારી અપીલ છે કે, કોઈ અંધશ્રધ્ધામાં ફસાતા નહીં અને કયાંય આવું થતુ હોય તો તેને પણ અટકાવજો.'

1 comment:

  1. this is right way brother pratik.
    please send this msg pratik sanghavi

    ReplyDelete