Friday, September 18, 2009

ગુજરાતના ગાંધીધામ શહેરમાં કોઈની પણ પાસે પોતાનું મકાન કે જમીન નથી

By ENN,
ગાંધીધામ,
1947માં દેશને આઝાદી મળ્યા બાદ દેશના વિકાસ અર્થે કચ્છમાં આવેલા કંડલા બંદરને વિશેષ દરજ્જો આપી કંડલાપોર્ટ ટ્રસ્ટની સ્થાપના કરવામાં આવી હતી. આઝાદીના 62 વર્ષ પછી પણ કંડલા ગાંધીધામ જેવા ચાર લાખની વસ્તી ધરાવતા શહેરના નાગરિકો પાસે પોતાની જમીન કે મકાન પોતાના નામ ઉપર નથી ગાંધીધામ જ એવું એક માત્ર શહેર છે કે જ્યાં જમીન કે મકાન લેવા માટે લીઝ એગ્રીમેન્ટ કરવામાં આવે છે.

આ શહેરની નજીકમાં આવેલાં કંડલાપોર્ટ સાથે સેકળાયેલા અને આઝાદી બાદ પાકિસ્તાનથી આવેલા રેફ્યુજી લાખોની સંખ્યામાં વસે છે. આ લોકોની સૌથી મોટી સમસ્યા એ છે કે, જમીન કે મકાન લેવા માટે લોન મળી શકતી નથી. અને જો લોન લેવી હોય તો કંડલા પોર્ટ ટ્રસ્ટનું નોન ઓબ્જેકશન સર્ટીફીકેટ (એનઓસી) લેવુ પડે છે. અને એનઓસીના બદલામાં કંડલા પોર્ટ ટ્રસ્ટ દ્વારા એક ટકા લેખે કમીશન ફી વસુલવામાં આવે છે. ઉપરાંત લીઝ એગ્રીમેન્ટનો સમય પુરો થતો ફરીથી રીન્યુ કરાવવા માટે પણ મોટી પ્રોસીજર કરવી પડતી હોય છે.

No comments:

Post a Comment