Tuesday, September 15, 2009

નારોલ, નરોડા અને વટવામાં દૂષિત પાણીનો ત્રાસઃ નાગરિકો ત્રાહિમામ્

By ENN,
અમદાવાદ,
શહેરના ઔધોગિક વિસ્તારમાં ગટરનું ગંદુ પાણી બેક મારતા રોડ પર ગંદુ પાણી વહેતું હોવાની ફરિયાદો નગરજનોમાં ઉઠવા પામી છે. આ સંદર્ભે મ્યુનિ. આરોગ્ય તંત્ર કુંભકર્ણ નિંદ્રામાં પોઢી ગયેલ હોવાથી નગરજનો જીવતા દોઝખમાં મુકાયા હોવાનો અહેસાસ કરી રહ્યા છે. શહેરના ઔધોગિક વિસ્તાર જેવા કે નારોલ, ઇસનપુર, વટવા અને નરોડા વગેરેમાં 90ની ડ્રેનેજ લાઈન નાંખવામાં આવી છે. આ ઈન્ડસ્ટ્રીયલ લાઈનમાં ડોમેસ્ટ્રીક ગેરકાયદેસર લાઈનો જાડી દેવાતા ગટરોની ઓવરફ્લો થાય છે તો ક્યારેક બેક મારતી હોવાની ફરિયાદો નગરજનોમાં સામાન્ય બની છે. આ વિસ્તારની ગટરો બેક મારતા ઉદ્યોગ-ફેકટરીનું ટ્રીટમેન્ટવાળું ગંદુ પાણી રોડ પર વહે છે જેના લીધે આ વિસ્તારની સોસાયટીના રહીશોને આરોગ્ય સામે ખતરો ઉભો થયો છે. અને આ બાબતે મ્યુનિ. હેલ્થ વિભાગને વ્યાપક ફરિયાદો કરવા છતાં પરિણામ શૂન્ય આવેલ છે. સ્થાનિક લોકો ગટરના પાણી ને લીધે જીવતા દોઝખમાં મુકાયા હોવાનું અહેસાસ કરી રહ્યા છે.

No comments:

Post a Comment