Friday, September 18, 2009

''મફતમાં પણ ' નેનો' નથી જોઈતી''

By ENN,
અમદાવાદ,
ટાટા કંપનીની આમ આદમીની કાર'નેનો' ના બુકિંગ બાદ જે વ્યક્તિઓને લોટરીમાં ન લાગી તેઓ હતાશ અને નિરાશ થયા, પણ બોપલ વિસ્તારમાં રહેતા વેપારી 54 વર્ષીય રવીન્દ્ર ભગતને 'નેનો' લોટરીમાં લાગી, પણ તેઓ નિરાશ અને હતાશ થયા છે. ટાટાના ડ્રીમ પ્રોજેક્ટ 'નેનો' વિશે રવીન્દ્ર ભગત કહે છે ''પાર્કિંગમાં પાર્ક કરેલી નેનો ભડભડ સળગી ઊઠી. કંપનીએ સસ્તી કાર બનાવવા માટે સિક્યોરિટી ફિચર સાથે કોમ્પ્રોમાઈઝ કર્યું છે. ત્યારે હવે નેનો ન જોઈએ. કોઈ પણ કિંમતે નેનો જોઈતી નથી.'' પોતાના મકાન આગળ પાર્ક કરેલી નેનો કાર (જીજે-1-કેએ-4648) રવિવારે અચાનક સળગી ઉઠી હતી. રવીન્દ્ર ભગતે એસ.જી. હાઈવે પર આવેલા ટાટાના ડીલર 'કાર્ગો મોટર્સ' પાસે પોલીસ ફરિયાદ નોંધાવી પાંચ લાખ રૂપયાના વળતરની માગણી કરી છે.

રવીન્દ્ર ભગતને મે-2009ના રોજ નેનો લોટરીમાં લાગી. ત્યાર બાદ 14 ઓગસ્ટ, 2009ના રોજ નેનોની ડિલિવરી લેનાર શહેરની થોડી વ્યક્તિઓમાંના એક હતા, પણ બે દિવસ પહેલાં રવિવારના રોજ રવીન્દ્રભાઈ ભગત પોતાની પત્ની સાથે ભાઈને ત્યાં શ્રાદ્ધનું જમવા ગયા હતા ત્યારે તેમના ઘર આગળ પાર્ક કરેલી નેનો અચાનક સળગી ઊઠવાના સમાચાર તેમના પાડોશીઓ દ્વારા મળ્યા . તેઓ સમાચાર મળતાની સાથે ચોંકી ઈઠ્યા હતા. પડોશીઓ દ્વારા નેનોના કાચ તોડી પાણી દ્વારા આગ કાબૂમાં કરી. છેલ્લા 25 વર્ષથી કાર ડ્રાઈવ કરતાં રવીનદ્રભાઈને પહેલી વાર ડ્રાઈવ કરવાથી ડર લાગ્યો. રવિવારે થયેલા 'નેનો અકસ્માત' ના કારણે તેમણે છેલ્લા બે દિવસથી માનસિક અસ્વસ્થ થયા છે ત્યારે નેનોની સુરક્ષા નથી તેવું લાગે છે. રવીન્દ્ર ભગતે જણાવ્યું કે, ''કંપનીના લોકોને ફોન કર્યો પણ તેઓ ગાડી કંપનીમાં લઈ જઈ તેના બદલામાં નવી કાર આપવાનું કહે છે, પણ મેં ના કહેતાં તેઓ ગાડી જોવા પણ આવ્યા નથી ત્યારે મોટી હોનારત ટાળી, હવે નેનો જોઈતી નથી.''

રવીન્દ્રભાઈ ભગતે જણાવ્યું કે, ''નેનો કારની ડિલિવરી 1.25 લાખ રૂપિયા ભરી લીધી હતી, પણ નેનો કારના સળગવાની ઘટના બાદ હવે વળતર માટે ફરિયાદ નોંધાવી છે. છેલ્લા 25 વર્ષથી વિવિધ ગાડી ચલાવું છું પણ ગાડી પાર્કિંગમાં પડેલી સળગી ઊઠી તે પ્રથમ વાર જોયું. નેનોની સુરક્ષા પર વિશ્વાસ નથી. પાર્કિંગમાં પડેલી ગાડી સળગી ત્યારે નેનોમાં પેટ્રોલ ટેન્ક પણ આગળની સાઈડ છે ત્યારે મોટી હોનારત ટળી ગઈ. હવે નેનો માટે નો.....'' આ ઘટનાની તપાસ કરતા હેડ કોન્સ્ટેબલ રમેશભાઈએ જણાવ્યું કે, 'એફએસએલના અધિકારીઓ ગાડીમાં પ્રાથમિક દ્રષ્ટિએ શોર્ટ-સર્કિટની શક્યતા છે, પણ ચોક્કસ કારણ શોધવા નેનો કંપનીના એન્જિયરની મદદ લેવાશે.''

કોર્ગો મોટર્સના જનરલ મેનેજર ભાર્ગવ મહેતાએ જણાવ્યું કે,''ગાડી જ્યાં સુધી વર્કશોપમાં ન આવે ત્યાં સુધી કોઈ પણ કારણ વિશે કહી શકાય નહીં અને નેનોના માલિક દ્વારા વળતર માગવામાં આવ્યું તેની ખબર નથી. વર્કશોપમાં ગાડી આવ્યા બાદ ક્યાં કારણે આગ લાગી? તે જાણી શકાય.''

No comments:

Post a Comment