Saturday, September 5, 2009

ગુજરાત કે ગુજરાતીને પારસીઓ કદી પારકા લાગ્યા જ નથી

by ENN,
ઓક્ટોબરમાં દિવાળી આવશે. બીજો દિવસ એટલે વિક્રમ સંવત 2066નો પ્રથમ દિવસ -નવું વર્ષ શરૂ થશે. જરથોસ્તી વર્ષનો 'નવરોજ' હમણાં જ આવી ગયો ત્યારે સહેજે બન્નેને સરખાવવાનું મન થાય.

ગુજરાતીઓ જેમ વર્ષનો આરંભ 'બેસતા વર્ષ' થી કરે છે. તેઓ સવારે વહેલા ઊઠીને સોફાના કવર, તકિયાના ગલેફ બધું જ બદલી નાખે છે. પછી મોટેરાંઓ પગે લાગવા નાનાઓ-સગાં-સ્નેહીઓ આવે. યુવાન વર્ગ ને બાળકો બીજાને શુભેચ્છા આપવા નીકળી પડે. મીઠાઈ તથા બીજા ખાદ્ય પ્રદાર્થોની મિજબાની કરે. ધનતેરસ-વાઘબારસ વગેરેથી જ સાથિયા પુરાય, દીવાંના કોડિયાં પ્રગટાવાય, બારણે તોરણ લટકાવાય. એના પર 'ભલે પર્ધાયા'ના આવકારદાયક શબ્દો લખાય. બસ, પારસી નવરોજ પણ આ જ રીતે ઊજવાય છે. હારથી પ્રવેશ દ્ધારા શણગારાય. ચોક અને ફૂલોથી રંગોળી પુરાય. 'ધાન દાળ પાતિયો' પીળી તુવેર દાળ અને ચોખા, પ્રાઉન(દરિયાઈ પ્રાણી), મટનના રસાને કડક બટાટા સળી સાથે 'પાતરાંની મચ્છી' જે કેળના પાનમાં વરાળથી બને. સાથે લીલી ચટણી હોય. 'લગ્નનું દહીં' વાનગી દહીંમાં સૂકો મેવો નાખી બનાવાય. આ વાનગી લગ્નમાં જ બનાવાય તેથી નામ છે 'લગ્નનું કસ્ટર્ડ'. ગુજરાતીઓ શાકાહારી હોય, તેથી ભલે ખાદ્ય પદાર્થમાં ભિન્નતા હોય, પણ શુકનનું દહીં તો બેસતા વર્ષે ખાવાનું જ. બુંદીનાં લાડુ, મોહનથાળ વગેરે મીઠાઈ પણ હોય. દહીં ને સાથિયાની પ્રથા સંજાણ બંદરે ઊતરેલા પારસીઓએ ગુજરાત પાસેથી લીધી છે. 1379માં ભારત આવેલા જરથોસ્તીઓ મૂળ 'પારસ' ગામના હોવાથી 'પારસી' તરીકે જાણીતા બન્યા છે. હસમુખી, પ્રમાળ, આનંદી એવી આ નાનકડી કોમે શિક્ષણ અને ઔધોગિક ક્ષેત્રે હરણફાળ ભરી છે. સમયનાં વહેણ સાથે જરથોસ્તીઓમાં બદલાવ આવ્યો છે. છતાં કોમ સંગઠિત છે. પારસી કોલોનીમાં જાઓ. આધુનિકતા નજરે ચડષે તો આરંભથી જ અન્ય કોમ કરી છે. અંગ્રેજી શીખવામાં અગ્રેસર મુંબઈના અગ્રગણ્ય ઉદ્યોગોનો પાયો આ જ કોમે નાખ્યો છે.

આખો દિવસ કોમના જુવાનો નાચે-ગાય-સારું ખાય ને દિવસને અંતે સૌ સાથે મળી નાટક જુએ. એક જમાનામાં ખુલ્લાં વિસ્તારમાં પારસી કોલોની હતી. આસપાસ હોય આંબા, ચીકુ ને નાળિયેરીનાં વૃક્ષો. ખાસ બેન્ડ વાગતું, 'છૈયે અમે જરથોસ્તી'. જરથોસ્તીની એકલતાના પ્રતીક સમા આ ગીતની તરજ બેન્ડમાં સૌ સાંભળતા. આજે વૃક્ષો નથી, મોટાં મકાનો છે. હિન્દુઓ બેસતા વર્ષે જેમ મંદિરમાં જાય તેમ જરથોસ્તીઓ અગિયારીમાં જઈને વહેલી સવારે પાછો આવે. અસંખ્ય ચેરિટેબલ ટ્રસ્ટ ઊભાં કરનારી આ કોમે મુંબઈની પ્રગતિમાં મોટો ફાળો આપ્યો છે. બેન્કમાં '60થી 90'ની સાલમાં આ જ કોમનું રાજ હતું. અનેકવિદ્ય વ્યવસાયોમાં તેઓ પડ્યા તે સફળતા પ્રાપ્ત કરી. હિન્દુઓની જેમ દસ દિવસના 'મુકતાદ'(શ્રાદ્ધ) પછી નવરોજ ઉજવાય છે. જરથોસ્તી તહેવારો 21મી માર્ચ- વસંતથી આરંભાય છે. ઈરાની નવું વર્ષ જુલાઈને પછી ઓગસ્ટમાંપારસી નવું વર્ષ આવે. 24મી ઓગસ્ટે ખોરદાદ સાલ - જરથુષ્ટ્રના જન્મ દિવસથી સમાપ્ત થાય છે. 'નવરોજ'નો અર્થ 'ગયા વર્ષનો અંતિમ દિવસ' આપણી 'દિવાળી' જેવો છે. બીજે દિવસે પારસી નવું વર્ષ વિક્રમ સંવતના પ્રથમ દિન જેમ આવે, ગુજરાતીઓ પારસીઓને પોતાના જ ગણતા આવ્યા છે ને ગણતા રહેશે. પારસીઓ ગુજરાતના ગુજરાતીઓ જ છે. એમના નવા વર્ષે સ્મરણ કરવાની સમસ્ત ગુજરાતી કોમની ફરજ છે. તેઓ કદી પારકા લાગ્યા નથી. 'જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત' ગાનાર કવિ પારસી જ છેને!

No comments:

Post a Comment