Tuesday, September 15, 2009

અવાજમાં તકલીફ ઊભી ન થાય માટે ગાયકો બ્રીધીંગ એકસરસાઈઝ કરે છે.

સ્પીચ થેરાપીસ્ટના સતત સંપર્કમાં રહતા નવરાત્રિના ગાયકો

By ENN,
અમદાવાદ,
નવરાત્રી દરમ્યાન ગળાને કે અવાજમાં કોઈ તકલીફ ઉભી ન થાય તે માટે ગાયકો સ્પીચ થેરાપીસ્ટનું માર્ગદર્શન મેળવીને બ્રીધીંગ એકસરસાઈઝ કરી રહ્યા છે. સારા અને વ્યવસાયિક ગાયકો મોટેભાગે સ્પીચ થેરાપીસ્ટની અવારનવાર મુલાકાત લેતા હોય છે. આમ તો ગાયકોને અવાજની કુદરતી બક્ષીસ હોય છે એટલે તેમને કોઈ તકલીફ થતી નથી. પરંતુ નવરાત્રીમાં ધૂડિયા અને ધુમાડિયા વાતાવરણમાં ગાવાનું હોય છે. ઘણો લાંબો સમય ગાવાનું હોય છે. અવાજમાં વારંવાર ફેરફાર કરવો પડે છે. આ કારણોને લીધે ગાયકોને ઘણી તકલીફ ઉભી થાય છે. આવી તકલીફો ઉભી ન થાય તે માટે શ્વાસોચ્છવાસને લગતી કસરતો ગાયકો કરી રહ્યા છે.જેમાં ફેફસાંમાં વધુમાં વધુ હવા ભરાય તે રાતે ધીમે શવાસ લેવો અને શવાસ રોકવાની કસરત કરતા હોય છે.

એક સ્પીચ થેરાપીસ્ટના જણાવ્યા અનુસાર, સામાન્ય રીતે એક મીનીટમાં 15 બ્રીધીંત થતા હોય છે. ગાયકોએ રોજ અડધો કલાક એક મીનીટમાં આઠ બ્રીધીંગ થાય તેવી કસરત કરવી જોઈએ. ચા, કાફી, ઠંડા પીણા, ઠંડુ પાણી નહીં પીવાની સલાહ આપવામાં આવે છે. આ ઉપરાંત ગેસ થાય તેવો કોઈપણ ખોરાક આ ગાયકો લેતા નથી. સામાન્ય રાતે વધુમાં વધુ 30 મીનીટ સળંગ ગાવું જોઈએ ત્યારબાદ 10 મીનીટનો આરામ લેવો જોઈએ. કેટલાય ગાયકો પોતાના અવાજમાં તકલીફ ઉભી ન થાય તે માટે જેકી મધ, લવીંગ રાખતા હોય છે. જેનાથી લાળ વધે છે.

No comments:

Post a Comment