Tuesday, September 15, 2009

જૂનાગઢમાં નીલગીરીની નવી જાતનું વાવેતર કરાયું
By ENN,
અમદાવાદ,
અમેરિકન મકાઈ, તાઈવાની પપૈયા અને જાપાની તડબૂચ બાદ જૂનાગઢ જિલ્લો વધુ એક નવા પાક નીલગીરી-વેરાઈટી 3ને સ્થાન આપવા જઈ રહ્યો છે. જૂનાગઢ જિલ્લામાં મેંદરડા ખાતે આ પાકનું વાવેતર થશે. આ ક્લોનિંગ વેરાઈટી હૈદરાબાદમાં વિકાસાવાઈ છે. પંચમહાલ જિલ્લામાં જ્યારે હાલોલ અને કાલોલમાં પ્રયોગ કરવામાં આવ્યો ત્યારે નીલગીરીની નવી જાતે વૃક્ષ દીઠ રૂ.15 ના રોકાણ પર ચાર વર્ષના સમયગાળામાં રૂ.200નું વળતર આપ્યું હતું. આ પાકની વિશેષતા તે છે કે તેમાં પાણી ભરાવાથી થતાં નુકશાનનું પ્રમાણ અન્ય પરંપરાગત પાક કરતાં ઘણું ઓછું છે. એગ્રોટેક નિષ્ણાત જણાવે છે કે, નીલગીરી 80 વર્ષનું આયુષ્ય ધરાવે છે અને તેના લાકડાનો ઉપયોગ કોરુગેટેડ બોક્સ બનાવવા થાય છે અને તે આયુર્વેદિક દવાઓની બનાવટોનો મહત્વનો ઘટક છે.

પરંપરાગત નીલગીરી વૃક્ષની કિંમત રૂ.9 છે અને તેમાં પાણી, ખાતર, જંતુનાશક દવાઓ અને મજૂરીનો ખર્ચ નીચો હોય છે. આ તમામ બાબતોને લીધે વૃક્ષ દીઠ ખર્ચ વધીને રૂ.15 થાય છે. નીલગીરીના પ્રત્યેક વૃક્ષનું વજન 100 કિલોની આસપાસ હોય છે. નીલગીરીનું લાકડું બજારમાં કિલો દીઠ રૂ.2 ના ભાવે મળે છે. આમ નીલગીરીના પ્રત્યેક વૃક્ષ પર લગભગ રૂ.200 જેટલું વળતર મળે છે. રાજ્યમાં અપૂરતા વરસાદને પગલે ગુજરાતમાં નીલગીરીની ખેતી રજૂ કરવામાં આવી છે. નીલગીરીની નવી જાતને પાણીની બહુ જરૂર રહેતી નથી. તે પાણી ભરાયેલી જમીનમાં પણ પાણીનું ધીમે ધીમે શોષણ કરે છે. અને પાણી ભરાતા કૃષિ પટ્ટાને બચાવે છે. આમ તે પાણી ભરાતા કૃષિ પટ્ટાને બચાવે છે. આમ તે પાણી ભરાતા અને સૂકા એમ બંને વિસ્તારો માટે ઉપયોગી છે.

''પરંપરાગત નીલગીરીની તુલનાએ ક્લોરિન વેરાઈટી ટિશ્યૂ કલ્ચર નીલગીરી વેરાઈટી3માં તમામ પ્રકારની આબોહવાનો સામનો કરવાની તાકત ઊંચી છે. જોકે આ પાક વાવેતરનાં ચાર વર્ષ બાદ જ ઊતરે છે.''

No comments:

Post a Comment